મોરબી બ્રિજના પીડિત પરિવારોને વળતર મામલે હાઈકોર્ટે ઓરેવા ગ્રુપનો ઉધડો લીધો, કલેકટરને પણ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 20:28:35

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિત પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવેએ પીડિતોને વળતર અંગે રજૂઆત કરી હતી. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું.


વળતર અંગેનો રિપોર્ટ રજુ કરવા કલેકટરને આદેશ


ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું. હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઓરેવા કંપની ઝાટકણી કાઢતા ઉમેર્યું હતું કે, એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂર્ણ થતી નથી.


ચીફ જસ્ટિસે લગાવી ફટકાર


ઓરેવા કંપનીના માલિક અને આરોપી જયસુખ પટેલના એડવોકેટ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જયસુખ પટેલ જાન્યુઆરી માસથી જેલમાં છે અને તેમના જામીન અરજી અંગે પણ સુનાવણી થતી નથી. જેનાથી ચીફ જસ્ટિસે ફટકાર લગાવતા કહ્યું કે, આ અમારો વિષય નથી તો આ કોર્ટમાં એ બાબતે રજૂઆત ન કરો. ચીફ જસ્ટિસે વેધક સવાલ કર્યો કે, SITના રિપોર્ટ પછી તમે જે રજૂઆત કરો છો એ કરી શકો? તમે શું કર્યું છે તેનો અંદાજ પણ છે ખરો…? એટલું જ નહીં કોર્ટે એવી પણ ટકોર કરી કે, આરોપીઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે અન્યથા આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહીં.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."