Hemanta Biswas Sharmaએ વર્લ્ડ કપ ફાઈનલની 'પનોતી'ને ઈન્દિરા ગાંધી સાથે જોડી! સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-23 12:46:50

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની હાર બાદ આ શબ્દ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો. પનૌતી શબ્દ ટ્રેન્ડિંગમાં ચાલતો હતો. આ શબ્દને લઈ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ શબ્દની ચર્ચા મીડિયામાં ત્યારથી થઈ જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા આ શબ્દનો પ્રયોગ કર્યો. તે બાદ આ મામલે રાજનીતિ પણ ગરમાઈ. રવિશંકર પ્રસાદે તેમજ દિગ્વિજય સિંહે આ મામલે નિવેદન આપ્યું હતું ત્યારે હવે આ મુદ્દામાં આસામના મુખ્યમંત્રીએ પણ ઝંપલાવ્યું છે. 

મેચમાં મળેલી હારને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન 

ફાઈનલ મેચ સમાપ્ત થયે અનેક દિવસો વીતિ ગયા પરંતુ પનોતી શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. રમતના નિષ્ણાતો આ પગલા માટે ટીમ ઈન્ડિયાની નબળાઈઓ અને ઓસ્ટ્રેલિયાની શક્તિઓને જવાબદાર માની રહ્યા છે. પરંતુ રાજનીતિના જાણકાર આને અલગ જ એન્ગલમાં લઈ જવા માગતા હોય તેવું લાગે છે. પનોતી શબ્દ સોશિયલ મીડિયા પર તો ટ્રેન્ડમાં હતું પરંતુ આ શબ્દે રાજનીતિને ગરમાવી છે. જનસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે 'પનૌતી ફાઇનલમાં હારી ગઈ'. તો હવે ભાજપે ટીમની હાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી.   

આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહી આ વાત 

જે દિવસે મેચ હતી તે દિવસે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી. આ વાતને ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ જોડી દીધી. મુખ્યમંત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ હતો, અમે દરેક મેચ જીતતા હતા, પરંતુ ફાઇનલમાં હારી ગયા હતા. પછી મેં આવીને જોયું કે કયો દિવસ હતો, કેમ હારી ગયા? મેં જોયું, વર્લ્ડકપની ફાઈનલનો એ દિવસ હતો જે દિવસે ઈન્દિરા ગાંધીનો પણ જન્મદિવસ હતો. તેથી જ્યારે ઈન્દિરા ગાંધીના જન્મદિવસે વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી, ત્યારે દેશ હારી ગયો હતો." 


મુખ્યમંત્રીએ બીસીસીઆઈને આપી આ સલાહ!

વધુમાં તેમણે કહ્યું કે "હું બીસીસીઆઈને કહેવા માંગુ છું, જ્યારે તમે વર્લ્ડ કપની ફાઈનલ કરો છો, ત્યારે હિસાબ રાખજો. તે દિવસને ગાંધી પરિવાર સાથે જોડાયેલો ન હોવો જોઈએ.નહીં તો દેશ હારી જશે. તમે લોકો પણ જુઓ, જે દિવસે ફાઈનલ થઈ. તમે લોકો પણ ગૂગલ કરો અને જુઓ, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો. એ જ ઈન્દિરા ગાંધી જેણે દેશમાં ઈમરજન્સી લાવી હતી."


પ્રિયંકા ગાંધીએ પણ કર્યા શાબ્દિક પ્રહાર 

તો બીજી તરફ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ આને લઈ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.