રાજ્યના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ! વહેલી સવારે કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-29 11:13:18

વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા આવ્યા હતા. વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારો જેવા કે વટવા, મણીનગર, ઈસનપુર, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. તે ઉપરાંત બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી જે મુજબ 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, મહેસાણા,અરવલ્લી  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી ભાવનગર, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


ખેતરમાં થયેલા પાકને થયું નુકસાન! 

ઉનાળામાં વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળા પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવી રહ્યા છે. જસદણ ઉપરાંત આટકોટ, કનસેરા કોઠી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલ અને જેતપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગમી દિવસોમાં આવશે માવઠું! 

30 એપ્રિલએ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રની ચિંતા વધી છે. પાકને નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.