Hariyanaમાં ચાલતી બુલડોઝર કાર્યવાહીને રોકવા HighCourtનો આદેશ, જાણો હજી સુધી કેટલી સંપત્તિ પર ફેરવાયું છે બુલડોઝર?


  • Published By :
  • Published Date : 2023-08-07 15:12:39

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ફાટી નિકળેલી હિંસા ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મણિપુરમાં અનેક મહિનાઓથી સળગી રહ્યું છે. હિંસાએ અનેક લોકોનો ભોગ લીધો હતો. એક તરફ મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ ત્યારે તો હરિયાણામાં હિંસા ભડકી ઉઠી છે. ત્યારે હરિયાણામાં હિંસાને શાંત કરવા માટે ઉત્તરપ્રદેશમાં અપનાવાતું મોડલ એટલે કે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા સરકારની બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટનો આદેશ મળતાની  સાથે જ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહીને રોકી દેવામાં આવી છે.


હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર લગાવી રોક

થોડા દિવસો પહેલા હરિયાણામાં ફાટી નીકળેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. વાતાવરણને શાંત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી પરંતુ ત્યાં વાતાવરણ હજી અશાંત જ છે. આ બધા વચ્ચે હરિયાણાની સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એટલે કે નૂંહમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 37 જગ્યાઓએ કાર્યવાહી કરવામાં આવી છે અને 57.5 એકર જેટલી જમીનને ખાલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 162 કાયમી અને 591 હંગામી બાંધકામો હતા જે તોડી પાડવામાં આવ્યા છે. બુલડોઝરની કાર્યવાહી ન માત્ર નૂંહમાં પરંતુ પુન્હાના, ફિરોઝપુર, ઝિરકા સહિતના શહેરોમાં પણ કરવામાં આવી હતી. 


પરિસ્થિતિને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને હળવા કરાયા

હરિયાણામાં કરવામાં આવી રહેલી હિંસા બાદ હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે સ્વયં આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે અને આ કાર્યવાહીને રોકવા માટે આદેશ આપ્યો છે. હરિયાણાના નૂંહમાં રાખવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરી દેવાયા છે. સોમવારે વહીવટીતંત્ર સરકારી ઓફિસો, બેંક-એટીએમને ખોલવાની થોડા કલાકો માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત કર્ફ્યુમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હરિયાણામાં ફાટી નિકળેલી હિંસાને કારણે અનેક રાજ્યોમાં માહોલ તંગ થઈ ગયું હતું. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.