Hariyanaમાં ચાલતી બુલડોઝર કાર્યવાહીને રોકવા HighCourtનો આદેશ, જાણો હજી સુધી કેટલી સંપત્તિ પર ફેરવાયું છે બુલડોઝર?


  • Published By :
  • Published Date : 2023-08-07 15:12:39

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ફાટી નિકળેલી હિંસા ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મણિપુરમાં અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. હિંસાએ અનેક લોકોનો ભોગ લીધો હતો. એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો હરિયાણામાં હિંસા ભડકી ઉઠી છે. ત્યારે હરિયાણામાં હિંસાને શાંત કરવા માટે ઉત્તરપ્રદેશમાં અપનાવાતું મોડલ એટલે કે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા સરકારની બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટનો આદેશ મળતાની  સાથે જ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહીને રોકી દેવામાં આવી છે.


હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર લગાવી રોક

થોડા દિવસો પહેલા હરિયાણામાં ફાટી નીકળેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. વાતાવરણને શાંત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી પરંતુ ત્યાં વાતાવરણ હજી અશાંત જ છે. આ બધા વચ્ચે હરિયાણાની સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એટલે કે નૂંહમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 37 જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવી છે અને 57.5 એકર જેટલી જમીનને ખાલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 162 કાયમી અને 591 હંગામી બાંધકામો હતા જે તોડી પાડવામાં આવ્યા છે. બુલડોઝરની કાર્યવાહી ન માત્ર નૂંહમાં પરંતુ પુન્હાના, ફિરોઝપુર, ઝિરકા સહિતના શહેરોમાં પણ કરવામાં આવી હતી. 


પરિસ્થિતિને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને હળવા કરાયા

હરિયાણામાં કરવામાં આવી રહેલી હિંસા બાદ હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે સ્વયં આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે અને આ કાર્યવાહીને રોકવા માટે આદેશ આપ્યો છે. હરિયાણાના નૂંહમાં રાખવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરી દેવાયા છે. સોમવારે વહીવટીતંત્ર સરકારી ઓફિસો, બેંક-એટીએમને ખોલવાની થોડા કલાકો માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત કર્ફ્યુમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હરિયાણામાં ફાટી નિકળેલી હિંસાને કારણે અનેક રાજ્યોમાં માહોલ તંગ થઈ ગયું હતું. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .