મોરબી હોનારતને લઈ હાઈકોર્ટે કર્યો વચગાળાનું વળતર ચૂકવાનો આદેશ, જયસુખ પટેલ મૃતકોને ચૂકવશે 10 લાખ રુપિયા


  • Published By :
  • Published Date : 2023-02-22 14:58:11

દિવાળી સમયે મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. મોરબી ઝૂલતા પુલમાં બનેલી હોનારતને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે આ મામલાને લઈ હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.


જયસુખ પટેલે મૃતકોના પરિવારને ચૂકવવા પડશે 10 લાખ  

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. અનેક પરિવાર આ ઘટના બાદ વિખેરાઈ ગયા હતા. ત્યારે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવા આદેશ કરાયો છે.


કોર્ટે મોરબી નગરપાલિકાને પૂછ્યા અનેક પ્રશ્ન  

કોર્ટે મોરબી પાલિકાની ઝાટકણી કાઢી છે. પાલિકાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાં વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મૂજબ પગલાં લેવાયા? પુલનો કોન્ટ્રાક્ટ 2017માં પૂર્ણ થઈ ગયો હતો જે બાદ નવા ટેન્ડર માટે પ્રોસેસ કરવામાં આવી? પુલની ફિટનેસ સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની હતી? 2008 પછી એમઓયુ રિન્યુ ન થયા તો કઈ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઈ? મોરબી નગરપાકિલાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા?


અનેક પરિવારો પહોંચ્યા હતા હાઈકોર્ટ   

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ગુજરાત હાઈકોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમને ન્યાય મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ગંભીર દેખાઈ હતી. આજે કોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.