Hero MotoCorpના પવન મુંજાલના નિવાસસ્થાન પર EDના દરોડા, કંપનીના શેર 3 ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-01 16:45:40

હીરો મોટો કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રીગ નિવારણ કાયદાની (PMLA) જોગવાઈઓ હેઠળ  EDએ પવન મુંજાલના ગુરૂગ્રામ સ્થિત નિવાસસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કથિત રીતે મુંજાલના એક નજીકના વ્યક્તિ પર ડીઆરઆઈની ફરિયાદ મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે. પવન મુંજાલના વિશ્વાસુ વ્યક્તિ પર અઘોષિત વિદેશી ચલણ રાખવાનો આરોપ છે.    


કોણ છે પવન મુંજાલ?


પવનકાંત મુંજાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે, અને મોટર સાયકલ અને સ્કૂટરની દુનિયામાં સૌથી મોટી કંપની હીરો મોટો કોર્પના સીઈઓ છે. મે 2022 સુધી તેમની પ્રોપર્ટી 3.4 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે કરચોરીની તપાસ હેઠળ મુંજાલના નિવાસસ્થાન અને દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટો કોર્પની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.


હીરો મોટો કોર્પનો શેર 3 ટકા તુટ્યો


પવન મુંજાલના ઘર પર  EDના દરોડા બાદ હીરો મોટો કોર્પના શેરનો મોટો ઝટકો લાગ્યો છે, શેરની કિંમત 3 ટકા ઘટીને 3,106.20 રૂપિયા પર આવી ગયો છે. હીરો મોટો કોર્પ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાહનો વેચવાના મામલે વર્ષ 2001માં દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની હતી, અને સતત 20 વર્ષથી તે ટોપ પર છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના 40 દેશોમાં હાજરી ધરાવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.