Hariyanaમાં ચાલતી બુલડોઝર કાર્યવાહીને રોકવા HighCourtનો આદેશ, જાણો હજી સુધી કેટલી સંપત્તિ પર ફેરવાયું છે બુલડોઝર?


  • Published By :
  • Published Date : 2023-08-07 15:12:39

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ફાટી નિકળેલી હિંસા ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મણિપુરમાં અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. હિંસાએ અનેક લોકોનો ભોગ લીધો હતો. એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો હરિયાણામાં હિંસા ભડકી ઉઠી છે. ત્યારે હરિયાણામાં હિંસાને શાંત કરવા માટે ઉત્તરપ્રદેશમાં અપનાવાતું મોડલ એટલે કે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા સરકારની બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટનો આદેશ મળતાની  સાથે જ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહીને રોકી દેવામાં આવી છે.


હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર લગાવી રોક

થોડા દિવસો પહેલા હરિયાણામાં ફાટી નીકળેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. વાતાવરણને શાંત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી પરંતુ ત્યાં વાતાવરણ હજી અશાંત જ છે. આ બધા વચ્ચે હરિયાણાની સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એટલે કે નૂંહમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 37 જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવી છે અને 57.5 એકર જેટલી જમીનને ખાલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 162 કાયમી અને 591 હંગામી બાંધકામો હતા જે તોડી પાડવામાં આવ્યા છે. બુલડોઝરની કાર્યવાહી ન માત્ર નૂંહમાં પરંતુ પુન્હાના, ફિરોઝપુર, ઝિરકા સહિતના શહેરોમાં પણ કરવામાં આવી હતી. 


પરિસ્થિતિને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને હળવા કરાયા

હરિયાણામાં કરવામાં આવી રહેલી હિંસા બાદ હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે સ્વયં આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે અને આ કાર્યવાહીને રોકવા માટે આદેશ આપ્યો છે. હરિયાણાના નૂંહમાં રાખવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરી દેવાયા છે. સોમવારે વહીવટીતંત્ર સરકારી ઓફિસો, બેંક-એટીએમને ખોલવાની થોડા કલાકો માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત કર્ફ્યુમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હરિયાણામાં ફાટી નિકળેલી હિંસાને કારણે અનેક રાજ્યોમાં માહોલ તંગ થઈ ગયું હતું. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.