ભારે વરસાદે UttarPradeshના હાલ કર્યા બેહાલ, હવામાન વિભાગે કરી આ આગાહી, વરસાદને કારણે સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 09:29:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક રાજ્યો એવા છે જ્યા વરસાદે મહેર વરસાવાની જગ્યાએ કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં વરસેલો વરસાદ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 જેટલા લોકોના મોત ભારે વરસાદને કારણે થયા છે. સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓ પર શાળાઓ બંધ રાખવાની ફરજ બની છે. 


ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે થયા લોકોના મોત 

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્સત થયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશના હાલ બેહાલ થઈ ગયા છે. લખીમપુર અને બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે શાળાઓને બંધ રાખવાની ફરજ પડી છે. જિલ્લા અધિકારીએ મંગળવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. 


આ રાજ્યો માટે આપવામાં આવ્યું છે વરસાદી એલર્ટ 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સામાન્ય જનજીવન અતિશય પ્રભાવિત થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 19 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.