Vadodara Tragedy પર હાઇકોર્ટનું આકરું વલણ! સરકારે Morbi દુર્ઘટનાનું સોગંદનામું Copy Paste કર્યું તો હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી! જાણો


  • Published By :
  • Published Date : 2024-01-30 14:39:20

કોઈ પણ દુર્ઘટના થાય એટલે પરિવારના આંસુ કોપી પેસ્ટ હોય છે અમારું જર્નાલિસઝમ અમારા એન્કર અમારા સવાલો કોપીપેસ્ટ હોય છે એના એજ રડવાના અવાજો, એના એ જ મરસ્યાં એની એ જ વાતો એના એજ સરકારના જવાબો અને સરકારી તંત્રના મગરના આંસુ બધુ કોપી પેસ્ટ હોય છે. પણ એક વસ્તુ જે કોપી પેસ્ટ નથી હોતી એ છે એ લોકોની પીડા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે. એમના જીવનમાં કઈ કોપી પેસ્ટ નથી. એ લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આવું કઈ થશે પણ. આપણા માટે દુર્ભાગ્ય એ છે કે સરકારે જે સોગંદનામું મૂકવાનું હતું એમ એમને મોરબીની દુર્ઘટનાનું સોગાદનામું લીધું અને એ હદે કોપીપેસ્ટ કર્યું કે નદીની બદલીમાં તળાવ લખવાનું પણ ભૂલી ગયા. સરકારો કેટલી હદે અસંવેદનશીલ છે આનાથી મોટો કોઈ પુરાવો ન હોય શકે.

સુનાવણી દરમિયાન સરકારની કોર્ટે કાઢી ઝાટકણી! 

વડોદરા હરણી તળાવ દુર્ઘટના જેમાં 12 માસૂમ બાળકોના મૃત્યુ થયા બે શિક્ષકોના મૃત્યુ થયા એ કેસમાં હવે હાઇકોર્ટે લાલ આંખ કરી અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં ગઈકાલે સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો છે. ગઈકાલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટરને ઘણા આકરા સવાલો કર્યા હતા. 


હાઈકોર્ટે કહ્યું કે...

ઉધડો લેતા કહ્યું કે શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે...? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..?  કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. બનાવ બન્યો પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઇ રસ નથી પરંતુ બનાવ બન્યો તે પહેલાં ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો વીએમસીએ કરવો પડશે.  


સરકારને મહત્વનો નિર્દેશ કર્યો

હાઈકોર્ટે આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવી જોઇએ તેવી વાત પણ સરકારને સૂચવી હતી. હાઇકોર્ટે બાળકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યકત કરી રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. 


નદીના બદલે તળાવ શબ્દ લખવાનું પણ સરકાર ભૂલી ગઈ!

આનાથી પણ ભયંકર વાત એ સામે આવી છે કે સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ મોરબી કેસનું જ સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. હવે સત્તાવાળા પાસે શું અપેક્ષા રાખીએ એમને તો આદત છે ઘટનાઓના સોગંદનામું કોપી પેસ્ટ કરવાની. કારણ કે ઘટનાઓ રિપીટ પર ચાલે જ જાય છે. 


મળતીયાઓને બચાવવા માટે કરવામાં આવે છે પ્રયાસ!

આ સમગ્ર કેસમાં સરકારના મળતીયાઓ અને સાંઠગાંઠ ધરાવતા લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પણ ખેર આ સરકારથી હવે અપેક્ષા પણ શું રાખવી? જે લોકોને આ દુર્ઘટનાઓ દુર્ઘટના માત્ર લાગે છે. કોઈની બેદરકારી લાગે છે અને છેલ્લે માત્ર કોના ખભા પર બંદૂક ફોડવી આ કેસ કોના માથે નાખવો એનાથી વધારે કશું નથી હોતું. હવે પણ આટલું થાય બધી આંખો ના ઊઘડે તો શરમ આવવી જોઈએ.



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.