વતન જવા માટે Surat Railway Stationમાં મુસાફરોનો ભારે ઘસારો, ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો બેભાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 14:30:06

દિવાળીના સમયે વતન જવા માટે લોકોની પડાપડી રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશનો પર જોવા મળી રહી છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી થાય તેવી આશા દરેક માણસને હોય છે. જ્યારે તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવામાં આવે છે ત્યારે તે ઉત્સવની ઉજવણી ડબલ થઈ જતી હોય છે. દિવાળીના સમયે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. સ્ટેશનોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. સુરત રેલવે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામૂકીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે.

   

 સુરત: દિવાળીની તહેવારોની રજાઓમાં સુરત રેલ્વે સ્ટેશન પર આજ સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પર આજે હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. આ ઉપરાંત ત્રણ લોકો બેભાન થયા છે. જેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનમાં ધક્કામૂકી થવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

રોજી-રોટી માટે ગામડાઓમાંથી લોકો શહેરોમાં આવતા હોય છે. પરંતુ તહેવાર દરમિયાન પોતાના વતનમાં તેઓ ફરતા હોય છે. દિવાળીના સમય દરમિયાન સ્ટેશનો પર મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. એસટી સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર મુસાફરો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે. ધક્કામૂકીના દ્રશ્યો સર્જાતા હોય છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત ધક્કામૂકીને કારણે થયું છે. સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરત રેલવે સ્ટેશનથી સમાચાર સામે આવ્યા છે જેમાં ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. બેભાન થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

 નોંધનીય છે કે, સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ લોકો દિવાળીની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. જોકે, ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.

4 passengers fainted at Surat railway station due to heavy rush of passengers સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર

ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું થયું મોત 

સુરત સહિતના મોટા શહેરોમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. કમાવવા માટે પોતાનું વતન છોડી મોટા શહેરો તરફ આવતા હોય છે. પરંતુ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના વતન તરફ જતા હોય છે. તહેવારો દરમિયાન રેલવે, બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. કલાકોનું વેટિંગ રહેતું હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે જેને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે અને દુર્ઘટના બનતી હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રેનોમાં તેમજ બસોમાં ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. સારવાર અર્થે બેભાન થયેલા લોકોને ખસેડવામાં આવ્યા છે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?