મોરબી હોનારતને લઈ હાઈકોર્ટે કર્યો વચગાળાનું વળતર ચૂકવાનો આદેશ, જયસુખ પટેલ મૃતકોને ચૂકવશે 10 લાખ રુપિયા


  • Published By :
  • Published Date : 2023-02-22 14:58:11

દિવાળી સમયે મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. મોરબી ઝૂલતા પુલમાં બનેલી હોનારતને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે આ મામલાને લઈ હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.


જયસુખ પટેલે મૃતકોના પરિવારને ચૂકવવા પડશે 10 લાખ  

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. અનેક પરિવાર આ ઘટના બાદ વિખેરાઈ ગયા હતા. ત્યારે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવા આદેશ કરાયો છે.


કોર્ટે મોરબી નગરપાલિકાને પૂછ્યા અનેક પ્રશ્ન  

કોર્ટે મોરબી પાલિકાની ઝાટકણી કાઢી છે. પાલિકાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાં વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મૂજબ પગલાં લેવાયા? પુલનો કોન્ટ્રાક્ટ 2017માં પૂર્ણ થઈ ગયો હતો જે બાદ નવા ટેન્ડર માટે પ્રોસેસ કરવામાં આવી? પુલની ફિટનેસ સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની હતી? 2008 પછી એમઓયુ રિન્યુ ન થયા તો કઈ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઈ? મોરબી નગરપાકિલાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા?


અનેક પરિવારો પહોંચ્યા હતા હાઈકોર્ટ   

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ગુજરાત હાઈકોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમને ન્યાય મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ગંભીર દેખાઈ હતી. આજે કોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.