અમદાવાદમાં થઈ મેઘમહેર, શહેરના આ વિસ્તારો થયા જળબંબાકાર, લોકોને ભારે હાલાકી


  • Published By :
  • Published Date : 2023-09-25 19:06:50

આજે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થતાં શહેરીજનોએ ખુશનુમા માહોલની મજા માણી હતી. છેલ્લા કેટલાક દિવસથી બફારાનો સામનો કરી રહેલા અમદાવાદીઓએ ઠંડકની અનુભૂતી કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન પાસે માર્ગો પર પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ AMCના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓને ઉદ્દેશીને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.





શહેરના આ વિસ્તારોમાં મેઘમહેર


અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે શહેરના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતો. શહેરના લો ગાર્ડન, આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજ, પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, સીજી રોડ, પંચવટી, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. જો કે વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં ઠંઠક પ્રસરી ગઈ હતી અને લોકો આ આહલાદક માહોલનો આનંદ માણવા નિકળી પડ્યા હતા. વરસાદને કારણે માણેકચોક અને ઈસનપુર સહિતના શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાયા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.