ભારે વરસાદે UttarPradeshના હાલ કર્યા બેહાલ, હવામાન વિભાગે કરી આ આગાહી, વરસાદને કારણે સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 09:29:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક રાજ્યો એવા છે જ્યા વરસાદે મહેર વરસાવાની જગ્યાએ કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં વરસેલો વરસાદ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 જેટલા લોકોના મોત ભારે વરસાદને કારણે થયા છે. સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓ પર શાળાઓ બંધ રાખવાની ફરજ બની છે. 


ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે થયા લોકોના મોત 

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્સત થયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશના હાલ બેહાલ થઈ ગયા છે. લખીમપુર અને બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે શાળાઓને બંધ રાખવાની ફરજ પડી છે. જિલ્લા અધિકારીએ મંગળવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. 


આ રાજ્યો માટે આપવામાં આવ્યું છે વરસાદી એલર્ટ 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સામાન્ય જનજીવન અતિશય પ્રભાવિત થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 19 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .