રામ મંદિર આંદોલનની નાયિકાઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી બની ભાવુક, જાણો તેમના યોગદાન અંગે


  • Published By :
  • Published Date : 2024-01-22 16:52:20

અયોધ્યાાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાં રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા લોકોનો પણ સમાવેશ થતો હતો. જેમાં બે સાધ્વીઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ત્યાં પહોંચી હતી.બંને સાધ્વીઓનું વર્ષો જુનુ સપનુ સાકાર થતાં ભાવુક થઈ ગઈ હતી. બંનેની ભીની આંખો જોઈએ માહોલ ગમગીન બની ગયો હતો.


ઉમા ભારતી અને ઋતંભરાનું મોટું યોગદાન 


રામ મંદિર આંદોલનમાં ઉમા ભારતી અને ઋતુંભરાનું મોટું યોગદાન રહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં લાખો કાર સેવકો પહોંચ્યા હતા તેમના પર ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો જબરદસ્ત પ્રભાવ હતો. ઉમા ભારતીએ તે સમયે કારસેવકોને કહ્યું કે કામ હજુ પૂરૂ થયું નથી. જ્યાં સુધી કામ પૂરૂ ન થાય પરિસર ના છોડો. આખો વિસ્તાર સમતળ કરવાનો છે. કાર સેવકોને ઉશ્કેરવામાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને આચાર્ય ધર્મેન્દ્રની ભૂમિકા ખાસ હતી. વર્ષ 1992ની કારસેવામાં ઉમા ભારતીએ બે નારા આપ્યા હતા, 'રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ', જ્યારે બીજો નારો હતો 'એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો' આ બંને નારા કારસેવકોના પ્રાણ વાયુ બની ગયા હતા.  


બંનેના ભાષણોએ માહોલ બનાવ્યો


રામ મંદિર આંદોલન વખતે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાના ભાષણોએ માહોલ બનાવ્યો હતો. બંને નેતાઓના ભાષણોની ઓડિયો કેસેટ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો ગુપ્ત રીતે આ કેસેટો લોકો સુધી પહોંચાડતા હતા. તેમના ભાષણોનો એવો પ્રભાવ હતો કે સાંભળીને લોકો ઉશ્કેરાઈ જતા હતા. તેમના ભાષણોએ જ લાખો હિંદુઓને ભગવાન રામ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. લોકોમાં રામ મંદિર નિર્માણને લઈ એક અલગ જ ભાવના પેદા થઈ હતી. આજે જ્યારે  બંને અયોધ્યા પહોંચી તો તેમની આંખોમાં સંકલ્પ સિધ્ધીની ખુશી છલકાઈ હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે