સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, જાણો આજે કયા જિલ્લામાં જોવા મળશે મેઘમહેર?


  • Published By :
  • Published Date : 2023-07-19 09:33:45

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 19 તારીખ એટલે કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ જગ્યાઓ પર જાહેર કરવામાં આવ્યું એલર્ટ  

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી જે જિલ્લાઓ માટે કરવામાં આવી છે ત્યાં ઓરેન્જ એલર્ટ તેમજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવામાન વિભાગે પણ ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ભરૂચ,જૂનગાઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલરેટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય રેડ એલર્ટ અમરેલી, ભાવનગર,અમરેલી તેમજ વલસાડમાં જાહેર કરવામાં આવ્યું છે.  આગામી 24 કલાક માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા,  ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે. 


અનેક જગ્યાઓ પર મન મૂકીને વરસ્યો વરસાદ 

અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. સુત્રાપાડામાં તો મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં પણ જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઈંચ વરસાદ વરસવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ધોરાજીમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 7.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપલેટામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આગાહી પ્રમાણે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદ થવાને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત ખાતે પણ વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 22 ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.