Bharuchમાં ભારે વરસાદ, ડેહલી ગામ બેટમાં ફેરવાયું અને લોકો ફસાયા, Chaitar Vasavaએ લોકોને આપી સૂચના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-03 17:18:51

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે..  અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા અને આપણી સમક્ષ તાજેતરનું જ ઉદાહરણ છે જ્યાં વરસાદ કહેર સાબિત થયો.. વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપણે જાણીએ છીએ... ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી હતી અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું..

વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત!

વરસાદી સિસ્ટમ થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય.. વરસાદના પહેલા રાઉન્ડમાં અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચમાં તબાહી મચાવી શકે છે.. ભરૂચમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા ડેહલી ગામમાં પહોંચ્યા હતા. અને લોકો સાથે વાત કરી હતી. 



ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સાથે કરી મુલાકાત

ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી ઉપરાંત લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની માહિતી પણ તેમણે લોકોને આપી હતી. કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ના નાખે તેવી વાત પણ તેમણે સ્થાનિકોને સમજાવી હતી. સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની પાસે રાખવા જેથી કરી કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરી શકાય.  


વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચ માટે ભારે!

મહત્વનું છે કે ભરૂચમાં વરસાદે તબાહી મચાવી દીધી છે તેવું કહીએ તો પણ વધારે નહીં થાય. સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ હજી પણ ચાલુ જ છે.. ભારે વરસાદ થતાં વરસાદી પાણી લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?