રાંચીમાં પ્રગટ થયા હેમંત સોરેન, ધારાસભ્યો અને નેતાઓ સાથે કરી મુલાકાત, ગવર્નરે લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-01-30 16:18:09

ઝારખંડના CM હેમંત સોરેન જમીન કૌંભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ આજે ફરી પ્રગટ થતા એજન્સીઓ એક્શનમાં આવી છે. ઈડીની પૂછપરછથી બચતા રહેતા હેમંત સોરેન અચાનક જ ઝારખંડના પાટનગર રાંચી સ્થિત આવાસમાં એન્ટ્રી કરતા સીસીટીવી ફુટજમાં જોવા મળ્યા છે. હેમંત સારેન રાંચીમાં પહોંચતા જ એક્શન મોડમાં આવી ગયા છે.  તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં JMM, કોંગ્રેસ સહિતના ગઠબંધનના ધારાસભ્યો પણ સામેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.


ગવર્નરે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા


હેમંત સોરેન પાટનગર રાંચીમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છિએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવાની આ અંગે જાણકારી માગી છે. ડીજીપી અજય કુમાર સિંહ,ગૃહ સચિવ અને મુખ્ય સચિવ પણ રાજભવન પહોંચ્યા છે. આ દરમિયાન રાંચીના SDMએ મુખ્યમંત્રી નિવાસસ્થાન, રાજભવન અને ઈડી ઓફિસના 100 મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે આજ રાત્રે 10 વાગ્યા સુધી લાગું રહેશે.  


CM ગુમ થયાના પોસ્ટર લાગ્યા


મળતી જાણકારી મુજબ સોમવારે ઈડીએ હેમંત સોરેનના ઘર પર રેડ પાડી હતી. પરંતું હેમંત સોરેન ત્યાં હાજર નહોંતા. જોકે ઈડીએ તેમના ઘરમાં BMW કાર, અને લાખો રૂપિયાની કેસ જપ્ત કરી છે. મંગળવારે ભાજપે રાંચીમાં મુખ્યમંત્રી ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી ઈનામની જાહેરાત કરી હતી.


ક્યારે હાજર થશે હેમંત સોરેન?


ઝારખંડ સીએમ સચિવાલયે ઈડીને મેઈલ કરીને જણાવ્યું કે સીએમ સોરેન 31 જાન્યુઆરીના રોજ ઈડીની સામે હાજર થશે, જો કે મેલમાં એ નથી જણાવ્યું કે હાલ તેઓ ક્યા છે? તે ઉપરાંત સોરેનની ચિઠ્ઠી પણ ઈડીને મોકલવામાં આવી છે, જેમાં ઈડીની કાર્યવાહીને બદઈરાદાપૂર્ણ બતાવવામાં આવી છે.  



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.