સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, જાણો આજે કયા જિલ્લામાં જોવા મળશે મેઘમહેર?


  • Published By :
  • Published Date : 2023-07-19 09:33:45

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 19 તારીખ એટલે કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ જગ્યાઓ પર જાહેર કરવામાં આવ્યું એલર્ટ  

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી જે જિલ્લાઓ માટે કરવામાં આવી છે ત્યાં ઓરેન્જ એલર્ટ તેમજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવામાન વિભાગે પણ ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ભરૂચ,જૂનગાઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલરેટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય રેડ એલર્ટ અમરેલી, ભાવનગર,અમરેલી તેમજ વલસાડમાં જાહેર કરવામાં આવ્યું છે.  આગામી 24 કલાક માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા,  ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે. 


અનેક જગ્યાઓ પર મન મૂકીને વરસ્યો વરસાદ 

અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. સુત્રાપાડામાં તો મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં પણ જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઈંચ વરસાદ વરસવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ધોરાજીમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 7.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપલેટામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આગાહી પ્રમાણે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદ થવાને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત ખાતે પણ વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 22 ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.