પાછોતરા વરસાદને કારણે કપાસના પાકને થયું વ્યાપક નુકસાન, કૃષિમંત્રીએ કહ્યું અરરર... આ કુદરતી છે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:43:54

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર ચાલે છે. ચોમાસાની અસર ખેતી પર પડતી હોય છે. સરખા પ્રમાણમાં જો વરસાદ આવે છે તો જ એ વરસાદ ખેડૂતોને લાભ કરાવે છે, તેમની ચિંતા દુર કરે છે. પરંતુ જો વરસાદ ન આવે તો અને જો વરસાદ વધારે આવે તો તે વખતે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતો પરેશાન હતા અને પછી જે વરસાદ આવ્યો તે વરસાદ પૂર લઈને આવ્યો. વરસાદ તો આવ્યો પરંતુ ખેડૂતોની  ચિંતા વઘારતો ગયો. પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જ્યારે સમાચાર અમે બતાવતા હતા ત્યારે ત્યારે લોકો કહેતા હતા કે બહુ ખોટું થયું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અમુક વસ્તુ કુદરતના હાથમાં હોય છે - કૃષિમંત્રી 

સામાન્ય માણસ તરફથી આવી પ્રતિક્રિયા આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે આવી પ્રતિક્રિયા કોઈ નેતાની આવે તો? ખેડૂતોને જ્યારે નુકસાન થયું હોય ત્યારે જ સરકાર તરફ મદદની નજરથી જગતનો તાત જોવે છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવશે તેવી આશા ખેડૂતોને હોય છે પરંતુ જ્યારે સરકાર જ હાથ ઉંચા કરી દે ત્યારે? સરકાર તરફથી પણ કહી દેવામાં આવે કે આ તો કુદરતી ઘટના છે, સરકાર આમાં કઈ કરી ના શકે ત્યારે ખેડૂતો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય? રાજ્યમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં કપાસને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોને આશા હતી કે મૃદ્દુ તરીકે ગણાતી સરકાર તેમને નુકસાનીનું સહાય આપશે. સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ ખેડૂતોને ફરી એક વખત નિરાશા હાથ લાગી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. 


જો સરકાર જ મોઢું ફેરવી લેશે તો?

જો સત્તાધીશો, સરકારના મંત્રીઓ જ જગતના તાત સામે નહીં જોવે તો ખેડૂત કોની પાસે જશે પોતાની ફરિયાદને લઈ? ખેડૂતોને આશ્વાસન નહીં પરંતુ આર્થિક સહાયની જરૂર છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખતા હોય છે સહાયની. પરંતુ સરકાર દ્વારા પણ કહીં દેવામાં આવે કે આ ઘટના કુદરતી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં? સરકારને માઈબાપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર જ ખેડૂતોથી મોઢું ફેરવી લે તો?



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.