પાછોતરા વરસાદને કારણે કપાસના પાકને થયું વ્યાપક નુકસાન, કૃષિમંત્રીએ કહ્યું અરરર... આ કુદરતી છે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:43:54

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર ચાલે છે. ચોમાસાની અસર ખેતી પર પડતી હોય છે. સરખા પ્રમાણમાં જો વરસાદ આવે છે તો જ એ વરસાદ ખેડૂતોને લાભ કરાવે છે, તેમની ચિંતા દુર કરે છે. પરંતુ જો વરસાદ ન આવે તો અને જો વરસાદ વધારે આવે તો તે વખતે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતો પરેશાન હતા અને પછી જે વરસાદ આવ્યો તે વરસાદ પૂર લઈને આવ્યો. વરસાદ તો આવ્યો પરંતુ ખેડૂતોની  ચિંતા વઘારતો ગયો. પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જ્યારે સમાચાર અમે બતાવતા હતા ત્યારે ત્યારે લોકો કહેતા હતા કે બહુ ખોટું થયું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અમુક વસ્તુ કુદરતના હાથમાં હોય છે - કૃષિમંત્રી 

સામાન્ય માણસ તરફથી આવી પ્રતિક્રિયા આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે આવી પ્રતિક્રિયા કોઈ નેતાની આવે તો? ખેડૂતોને જ્યારે નુકસાન થયું હોય ત્યારે જ સરકાર તરફ મદદની નજરથી જગતનો તાત જોવે છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવશે તેવી આશા ખેડૂતોને હોય છે પરંતુ જ્યારે સરકાર જ હાથ ઉંચા કરી દે ત્યારે? સરકાર તરફથી પણ કહી દેવામાં આવે કે આ તો કુદરતી ઘટના છે, સરકાર આમાં કઈ કરી ના શકે ત્યારે ખેડૂતો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય? રાજ્યમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં કપાસને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોને આશા હતી કે મૃદ્દુ તરીકે ગણાતી સરકાર તેમને નુકસાનીનું સહાય આપશે. સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ ખેડૂતોને ફરી એક વખત નિરાશા હાથ લાગી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. 


જો સરકાર જ મોઢું ફેરવી લેશે તો?

જો સત્તાધીશો, સરકારના મંત્રીઓ જ જગતના તાત સામે નહીં જોવે તો ખેડૂત કોની પાસે જશે પોતાની ફરિયાદને લઈ? ખેડૂતોને આશ્વાસન નહીં પરંતુ આર્થિક સહાયની જરૂર છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખતા હોય છે સહાયની. પરંતુ સરકાર દ્વારા પણ કહીં દેવામાં આવે કે આ ઘટના કુદરતી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં? સરકારને માઈબાપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર જ ખેડૂતોથી મોઢું ફેરવી લે તો?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.