તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા જાહેર કરાયો હેલ્પલાઈન નંબર! ઉમેદવારોને IPS હસમુખ પટેલ પર છે વિશ્વાસ, પરંતુ પ્રામાણીકતા સાબિત કરવાની હવે જવાબદારી ઉમેદવારોની!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:27:15

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોના મનમાં એક જ ભય સતાવે છે કે ક્યાંક પેપર તો નહીં ફુટી જાયને! વર્ષો પછી લેવામાં આવતી પરીક્ષા કેન્સલ તો નહીં કરવામાં આવે. હજારો સપના અને અનેક સંઘર્ષો સાથે નીકળેલો યુવાન જ્યારે રડતી આંખે પાછો જાય તો એના માટે એ જીવનનો સૌથી દુર્ભાગ્યપુર્ણ સમય સાબિત થાય છે. પણ છતાંય એ સરકાર પર ભલે આક્રોશીત હોય મનમાં વિચારે છે કે ચાલો ખોટા માણસો સિસ્ટમમાં જતા અટકી જશે. પરંતુ અનેક વખત સરકાર પર રાખવામાં આવતો ભરોસો તૂટી જતો હોય છે. ત્યારે 7મીમેના રોજ લેવામાં આવતી તલાટીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે.    

AAP's Yuvrajsinh Jadeja held in Gujarat on charges of extorting Rs 1 crore  from dummy candidate scam accused | Ahmedabad News, The Indian Express

ઉમેદવારોને છે આઈપીએસ હસમુખ પટેલ પર વિશ્વાસ!

છેલ્લા થોડા વર્ષોથી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે લાવવામાં સૌથી મહત્વનો ફાળો યુવરાજસિંહનો સાબિત થયો, પણ આ વખતે રાજ્યની ખુબ મોટી પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષાનું આયોજન 7મીમેએ કરવામાં આવ્યું છે, લાખો ઉમેદવારો પોતાના ઘરથી 100-200કિમી દુર સેન્ટર પર જવાના છે... એના થોડા સમય પહેલા જ ડમી કાંડ ખુલીને સામે આવ્યો છે, ઉમેદવારોનો એક નાનો વર્ગ યુવરાજસિંહના સમર્થનમાં એવી આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાપુ જેલમાં છે તો પેપરમાં ગેરરીતિ હશે તો પણ સામે નહીં આવે.. જો કે મોટાભાગના લોકોનું માનવું છે કે ભલે અત્યારે યુવરાજસિંહ બહાર નથી તો પણ તલાટીમાં કોઈ ફ્રોડ કરવાની કોશીશ નહીં કરે કેમ કે આ પરીક્ષાનું આયોજન આઈપીએસ હસમુખ પટેલ કરી રહ્યા છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર! 

આ જ કોશીશના ભાગરૂપે હસમુખ પટેલે ટ્વીટરના માધ્યમથી અનેક વખત ઉમેદવારો સુધી પરીક્ષાને લઈ દરેક માહિતી પહોંચાડી છે, જેમાં રહેવાની વ્યવસ્થાથી લઈ ટ્રાન્સપોર્ટમાં કોઈ સ્વાર્થી ના બને અને બમણું ભાડું ના વસુલે એની પણ કોશીશ છે, જો કે સૌથી મહત્વની વાત એ હેલ્પલાઈન નંબરની છે જે એમણે ડમી ઉમેદવારોને ઝડપવા માટે બહાર પાડ્યો છે. ત્યારે તેમણે ટ્વીટ કર્ય હતું 

પ્રામાણીકતાનીથી પરીક્ષા આપે તે ઉમેદવારોની જવાબદારી! 

અન્ય એક ટ્વીટમાં લખ્યું હતુ કે ડમી ઉમેદવાર અટકાવવા માટે  પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે ઉમેદવારની હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવામાં આવશે. આમ પ્રશાસનીક તૈયારીઓ થઈ ગઈ છે, એક વ્યક્તિ કેવી રીતે આખી સિસ્ટમ બદલી શકે એનું ઉદાહરણ પોલીસની ભરતીથી લઈ જુનિયર ક્લાર્કમાં આપણે જોઈ લીધું છે, હવે જવાબદારી એ 8લાખ 64હજાર ઉમેદવારોની છે જેમણે આ પરીક્ષા માટે સંમતીપત્રક ભરી દીધા છે, ગઈ પરીક્ષા કરતા આ આંકડો ડબલ છે અને પડકાર પણ એટલો જ મોટો, જો આ  સાડા આઠ લાખ લોકો પ્રામાણીકતાની સૌગંદ લઈ લે તો તલાટીની પરીક્ષા સફળ થતા કોઈ રોકી નહીં શકે.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.