વિપક્ષી સાંસદોના suspension મુદ્દે બોલ્યા Hema Malini, કહ્યું બહુ પ્રશ્ન પૂછે છે એટલે તેમને સંસદમાંથી... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-20 09:44:55

સંસદમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય ત્યારે અનેક વખત સાંસદો દ્વારા હંગામો કરવામાં આવતો હોય છે, જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. ત્યારે સંસદમાં થયેલી સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો આક્રામક દેખાયા છે. હંગામો થવાને કારણે લોકસભા તેમજ રાજ્યસભામાંથી અનેક વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિલંબિત થયેલા સાંસદોનો આંકડો 141 પર પહોંચી ગયો છે. નિલંબિત થયેલા સાંસદોને લઈ બોલિવુડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપી છે. હેમા માલિનીએ કહ્યું કે તેઓ પ્રશ્નો ઉઠાવતા રહે છે અને વિચિત્ર વર્તન પ્રદર્શિત કરે છે. તેથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે.   


ગૃહમાં આવી અમિત શાહ જવાબ આપે તેવી ઉઠી માગ  

141 સાંસદોને લોકસભા તેમજ રાજ્યસભામાંથી આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈતિહાસમાં પહેલી વખત એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનેક વખત સંસદની કાર્યવાહી દરમિયાન હંગામો થાય છે પરંતુ આટલા બધા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા. એક સમય હતો જ્યારે મણિપુરમાં થતી હિંસાને લઈ, અદાણી જેવા મુદ્દાઓને લઈ સંસદમાં હોબાળો થતો અને હવે સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. 141 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં વિરોધ કરી રહ્યા છે. ગૃહમાં આવી અમિત શાહ સંસદમાં થયેલા હુમલાને લઈ જવાબ આપે તેવી માગ સાંસદો કરી રહ્યા છે. આ મુદ્દે પ્રધાનમંત્રી પણ મૌન છે. વિપક્ષી સાંસદો અમિત શાહ રાજીનામું આપે તેવી માગ કરી રહ્યા છે.


100થી વધારે સાંસદો સસ્પેન્ડ થવા પર હેમા માલિનીએ આપી પ્રતિક્રિયા   

એક તરફ વિપક્ષી સાંસદો કહી રહ્યા છે કે તેમને સવાલ નથી પૂછવા દેતા. સવાલ ન પૂછે તે માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના સાંસદ અને બોલિવુડ એક્ટર હેમા માલિનીએ 100થી વધારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેઓ પ્રશ્નો ઉઠાવતા રહે છે અને વિચિત્ર વર્તન પ્રદર્શિત કરે છે. તેથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે. સંસદના નિયમો અનુસાર કામ થવું જોઈએ. તેઓ આમ કરતા નથી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં કંઈ ખોટું નથી, આ સાચું છે."

કોંગ્રેસના નેતા રામ મોહન રેડ્ડીએ શેર કર્યો વીડિયો 

હેમા માલિનીના નિવેદન પર કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતાઓએ અભિનેતાની મજાક ઉડાવી અને કહ્યું કે ભાજપના સાંસદે આખરે સાંસદોને સસ્પેન્ડ કરવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું. તેલંગાણા કોંગ્રેસના નેતા સામ રામ મોહન રેડ્ડીએ હેમા માલિનીનો વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું, "છેવટે, ભાજપના સાંસદે કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનું કારણ જાહેર કર્યું છે. મહત્વનું છે કે સંસદમાં જો વિપક્ષી સાંસદો પ્રશ્ન નહીં પૂછે તો કોણ પૂછશે? એક સાંસદ સંસદમાં લાખો લોકોનું પ્રતિનિધીત્વ કરતા હોય છે. એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા લાખો લોકોના પ્રતિનિધીઓને બહાર કાઠ્યા છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે