મોરબી હોનારતને લઈ હાઈકોર્ટે કર્યો વચગાળાનું વળતર ચૂકવાનો આદેશ, જયસુખ પટેલ મૃતકોને ચૂકવશે 10 લાખ રુપિયા


  • Published By :
  • Published Date : 2023-02-22 14:58:11

દિવાળી સમયે મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. મોરબી ઝૂલતા પુલમાં બનેલી હોનારતને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે આ મામલાને લઈ હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.


જયસુખ પટેલે મૃતકોના પરિવારને ચૂકવવા પડશે 10 લાખ  

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. અનેક પરિવાર આ ઘટના બાદ વિખેરાઈ ગયા હતા. ત્યારે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવા આદેશ કરાયો છે.


કોર્ટે મોરબી નગરપાલિકાને પૂછ્યા અનેક પ્રશ્ન  

કોર્ટે મોરબી પાલિકાની ઝાટકણી કાઢી છે. પાલિકાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાં વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મૂજબ પગલાં લેવાયા? પુલનો કોન્ટ્રાક્ટ 2017માં પૂર્ણ થઈ ગયો હતો જે બાદ નવા ટેન્ડર માટે પ્રોસેસ કરવામાં આવી? પુલની ફિટનેસ સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની હતી? 2008 પછી એમઓયુ રિન્યુ ન થયા તો કઈ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઈ? મોરબી નગરપાકિલાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા?


અનેક પરિવારો પહોંચ્યા હતા હાઈકોર્ટ   

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ગુજરાત હાઈકોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમને ન્યાય મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ગંભીર દેખાઈ હતી. આજે કોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.