રાંચીમાં પ્રગટ થયા હેમંત સોરેન, ધારાસભ્યો અને નેતાઓ સાથે કરી મુલાકાત, ગવર્નરે લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-01-30 16:18:09

ઝારખંડના CM હેમંત સોરેન જમીન કૌંભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ આજે ફરી પ્રગટ થતા એજન્સીઓ એક્શનમાં આવી છે. ઈડીની પૂછપરછથી બચતા રહેતા હેમંત સોરેન અચાનક જ ઝારખંડના પાટનગર રાંચી સ્થિત આવાસમાં એન્ટ્રી કરતા સીસીટીવી ફુટજમાં જોવા મળ્યા છે. હેમંત સારેન રાંચીમાં પહોંચતા જ એક્શન મોડમાં આવી ગયા છે.  તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં JMM, કોંગ્રેસ સહિતના ગઠબંધનના ધારાસભ્યો પણ સામેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.


ગવર્નરે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા


હેમંત સોરેન પાટનગર રાંચીમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છિએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવાની આ અંગે જાણકારી માગી છે. ડીજીપી અજય કુમાર સિંહ,ગૃહ સચિવ અને મુખ્ય સચિવ પણ રાજભવન પહોંચ્યા છે. આ દરમિયાન રાંચીના SDMએ મુખ્યમંત્રી નિવાસસ્થાન, રાજભવન અને ઈડી ઓફિસના 100 મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે આજ રાત્રે 10 વાગ્યા સુધી લાગું રહેશે.  


CM ગુમ થયાના પોસ્ટર લાગ્યા


મળતી જાણકારી મુજબ સોમવારે ઈડીએ હેમંત સોરેનના ઘર પર રેડ પાડી હતી. પરંતું હેમંત સોરેન ત્યાં હાજર નહોંતા. જોકે ઈડીએ તેમના ઘરમાં BMW કાર, અને લાખો રૂપિયાની કેસ જપ્ત કરી છે. મંગળવારે ભાજપે રાંચીમાં મુખ્યમંત્રી ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી ઈનામની જાહેરાત કરી હતી.


ક્યારે હાજર થશે હેમંત સોરેન?


ઝારખંડ સીએમ સચિવાલયે ઈડીને મેઈલ કરીને જણાવ્યું કે સીએમ સોરેન 31 જાન્યુઆરીના રોજ ઈડીની સામે હાજર થશે, જો કે મેલમાં એ નથી જણાવ્યું કે હાલ તેઓ ક્યા છે? તે ઉપરાંત સોરેનની ચિઠ્ઠી પણ ઈડીને મોકલવામાં આવી છે, જેમાં ઈડીની કાર્યવાહીને બદઈરાદાપૂર્ણ બતાવવામાં આવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.