આ જિલ્લાઓમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ, અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમે કર્યું હવાઈ નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-07-21 17:17:41

ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. વરસાદ પણ મનમૂકીને વરસવા જાણે આતુર બન્યો હોય તેવું લાગે છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓને વરસાદે ધમરોળ્યું છે. ગુરૂવારે રાજ્યના 180 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી એવા અનેક જિલ્લાઓ છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ હજી પણ યથાવત જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. સૌથી વધારે ખરાબ હાલત જૂનાગઢ તેમજ ગીરસોમનાથની જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. 

રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે.અનેક જિલ્લાઓમાં વરસાદની  ધબધબાટી જોવા મળી રહી છે. થોડા જ વરસાદમાં પાણી ભરાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સૌથી વધારે અસરગ્રસ્ત કોઈ જિલ્લો હોય તો તે જૂનાગઢ અને ગીર સોમનાથ છે. ગીરસોમનાથના સુત્રાપાડાથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને કહેવા મજબૂર કરી શકે છે કે આ મેઘમહેર નથી પરંતુ મેઘકહેર છે. થોડા જ ઓછા કલાકોમાં અનેક ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો જેને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. અનેક એવા વિસ્તારો છે કે સંપર્ક વિહોણા બની ગયા છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 


મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ

રાજ્યમાં વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જાણવા માટે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નુકસાની થવા હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ જાણવા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું, મહત્વનું છે કે ન માત્ર ગીર સોમનાથથી એવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ દેવભૂમિ દ્વારકાથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. 

આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના 

જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ વાસીઓેએ પણ આવનાર દિવસોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ માટે તૈયાર રહેવું પડશે. દ્વારકામાં તોફાની વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વધુ વરસાદ રહેવાની સંભાવનાઓ છે. 21, 22 અને 23 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. આ ત્રણ દિવસો બાદ જોર ઘટશે પરંતુ છૂટોછવાયો વરસાદ તો વરસશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના એકાદ ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.