Vadodara Tragedy પર હાઇકોર્ટનું આકરું વલણ! સરકારે Morbi દુર્ઘટનાનું સોગંદનામું Copy Paste કર્યું તો હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી! જાણો


  • Published By :
  • Published Date : 2024-01-30 14:39:20

કોઈ પણ દુર્ઘટના થાય એટલે પરિવારના આંસુ કોપી પેસ્ટ હોય છે અમારું જર્નાલિસઝમ અમારા એન્કર અમારા સવાલો કોપીપેસ્ટ હોય છે એના એજ રડવાના અવાજો, એના એ જ મરસ્યાં એની એ જ વાતો એના એજ સરકારના જવાબો અને સરકારી તંત્રના મગરના આંસુ બધુ કોપી પેસ્ટ હોય છે. પણ એક વસ્તુ જે કોપી પેસ્ટ નથી હોતી એ છે એ લોકોની પીડા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે. એમના જીવનમાં કઈ કોપી પેસ્ટ નથી. એ લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આવું કઈ થશે પણ. આપણા માટે દુર્ભાગ્ય એ છે કે સરકારે જે સોગંદનામું મૂકવાનું હતું એમ એમને મોરબીની દુર્ઘટનાનું સોગાદનામું લીધું અને એ હદે કોપીપેસ્ટ કર્યું કે નદીની બદલીમાં તળાવ લખવાનું પણ ભૂલી ગયા. સરકારો કેટલી હદે અસંવેદનશીલ છે આનાથી મોટો કોઈ પુરાવો ન હોય શકે.

સુનાવણી દરમિયાન સરકારની કોર્ટે કાઢી ઝાટકણી! 

વડોદરા હરણી તળાવ દુર્ઘટના જેમાં 12 માસૂમ બાળકોના મૃત્યુ થયા બે શિક્ષકોના મૃત્યુ થયા એ કેસમાં હવે હાઇકોર્ટે લાલ આંખ કરી અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં ગઈકાલે સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો છે. ગઈકાલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટરને ઘણા આકરા સવાલો કર્યા હતા. 


હાઈકોર્ટે કહ્યું કે...

ઉધડો લેતા કહ્યું કે શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે...? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..?  કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. બનાવ બન્યો પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઇ રસ નથી પરંતુ બનાવ બન્યો તે પહેલાં ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો વીએમસીએ કરવો પડશે.  


સરકારને મહત્વનો નિર્દેશ કર્યો

હાઈકોર્ટે આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવી જોઇએ તેવી વાત પણ સરકારને સૂચવી હતી. હાઇકોર્ટે બાળકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યકત કરી રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. 


નદીના બદલે તળાવ શબ્દ લખવાનું પણ સરકાર ભૂલી ગઈ!

આનાથી પણ ભયંકર વાત એ સામે આવી છે કે સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ મોરબી કેસનું જ સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. હવે સત્તાવાળા પાસે શું અપેક્ષા રાખીએ એમને તો આદત છે ઘટનાઓના સોગંદનામું કોપી પેસ્ટ કરવાની. કારણ કે ઘટનાઓ રિપીટ પર ચાલે જ જાય છે. 


મળતીયાઓને બચાવવા માટે કરવામાં આવે છે પ્રયાસ!

આ સમગ્ર કેસમાં સરકારના મળતીયાઓ અને સાંઠગાંઠ ધરાવતા લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પણ ખેર આ સરકારથી હવે અપેક્ષા પણ શું રાખવી? જે લોકોને આ દુર્ઘટનાઓ દુર્ઘટના માત્ર લાગે છે. કોઈની બેદરકારી લાગે છે અને છેલ્લે માત્ર કોના ખભા પર બંદૂક ફોડવી આ કેસ કોના માથે નાખવો એનાથી વધારે કશું નથી હોતું. હવે પણ આટલું થાય બધી આંખો ના ઊઘડે તો શરમ આવવી જોઈએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.