તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા જાહેર કરાયો હેલ્પલાઈન નંબર! ઉમેદવારોને IPS હસમુખ પટેલ પર છે વિશ્વાસ, પરંતુ પ્રામાણીકતા સાબિત કરવાની હવે જવાબદારી ઉમેદવારોની!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:27:15

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોના મનમાં એક જ ભય સતાવે છે કે ક્યાંક પેપર તો નહીં ફુટી જાયને! વર્ષો પછી લેવામાં આવતી પરીક્ષા કેન્સલ તો નહીં કરવામાં આવે. હજારો સપના અને અનેક સંઘર્ષો સાથે નીકળેલો યુવાન જ્યારે રડતી આંખે પાછો જાય તો એના માટે એ જીવનનો સૌથી દુર્ભાગ્યપુર્ણ સમય સાબિત થાય છે. પણ છતાંય એ સરકાર પર ભલે આક્રોશીત હોય મનમાં વિચારે છે કે ચાલો ખોટા માણસો સિસ્ટમમાં જતા અટકી જશે. પરંતુ અનેક વખત સરકાર પર રાખવામાં આવતો ભરોસો તૂટી જતો હોય છે. ત્યારે 7મીમેના રોજ લેવામાં આવતી તલાટીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે.    

AAP's Yuvrajsinh Jadeja held in Gujarat on charges of extorting Rs 1 crore  from dummy candidate scam accused | Ahmedabad News, The Indian Express

ઉમેદવારોને છે આઈપીએસ હસમુખ પટેલ પર વિશ્વાસ!

છેલ્લા થોડા વર્ષોથી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે લાવવામાં સૌથી મહત્વનો ફાળો યુવરાજસિંહનો સાબિત થયો, પણ આ વખતે રાજ્યની ખુબ મોટી પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષાનું આયોજન 7મીમેએ કરવામાં આવ્યું છે, લાખો ઉમેદવારો પોતાના ઘરથી 100-200કિમી દુર સેન્ટર પર જવાના છે... એના થોડા સમય પહેલા જ ડમી કાંડ ખુલીને સામે આવ્યો છે, ઉમેદવારોનો એક નાનો વર્ગ યુવરાજસિંહના સમર્થનમાં એવી આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાપુ જેલમાં છે તો પેપરમાં ગેરરીતિ હશે તો પણ સામે નહીં આવે.. જો કે મોટાભાગના લોકોનું માનવું છે કે ભલે અત્યારે યુવરાજસિંહ બહાર નથી તો પણ તલાટીમાં કોઈ ફ્રોડ કરવાની કોશીશ નહીં કરે કેમ કે આ પરીક્ષાનું આયોજન આઈપીએસ હસમુખ પટેલ કરી રહ્યા છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર! 

આ જ કોશીશના ભાગરૂપે હસમુખ પટેલે ટ્વીટરના માધ્યમથી અનેક વખત ઉમેદવારો સુધી પરીક્ષાને લઈ દરેક માહિતી પહોંચાડી છે, જેમાં રહેવાની વ્યવસ્થાથી લઈ ટ્રાન્સપોર્ટમાં કોઈ સ્વાર્થી ના બને અને બમણું ભાડું ના વસુલે એની પણ કોશીશ છે, જો કે સૌથી મહત્વની વાત એ હેલ્પલાઈન નંબરની છે જે એમણે ડમી ઉમેદવારોને ઝડપવા માટે બહાર પાડ્યો છે. ત્યારે તેમણે ટ્વીટ કર્ય હતું 

પ્રામાણીકતાનીથી પરીક્ષા આપે તે ઉમેદવારોની જવાબદારી! 

અન્ય એક ટ્વીટમાં લખ્યું હતુ કે ડમી ઉમેદવાર અટકાવવા માટે  પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે ઉમેદવારની હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવામાં આવશે. આમ પ્રશાસનીક તૈયારીઓ થઈ ગઈ છે, એક વ્યક્તિ કેવી રીતે આખી સિસ્ટમ બદલી શકે એનું ઉદાહરણ પોલીસની ભરતીથી લઈ જુનિયર ક્લાર્કમાં આપણે જોઈ લીધું છે, હવે જવાબદારી એ 8લાખ 64હજાર ઉમેદવારોની છે જેમણે આ પરીક્ષા માટે સંમતીપત્રક ભરી દીધા છે, ગઈ પરીક્ષા કરતા આ આંકડો ડબલ છે અને પડકાર પણ એટલો જ મોટો, જો આ  સાડા આઠ લાખ લોકો પ્રામાણીકતાની સૌગંદ લઈ લે તો તલાટીની પરીક્ષા સફળ થતા કોઈ રોકી નહીં શકે.... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે