ભારે વરસાદે UttarPradeshના હાલ કર્યા બેહાલ, હવામાન વિભાગે કરી આ આગાહી, વરસાદને કારણે સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 09:29:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક રાજ્યો એવા છે જ્યા વરસાદે મહેર વરસાવાની જગ્યાએ કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં વરસેલો વરસાદ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 જેટલા લોકોના મોત ભારે વરસાદને કારણે થયા છે. સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓ પર શાળાઓ બંધ રાખવાની ફરજ બની છે. 


ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે થયા લોકોના મોત 

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્સત થયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશના હાલ બેહાલ થઈ ગયા છે. લખીમપુર અને બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે શાળાઓને બંધ રાખવાની ફરજ પડી છે. જિલ્લા અધિકારીએ મંગળવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. 


આ રાજ્યો માટે આપવામાં આવ્યું છે વરસાદી એલર્ટ 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સામાન્ય જનજીવન અતિશય પ્રભાવિત થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 19 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.     



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.