રાજ્યના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ! વહેલી સવારે કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-29 11:13:18

વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા આવ્યા હતા. વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારો જેવા કે વટવા, મણીનગર, ઈસનપુર, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. તે ઉપરાંત બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી જે મુજબ 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, મહેસાણા,અરવલ્લી  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી ભાવનગર, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


ખેતરમાં થયેલા પાકને થયું નુકસાન! 

ઉનાળામાં વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળા પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવી રહ્યા છે. જસદણ ઉપરાંત આટકોટ, કનસેરા કોઠી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલ અને જેતપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગમી દિવસોમાં આવશે માવઠું! 

30 એપ્રિલએ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રની ચિંતા વધી છે. પાકને નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.