Bharuchમાં ભારે વરસાદ, ડેહલી ગામ બેટમાં ફેરવાયું અને લોકો ફસાયા, Chaitar Vasavaએ લોકોને આપી સૂચના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-03 17:18:51

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે.. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે..  અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા અને આપણી સમક્ષ તાજેતરનું જ ઉદાહરણ છે જ્યાં વરસાદ કહેર સાબિત થયો.. વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપણે જાણીએ છીએ... ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમણે વાત કરી હતી અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું..

વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત!

વરસાદી સિસ્ટમ થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોય.. વરસાદના પહેલા રાઉન્ડમાં અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચમાં તબાહી મચાવી શકે છે.. ભરૂચમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા ડેહલી ગામમાં પહોંચ્યા હતા. અને લોકો સાથે વાત કરી હતી. 



ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સાથે કરી મુલાકાત

ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી ઉપરાંત લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની માહિતી પણ તેમણે લોકોને આપી હતી. કોઈ પણ પોતાનો જીવ જોખમમાં ના નાખે તેવી વાત પણ તેમણે સ્થાનિકોને સમજાવી હતી. સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની પાસે રાખવા જેથી કરી કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરી શકાય.  


વરસાદનો બીજો રાઉન્ડ ભરૂચ માટે ભારે!

મહત્વનું છે કે ભરૂચમાં વરસાદે તબાહી મચાવી દીધી છે તેવું કહીએ તો પણ વધારે નહીં થાય. સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ હજી પણ ચાલુ જ છે.. ભારે વરસાદ થતાં વરસાદી પાણી લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .