રામ મંદિર આંદોલનની નાયિકાઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી બની ભાવુક, જાણો તેમના યોગદાન અંગે


  • Published By :
  • Published Date : 2024-01-22 16:52:20

અયોધ્યાાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાં રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા લોકોનો પણ સમાવેશ થતો હતો. જેમાં બે સાધ્વીઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ત્યાં પહોંચી હતી.બંને સાધ્વીઓનું વર્ષો જુનુ સપનુ સાકાર થતાં ભાવુક થઈ ગઈ હતી. બંનેની ભીની આંખો જોઈએ માહોલ ગમગીન બની ગયો હતો.


ઉમા ભારતી અને ઋતંભરાનું મોટું યોગદાન 


રામ મંદિર આંદોલનમાં ઉમા ભારતી અને ઋતુંભરાનું મોટું યોગદાન રહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં લાખો કાર સેવકો પહોંચ્યા હતા તેમના પર ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો જબરદસ્ત પ્રભાવ હતો. ઉમા ભારતીએ તે સમયે કારસેવકોને કહ્યું કે કામ હજુ પૂરૂ થયું નથી. જ્યાં સુધી કામ પૂરૂ ન થાય પરિસર ના છોડો. આખો વિસ્તાર સમતળ કરવાનો છે. કાર સેવકોને ઉશ્કેરવામાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને આચાર્ય ધર્મેન્દ્રની ભૂમિકા ખાસ હતી. વર્ષ 1992ની કારસેવામાં ઉમા ભારતીએ બે નારા આપ્યા હતા, 'રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ', જ્યારે બીજો નારો હતો 'એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો' આ બંને નારા કારસેવકોના પ્રાણ વાયુ બની ગયા હતા.  


બંનેના ભાષણોએ માહોલ બનાવ્યો


રામ મંદિર આંદોલન વખતે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાના ભાષણોએ માહોલ બનાવ્યો હતો. બંને નેતાઓના ભાષણોની ઓડિયો કેસેટ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો ગુપ્ત રીતે આ કેસેટો લોકો સુધી પહોંચાડતા હતા. તેમના ભાષણોનો એવો પ્રભાવ હતો કે સાંભળીને લોકો ઉશ્કેરાઈ જતા હતા. તેમના ભાષણોએ જ લાખો હિંદુઓને ભગવાન રામ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. લોકોમાં રામ મંદિર નિર્માણને લઈ એક અલગ જ ભાવના પેદા થઈ હતી. આજે જ્યારે  બંને અયોધ્યા પહોંચી તો તેમની આંખોમાં સંકલ્પ સિધ્ધીની ખુશી છલકાઈ હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.