તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા જાહેર કરાયો હેલ્પલાઈન નંબર! ઉમેદવારોને IPS હસમુખ પટેલ પર છે વિશ્વાસ, પરંતુ પ્રામાણીકતા સાબિત કરવાની હવે જવાબદારી ઉમેદવારોની!


  • Published By :
  • Published Date : 2023-05-04 11:27:15

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોના મનમાં એક જ ભય સતાવે છે કે ક્યાંક પેપર તો નહીં ફુટી જાયને! વર્ષો પછી લેવામાં આવતી પરીક્ષા કેન્સલ તો નહીં કરવામાં આવે. હજારો સપના અને અનેક સંઘર્ષો સાથે નીકળેલો યુવાન જ્યારે રડતી આંખે પાછો જાય તો એના માટે એ જીવનનો સૌથી દુર્ભાગ્યપુર્ણ સમય સાબિત થાય છે. પણ છતાંય એ સરકાર પર ભલે આક્રોશીત હોય મનમાં વિચારે છે કે ચાલો ખોટા માણસો સિસ્ટમમાં જતા અટકી જશે. પરંતુ અનેક વખત સરકાર પર રાખવામાં આવતો ભરોસો તૂટી જતો હોય છે. ત્યારે 7મીમેના રોજ લેવામાં આવતી તલાટીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે.    

AAP's Yuvrajsinh Jadeja held in Gujarat on charges of extorting Rs 1 crore  from dummy candidate scam accused | Ahmedabad News, The Indian Express

ઉમેદવારોને છે આઈપીએસ હસમુખ પટેલ પર વિશ્વાસ!

છેલ્લા થોડા વર્ષોથી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે લાવવામાં સૌથી મહત્વનો ફાળો યુવરાજસિંહનો સાબિત થયો, પણ આ વખતે રાજ્યની ખુબ મોટી પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષાનું આયોજન 7મીમેએ કરવામાં આવ્યું છે, લાખો ઉમેદવારો પોતાના ઘરથી 100-200કિમી દુર સેન્ટર પર જવાના છે... એના થોડા સમય પહેલા જ ડમી કાંડ ખુલીને સામે આવ્યો છે, ઉમેદવારોનો એક નાનો વર્ગ યુવરાજસિંહના સમર્થનમાં એવી આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે બાપુ જેલમાં છે તો પેપરમાં ગેરરીતિ હશે તો પણ સામે નહીં આવે.. જો કે મોટાભાગના લોકોનું માનવું છે કે ભલે અત્યારે યુવરાજસિંહ બહાર નથી તો પણ તલાટીમાં કોઈ ફ્રોડ કરવાની કોશીશ નહીં કરે કેમ કે આ પરીક્ષાનું આયોજન આઈપીએસ હસમુખ પટેલ કરી રહ્યા છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર! 

આ જ કોશીશના ભાગરૂપે હસમુખ પટેલે ટ્વીટરના માધ્યમથી અનેક વખત ઉમેદવારો સુધી પરીક્ષાને લઈ દરેક માહિતી પહોંચાડી છે, જેમાં રહેવાની વ્યવસ્થાથી લઈ ટ્રાન્સપોર્ટમાં કોઈ સ્વાર્થી ના બને અને બમણું ભાડું ના વસુલે એની પણ કોશીશ છે, જો કે સૌથી મહત્વની વાત એ હેલ્પલાઈન નંબરની છે જે એમણે ડમી ઉમેદવારોને ઝડપવા માટે બહાર પાડ્યો છે. ત્યારે તેમણે ટ્વીટ કર્ય હતું 

પ્રામાણીકતાનીથી પરીક્ષા આપે તે ઉમેદવારોની જવાબદારી! 

અન્ય એક ટ્વીટમાં લખ્યું હતુ કે ડમી ઉમેદવાર અટકાવવા માટે  પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે ઉમેદવારની હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી કરવામાં આવશે. આમ પ્રશાસનીક તૈયારીઓ થઈ ગઈ છે, એક વ્યક્તિ કેવી રીતે આખી સિસ્ટમ બદલી શકે એનું ઉદાહરણ પોલીસની ભરતીથી લઈ જુનિયર ક્લાર્કમાં આપણે જોઈ લીધું છે, હવે જવાબદારી એ 8લાખ 64હજાર ઉમેદવારોની છે જેમણે આ પરીક્ષા માટે સંમતીપત્રક ભરી દીધા છે, ગઈ પરીક્ષા કરતા આ આંકડો ડબલ છે અને પડકાર પણ એટલો જ મોટો, જો આ  સાડા આઠ લાખ લોકો પ્રામાણીકતાની સૌગંદ લઈ લે તો તલાટીની પરીક્ષા સફળ થતા કોઈ રોકી નહીં શકે.... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.