Hero MotoCorpના પવન મુંજાલના નિવાસસ્થાન પર EDના દરોડા, કંપનીના શેર 3 ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-01 16:45:40

હીરો મોટો કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રીગ નિવારણ કાયદાની (PMLA) જોગવાઈઓ હેઠળ  EDએ પવન મુંજાલના ગુરૂગ્રામ સ્થિત નિવાસસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કથિત રીતે મુંજાલના એક નજીકના વ્યક્તિ પર ડીઆરઆઈની ફરિયાદ મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે. પવન મુંજાલના વિશ્વાસુ વ્યક્તિ પર અઘોષિત વિદેશી ચલણ રાખવાનો આરોપ છે.    


કોણ છે પવન મુંજાલ?


પવનકાંત મુંજાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે, અને મોટર સાયકલ અને સ્કૂટરની દુનિયામાં સૌથી મોટી કંપની હીરો મોટો કોર્પના સીઈઓ છે. મે 2022 સુધી તેમની પ્રોપર્ટી 3.4 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે કરચોરીની તપાસ હેઠળ મુંજાલના નિવાસસ્થાન અને દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટો કોર્પની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.


હીરો મોટો કોર્પનો શેર 3 ટકા તુટ્યો


પવન મુંજાલના ઘર પર  EDના દરોડા બાદ હીરો મોટો કોર્પના શેરનો મોટો ઝટકો લાગ્યો છે, શેરની કિંમત 3 ટકા ઘટીને 3,106.20 રૂપિયા પર આવી ગયો છે. હીરો મોટો કોર્પ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાહનો વેચવાના મામલે વર્ષ 2001માં દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની હતી, અને સતત 20 વર્ષથી તે ટોપ પર છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના 40 દેશોમાં હાજરી ધરાવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.