ભારે વરસાદે UttarPradeshના હાલ કર્યા બેહાલ, હવામાન વિભાગે કરી આ આગાહી, વરસાદને કારણે સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 09:29:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક રાજ્યો એવા છે જ્યા વરસાદે મહેર વરસાવાની જગ્યાએ કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં વરસેલો વરસાદ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 19 જેટલા લોકોના મોત ભારે વરસાદને કારણે થયા છે. સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓ પર શાળાઓ બંધ રાખવાની ફરજ બની છે. 


ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે થયા લોકોના મોત 

ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્સત થયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઉત્તરપ્રદેશના હાલ બેહાલ થઈ ગયા છે. લખીમપુર અને બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે શાળાઓને બંધ રાખવાની ફરજ પડી છે. જિલ્લા અધિકારીએ મંગળવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. 


આ રાજ્યો માટે આપવામાં આવ્યું છે વરસાદી એલર્ટ 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સામાન્ય જનજીવન અતિશય પ્રભાવિત થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 19 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.     



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?