વૈશાખ મહિનામાં જામ્યો અષાઢી માહોલ! રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો બે ઈંચથી વધુ વરસાદ! ભારે વરસાદ થતાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:48:42

ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના અનેક જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો બીજી તરફ ધોરાજી અને ઉપલેટામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આટલો બધો વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા. 

ધોરાજી પંથકની નદી બે કાંઠે થઈ


કલાણા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું

ઉનાળામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ માત્ર છાંટા પુરતો સિમિત નથી પરંતુ ઈંચમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્ચો હતો. અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉપલેટામાં ગઈકાલ સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સુપેડી, ગઢાળા સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જસદણ અને જામકંડોરણા પણ વરસાદી માહોલ જામ્યો હતો. જો વરસાદની સિઝનમાં આવો વરસાદ વરસ્યો હોત તો ખેડૂતો ખુશ થતા પરંતુ ઉનાળામાં વરસાદ થતાં જે વરસાદ ખેડૂતોને ખુશી આપતો હોય છે તે આજે તેમને રડાવી રહ્યો છે.        

ખેતરો પાણી પાણી થયા.

નદી-નાળા બેકાંઠે વહ્યા.

કુદરતી આફતથી ધરતી પુત્રો પરેશાન!

રાજકોટમાં તો વરસાદને કારણે પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાને કારણે જગતનો તાત દુખી થયો છે. એક તરફ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ તેમની વાત નથી સાંભળતી. સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ હજી સુધી સહાય આપવામાં આવી નથી. 


સરકારે વિશેષ પેકેજની કરી જાહેરાત!

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને લઈ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. સરકારને 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.