Hero MotoCorpના પવન મુંજાલના નિવાસસ્થાન પર EDના દરોડા, કંપનીના શેર 3 ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-01 16:45:40

હીરો મોટો કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રીગ નિવારણ કાયદાની (PMLA) જોગવાઈઓ હેઠળ  EDએ પવન મુંજાલના ગુરૂગ્રામ સ્થિત નિવાસસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કથિત રીતે મુંજાલના એક નજીકના વ્યક્તિ પર ડીઆરઆઈની ફરિયાદ મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે. પવન મુંજાલના વિશ્વાસુ વ્યક્તિ પર અઘોષિત વિદેશી ચલણ રાખવાનો આરોપ છે.    


કોણ છે પવન મુંજાલ?


પવનકાંત મુંજાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે, અને મોટર સાયકલ અને સ્કૂટરની દુનિયામાં સૌથી મોટી કંપની હીરો મોટો કોર્પના સીઈઓ છે. મે 2022 સુધી તેમની પ્રોપર્ટી 3.4 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે કરચોરીની તપાસ હેઠળ મુંજાલના નિવાસસ્થાન અને દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટો કોર્પની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.


હીરો મોટો કોર્પનો શેર 3 ટકા તુટ્યો


પવન મુંજાલના ઘર પર  EDના દરોડા બાદ હીરો મોટો કોર્પના શેરનો મોટો ઝટકો લાગ્યો છે, શેરની કિંમત 3 ટકા ઘટીને 3,106.20 રૂપિયા પર આવી ગયો છે. હીરો મોટો કોર્પ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાહનો વેચવાના મામલે વર્ષ 2001માં દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની હતી, અને સતત 20 વર્ષથી તે ટોપ પર છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના 40 દેશોમાં હાજરી ધરાવે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .