Bharuchમાં ભારે વરસાદ, ડેહલી ગામ બેટમાં ફેરવાયું અને લોકો ફસાયા, Chaitar Vasavaએ લોકોને આપી સૂચના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-03 17:18:51

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે..  અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા અને આપણી સમક્ષ તાજેતરનું જ ઉદાહરણ છે જ્યાં વરસાદ કહેર સાબિત થયો.. વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપણે જાણીએ છીએ... ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી હતી અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું..

વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત!

વરસાદી સિસ્ટમ થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય.. વરસાદના પહેલા રાઉન્ડમાં અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચમાં તબાહી મચાવી શકે છે.. ભરૂચમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા ડેહલી ગામમાં પહોંચ્યા હતા. અને લોકો સાથે વાત કરી હતી. 



ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સાથે કરી મુલાકાત

ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી ઉપરાંત લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની માહિતી પણ તેમણે લોકોને આપી હતી. કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ના નાખે તેવી વાત પણ તેમણે સ્થાનિકોને સમજાવી હતી. સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની પાસે રાખવા જેથી કરી કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરી શકાય.  


વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચ માટે ભારે!

મહત્વનું છે કે ભરૂચમાં વરસાદે તબાહી મચાવી દીધી છે તેવું કહીએ તો પણ વધારે નહીં થાય. સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ હજી પણ ચાલુ જ છે.. ભારે વરસાદ થતાં વરસાદી પાણી લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.