પાછોતરા વરસાદને કારણે કપાસના પાકને થયું વ્યાપક નુકસાન, કૃષિમંત્રીએ કહ્યું અરરર... આ કુદરતી છે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:43:54

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર ચાલે છે. ચોમાસાની અસર ખેતી પર પડતી હોય છે. સરખા પ્રમાણમાં જો વરસાદ આવે છે તો જ એ વરસાદ ખેડૂતોને લાભ કરાવે છે, તેમની ચિંતા દુર કરે છે. પરંતુ જો વરસાદ ન આવે તો અને જો વરસાદ વધારે આવે તો તે વખતે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતો પરેશાન હતા અને પછી જે વરસાદ આવ્યો તે વરસાદ પૂર લઈને આવ્યો. વરસાદ તો આવ્યો પરંતુ ખેડૂતોની  ચિંતા વઘારતો ગયો. પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જ્યારે સમાચાર અમે બતાવતા હતા ત્યારે ત્યારે લોકો કહેતા હતા કે બહુ ખોટું થયું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અમુક વસ્તુ કુદરતના હાથમાં હોય છે - કૃષિમંત્રી 

સામાન્ય માણસ તરફથી આવી પ્રતિક્રિયા આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે આવી પ્રતિક્રિયા કોઈ નેતાની આવે તો? ખેડૂતોને જ્યારે નુકસાન થયું હોય ત્યારે જ સરકાર તરફ મદદની નજરથી જગતનો તાત જોવે છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવશે તેવી આશા ખેડૂતોને હોય છે પરંતુ જ્યારે સરકાર જ હાથ ઉંચા કરી દે ત્યારે? સરકાર તરફથી પણ કહી દેવામાં આવે કે આ તો કુદરતી ઘટના છે, સરકાર આમાં કઈ કરી ના શકે ત્યારે ખેડૂતો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય? રાજ્યમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં કપાસને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોને આશા હતી કે મૃદ્દુ તરીકે ગણાતી સરકાર તેમને નુકસાનીનું સહાય આપશે. સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ ખેડૂતોને ફરી એક વખત નિરાશા હાથ લાગી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. 


જો સરકાર જ મોઢું ફેરવી લેશે તો?

જો સત્તાધીશો, સરકારના મંત્રીઓ જ જગતના તાત સામે નહીં જોવે તો ખેડૂત કોની પાસે જશે પોતાની ફરિયાદને લઈ? ખેડૂતોને આશ્વાસન નહીં પરંતુ આર્થિક સહાયની જરૂર છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખતા હોય છે સહાયની. પરંતુ સરકાર દ્વારા પણ કહીં દેવામાં આવે કે આ ઘટના કુદરતી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં? સરકારને માઈબાપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર જ ખેડૂતોથી મોઢું ફેરવી લે તો?



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.