રાજ્યના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ! વહેલી સવારે કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-29 11:13:18

વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા આવ્યા હતા. વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારો જેવા કે વટવા, મણીનગર, ઈસનપુર, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. તે ઉપરાંત બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી જે મુજબ 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, મહેસાણા,અરવલ્લી  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી ભાવનગર, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


ખેતરમાં થયેલા પાકને થયું નુકસાન! 

ઉનાળામાં વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળા પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવી રહ્યા છે. જસદણ ઉપરાંત આટકોટ, કનસેરા કોઠી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલ અને જેતપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગમી દિવસોમાં આવશે માવઠું! 

30 એપ્રિલએ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રની ચિંતા વધી છે. પાકને નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.