રામ મંદિર આંદોલનની નાયિકાઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી બની ભાવુક, જાણો તેમના યોગદાન અંગે


  • Published By :
  • Published Date : 2024-01-22 16:52:20

અયોધ્યાાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાં રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા લોકોનો પણ સમાવેશ થતો હતો. જેમાં બે સાધ્વીઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ત્યાં પહોંચી હતી.બંને સાધ્વીઓનું વર્ષો જુનુ સપનુ સાકાર થતાં ભાવુક થઈ ગઈ હતી. બંનેની ભીની આંખો જોઈએ માહોલ ગમગીન બની ગયો હતો.


ઉમા ભારતી અને ઋતંભરાનું મોટું યોગદાન 


રામ મંદિર આંદોલનમાં ઉમા ભારતી અને ઋતુંભરાનું મોટું યોગદાન રહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં લાખો કાર સેવકો પહોંચ્યા હતા તેમના પર ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો જબરદસ્ત પ્રભાવ હતો. ઉમા ભારતીએ તે સમયે કારસેવકોને કહ્યું કે કામ હજુ પૂરૂ થયું નથી. જ્યાં સુધી કામ પૂરૂ ન થાય પરિસર ના છોડો. આખો વિસ્તાર સમતળ કરવાનો છે. કાર સેવકોને ઉશ્કેરવામાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને આચાર્ય ધર્મેન્દ્રની ભૂમિકા ખાસ હતી. વર્ષ 1992ની કારસેવામાં ઉમા ભારતીએ બે નારા આપ્યા હતા, 'રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ', જ્યારે બીજો નારો હતો 'એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો' આ બંને નારા કારસેવકોના પ્રાણ વાયુ બની ગયા હતા.  


બંનેના ભાષણોએ માહોલ બનાવ્યો


રામ મંદિર આંદોલન વખતે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાના ભાષણોએ માહોલ બનાવ્યો હતો. બંને નેતાઓના ભાષણોની ઓડિયો કેસેટ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો ગુપ્ત રીતે આ કેસેટો લોકો સુધી પહોંચાડતા હતા. તેમના ભાષણોનો એવો પ્રભાવ હતો કે સાંભળીને લોકો ઉશ્કેરાઈ જતા હતા. તેમના ભાષણોએ જ લાખો હિંદુઓને ભગવાન રામ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. લોકોમાં રામ મંદિર નિર્માણને લઈ એક અલગ જ ભાવના પેદા થઈ હતી. આજે જ્યારે  બંને અયોધ્યા પહોંચી તો તેમની આંખોમાં સંકલ્પ સિધ્ધીની ખુશી છલકાઈ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.