વૈશાખ મહિનામાં જામ્યો અષાઢી માહોલ! રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો બે ઈંચથી વધુ વરસાદ! ભારે વરસાદ થતાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:48:42

ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના અનેક જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો બીજી તરફ ધોરાજી અને ઉપલેટામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આટલો બધો વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા. 

ધોરાજી પંથકની નદી બે કાંઠે થઈ


કલાણા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું

ઉનાળામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ માત્ર છાંટા પુરતો સિમિત નથી પરંતુ ઈંચમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્ચો હતો. અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉપલેટામાં ગઈકાલ સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સુપેડી, ગઢાળા સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જસદણ અને જામકંડોરણા પણ વરસાદી માહોલ જામ્યો હતો. જો વરસાદની સિઝનમાં આવો વરસાદ વરસ્યો હોત તો ખેડૂતો ખુશ થતા પરંતુ ઉનાળામાં વરસાદ થતાં જે વરસાદ ખેડૂતોને ખુશી આપતો હોય છે તે આજે તેમને રડાવી રહ્યો છે.        

ખેતરો પાણી પાણી થયા.

નદી-નાળા બેકાંઠે વહ્યા.

કુદરતી આફતથી ધરતી પુત્રો પરેશાન!

રાજકોટમાં તો વરસાદને કારણે પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાને કારણે જગતનો તાત દુખી થયો છે. એક તરફ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ તેમની વાત નથી સાંભળતી. સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ હજી સુધી સહાય આપવામાં આવી નથી. 


સરકારે વિશેષ પેકેજની કરી જાહેરાત!

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને લઈ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. સરકારને 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.