Vadodara Tragedy પર હાઇકોર્ટનું આકરું વલણ! સરકારે Morbi દુર્ઘટનાનું સોગંદનામું Copy Paste કર્યું તો હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી! જાણો


  • Published By :
  • Published Date : 2024-01-30 14:39:20

કોઈ પણ દુર્ઘટના થાય એટલે પરિવારના આંસુ કોપી પેસ્ટ હોય છે અમારું જર્નાલિસઝમ અમારા એન્કર અમારા સવાલો કોપીપેસ્ટ હોય છે એના એજ રડવાના અવાજો, એના એ જ મરસ્યાં એની એ જ વાતો એના એજ સરકારના જવાબો અને સરકારી તંત્રના મગરના આંસુ બધુ કોપી પેસ્ટ હોય છે. પણ એક વસ્તુ જે કોપી પેસ્ટ નથી હોતી એ છે એ લોકોની પીડા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે. એમના જીવનમાં કઈ કોપી પેસ્ટ નથી. એ લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આવું કઈ થશે પણ. આપણા માટે દુર્ભાગ્ય એ છે કે સરકારે જે સોગંદનામું મૂકવાનું હતું એમ એમને મોરબીની દુર્ઘટનાનું સોગાદનામું લીધું અને એ હદે કોપીપેસ્ટ કર્યું કે નદીની બદલીમાં તળાવ લખવાનું પણ ભૂલી ગયા. સરકારો કેટલી હદે અસંવેદનશીલ છે આનાથી મોટો કોઈ પુરાવો ન હોય શકે.

સુનાવણી દરમિયાન સરકારની કોર્ટે કાઢી ઝાટકણી! 

વડોદરા હરણી તળાવ દુર્ઘટના જેમાં 12 માસૂમ બાળકોના મૃત્યુ થયા બે શિક્ષકોના મૃત્યુ થયા એ કેસમાં હવે હાઇકોર્ટે લાલ આંખ કરી અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં ગઈકાલે સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો છે. ગઈકાલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટરને ઘણા આકરા સવાલો કર્યા હતા. 


હાઈકોર્ટે કહ્યું કે...

ઉધડો લેતા કહ્યું કે શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે...? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..?  કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. બનાવ બન્યો પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઇ રસ નથી પરંતુ બનાવ બન્યો તે પહેલાં ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો વીએમસીએ કરવો પડશે.  


સરકારને મહત્વનો નિર્દેશ કર્યો

હાઈકોર્ટે આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવી જોઇએ તેવી વાત પણ સરકારને સૂચવી હતી. હાઇકોર્ટે બાળકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યકત કરી રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. 


નદીના બદલે તળાવ શબ્દ લખવાનું પણ સરકાર ભૂલી ગઈ!

આનાથી પણ ભયંકર વાત એ સામે આવી છે કે સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ મોરબી કેસનું જ સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. હવે સત્તાવાળા પાસે શું અપેક્ષા રાખીએ એમને તો આદત છે ઘટનાઓના સોગંદનામું કોપી પેસ્ટ કરવાની. કારણ કે ઘટનાઓ રિપીટ પર ચાલે જ જાય છે. 


મળતીયાઓને બચાવવા માટે કરવામાં આવે છે પ્રયાસ!

આ સમગ્ર કેસમાં સરકારના મળતીયાઓ અને સાંઠગાંઠ ધરાવતા લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પણ ખેર આ સરકારથી હવે અપેક્ષા પણ શું રાખવી? જે લોકોને આ દુર્ઘટનાઓ દુર્ઘટના માત્ર લાગે છે. કોઈની બેદરકારી લાગે છે અને છેલ્લે માત્ર કોના ખભા પર બંદૂક ફોડવી આ કેસ કોના માથે નાખવો એનાથી વધારે કશું નથી હોતું. હવે પણ આટલું થાય બધી આંખો ના ઊઘડે તો શરમ આવવી જોઈએ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.