Hemanta Biswas Sharmaએ વર્લ્ડ કપ ફાઈનલની 'પનોતી'ને ઈન્દિરા ગાંધી સાથે જોડી! સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-23 12:46:50

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની હાર બાદ આ શબ્દ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો. પનૌતી શબ્દ ટ્રેન્ડિંગમાં ચાલતો હતો. આ શબ્દને લઈ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ શબ્દની ચર્ચા મીડિયામાં ત્યારથી થઈ જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા આ શબ્દનો પ્રયોગ કર્યો. તે બાદ આ મામલે રાજનીતિ પણ ગરમાઈ. રવિશંકર પ્રસાદે તેમજ દિગ્વિજય સિંહે આ મામલે નિવેદન આપ્યું હતું ત્યારે હવે આ મુદ્દામાં આસામના મુખ્યમંત્રીએ પણ ઝંપલાવ્યું છે. 

મેચમાં મળેલી હારને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન 

ફાઈનલ મેચ સમાપ્ત થયે અનેક દિવસો વીતિ ગયા પરંતુ પનોતી શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. રમતના નિષ્ણાતો આ પગલા માટે ટીમ ઈન્ડિયાની નબળાઈઓ અને ઓસ્ટ્રેલિયાની શક્તિઓને જવાબદાર માની રહ્યા છે. પરંતુ રાજનીતિના જાણકાર આને અલગ જ એન્ગલમાં લઈ જવા માગતા હોય તેવું લાગે છે. પનોતી શબ્દ સોશિયલ મીડિયા પર તો ટ્રેન્ડમાં હતું પરંતુ આ શબ્દે રાજનીતિને ગરમાવી છે. જનસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે 'પનૌતી ફાઇનલમાં હારી ગઈ'. તો હવે ભાજપે ટીમની હાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી.   

આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહી આ વાત 

જે દિવસે મેચ હતી તે દિવસે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી. આ વાતને ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ જોડી દીધી. મુખ્યમંત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ હતો, અમે દરેક મેચ જીતતા હતા, પરંતુ ફાઇનલમાં હારી ગયા હતા. પછી મેં આવીને જોયું કે કયો દિવસ હતો, કેમ હારી ગયા? મેં જોયું, વર્લ્ડકપની ફાઈનલનો એ દિવસ હતો જે દિવસે ઈન્દિરા ગાંધીનો પણ જન્મદિવસ હતો. તેથી જ્યારે ઈન્દિરા ગાંધીના જન્મદિવસે વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી, ત્યારે દેશ હારી ગયો હતો." 


મુખ્યમંત્રીએ બીસીસીઆઈને આપી આ સલાહ!

વધુમાં તેમણે કહ્યું કે "હું બીસીસીઆઈને કહેવા માંગુ છું, જ્યારે તમે વર્લ્ડ કપની ફાઈનલ કરો છો, ત્યારે હિસાબ રાખજો. તે દિવસને ગાંધી પરિવાર સાથે જોડાયેલો ન હોવો જોઈએ.નહીં તો દેશ હારી જશે. તમે લોકો પણ જુઓ, જે દિવસે ફાઈનલ થઈ. તમે લોકો પણ ગૂગલ કરો અને જુઓ, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો. એ જ ઈન્દિરા ગાંધી જેણે દેશમાં ઈમરજન્સી લાવી હતી."


પ્રિયંકા ગાંધીએ પણ કર્યા શાબ્દિક પ્રહાર 

તો બીજી તરફ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ આને લઈ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે