પાછોતરા વરસાદને કારણે કપાસના પાકને થયું વ્યાપક નુકસાન, કૃષિમંત્રીએ કહ્યું અરરર... આ કુદરતી છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-20 12:43:54

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર ચાલે છે. ચોમાસાની અસર ખેતી પર પડતી હોય છે. સરખા પ્રમાણમાં જો વરસાદ આવે છે તો જ એ વરસાદ ખેડૂતોને લાભ કરાવે છે, તેમની ચિંતા દુર કરે છે. પરંતુ જો વરસાદ ન આવે તો અને જો વરસાદ વધારે આવે તો તે વખતે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતો પરેશાન હતા અને પછી જે વરસાદ આવ્યો તે વરસાદ પૂર લઈને આવ્યો. વરસાદ તો આવ્યો પરંતુ ખેડૂતોની  ચિંતા વઘારતો ગયો. પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જ્યારે સમાચાર અમે બતાવતા હતા ત્યારે ત્યારે લોકો કહેતા હતા કે બહુ ખોટું થયું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અમુક વસ્તુ કુદરતના હાથમાં હોય છે - કૃષિમંત્રી 

સામાન્ય માણસ તરફથી આવી પ્રતિક્રિયા આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે આવી પ્રતિક્રિયા કોઈ નેતાની આવે તો? ખેડૂતોને જ્યારે નુકસાન થયું હોય ત્યારે જ સરકાર તરફ મદદની નજરથી જગતનો તાત જોવે છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવશે તેવી આશા ખેડૂતોને હોય છે પરંતુ જ્યારે સરકાર જ હાથ ઉંચા કરી દે ત્યારે? સરકાર તરફથી પણ કહી દેવામાં આવે કે આ તો કુદરતી ઘટના છે, સરકાર આમાં કઈ કરી ના શકે ત્યારે ખેડૂતો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય? રાજ્યમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં કપાસને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોને આશા હતી કે મૃદ્દુ તરીકે ગણાતી સરકાર તેમને નુકસાનીનું સહાય આપશે. સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ ખેડૂતોને ફરી એક વખત નિરાશા હાથ લાગી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. 


જો સરકાર જ મોઢું ફેરવી લેશે તો?

જો સત્તાધીશો, સરકારના મંત્રીઓ જ જગતના તાત સામે નહીં જોવે તો ખેડૂત કોની પાસે જશે પોતાની ફરિયાદને લઈ? ખેડૂતોને આશ્વાસન નહીં પરંતુ આર્થિક સહાયની જરૂર છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખતા હોય છે સહાયની. પરંતુ સરકાર દ્વારા પણ કહીં દેવામાં આવે કે આ ઘટના કુદરતી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં? સરકારને માઈબાપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર જ ખેડૂતોથી મોઢું ફેરવી લે તો?



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.