રાંચીમાં પ્રગટ થયા હેમંત સોરેન, ધારાસભ્યો અને નેતાઓ સાથે કરી મુલાકાત, ગવર્નરે લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-01-30 16:18:09

ઝારખંડના CM હેમંત સોરેન જમીન કૌંભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ આજે ફરી પ્રગટ થતા એજન્સીઓ એક્શનમાં આવી છે. ઈડીની પૂછપરછથી બચતા રહેતા હેમંત સોરેન અચાનક જ ઝારખંડના પાટનગર રાંચી સ્થિત આવાસમાં એન્ટ્રી કરતા સીસીટીવી ફુટજમાં જોવા મળ્યા છે. હેમંત સારેન રાંચીમાં પહોંચતા જ એક્શન મોડમાં આવી ગયા છે.  તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં JMM, કોંગ્રેસ સહિતના ગઠબંધનના ધારાસભ્યો પણ સામેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.


ગવર્નરે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા


હેમંત સોરેન પાટનગર રાંચીમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છિએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવાની આ અંગે જાણકારી માગી છે. ડીજીપી અજય કુમાર સિંહ,ગૃહ સચિવ અને મુખ્ય સચિવ પણ રાજભવન પહોંચ્યા છે. આ દરમિયાન રાંચીના SDMએ મુખ્યમંત્રી નિવાસસ્થાન, રાજભવન અને ઈડી ઓફિસના 100 મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે આજ રાત્રે 10 વાગ્યા સુધી લાગું રહેશે.  


CM ગુમ થયાના પોસ્ટર લાગ્યા


મળતી જાણકારી મુજબ સોમવારે ઈડીએ હેમંત સોરેનના ઘર પર રેડ પાડી હતી. પરંતું હેમંત સોરેન ત્યાં હાજર નહોંતા. જોકે ઈડીએ તેમના ઘરમાં BMW કાર, અને લાખો રૂપિયાની કેસ જપ્ત કરી છે. મંગળવારે ભાજપે રાંચીમાં મુખ્યમંત્રી ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી ઈનામની જાહેરાત કરી હતી.


ક્યારે હાજર થશે હેમંત સોરેન?


ઝારખંડ સીએમ સચિવાલયે ઈડીને મેઈલ કરીને જણાવ્યું કે સીએમ સોરેન 31 જાન્યુઆરીના રોજ ઈડીની સામે હાજર થશે, જો કે મેલમાં એ નથી જણાવ્યું કે હાલ તેઓ ક્યા છે? તે ઉપરાંત સોરેનની ચિઠ્ઠી પણ ઈડીને મોકલવામાં આવી છે, જેમાં ઈડીની કાર્યવાહીને બદઈરાદાપૂર્ણ બતાવવામાં આવી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.