Bharuchમાં ભારે વરસાદ, ડેહલી ગામ બેટમાં ફેરવાયું અને લોકો ફસાયા, Chaitar Vasavaએ લોકોને આપી સૂચના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-03 17:18:51

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે..  અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા અને આપણી સમક્ષ તાજેતરનું જ ઉદાહરણ છે જ્યાં વરસાદ કહેર સાબિત થયો.. વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપણે જાણીએ છીએ... ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી હતી અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું..

વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત!

વરસાદી સિસ્ટમ થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય.. વરસાદના પહેલા રાઉન્ડમાં અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચમાં તબાહી મચાવી શકે છે.. ભરૂચમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા ડેહલી ગામમાં પહોંચ્યા હતા. અને લોકો સાથે વાત કરી હતી. 



ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સાથે કરી મુલાકાત

ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી ઉપરાંત લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની માહિતી પણ તેમણે લોકોને આપી હતી. કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ના નાખે તેવી વાત પણ તેમણે સ્થાનિકોને સમજાવી હતી. સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની પાસે રાખવા જેથી કરી કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરી શકાય.  


વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચ માટે ભારે!

મહત્વનું છે કે ભરૂચમાં વરસાદે તબાહી મચાવી દીધી છે તેવું કહીએ તો પણ વધારે નહીં થાય. સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ હજી પણ ચાલુ જ છે.. ભારે વરસાદ થતાં વરસાદી પાણી લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.