મોરબી બ્રિજના પીડિત પરિવારોને વળતર મામલે હાઈકોર્ટે ઓરેવા ગ્રુપનો ઉધડો લીધો, કલેકટરને પણ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 20:28:35

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિત પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવેએ પીડિતોને વળતર અંગે રજૂઆત કરી હતી. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું.


વળતર અંગેનો રિપોર્ટ રજુ કરવા કલેકટરને આદેશ


ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું. હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઓરેવા કંપની ઝાટકણી કાઢતા ઉમેર્યું હતું કે, એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂર્ણ થતી નથી.


ચીફ જસ્ટિસે લગાવી ફટકાર


ઓરેવા કંપનીના માલિક અને આરોપી જયસુખ પટેલના એડવોકેટ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જયસુખ પટેલ જાન્યુઆરી માસથી જેલમાં છે અને તેમના જામીન અરજી અંગે પણ સુનાવણી થતી નથી. જેનાથી ચીફ જસ્ટિસે ફટકાર લગાવતા કહ્યું કે, આ અમારો વિષય નથી તો આ કોર્ટમાં એ બાબતે રજૂઆત ન કરો. ચીફ જસ્ટિસે વેધક સવાલ કર્યો કે, SITના રિપોર્ટ પછી તમે જે રજૂઆત કરો છો એ કરી શકો? તમે શું કર્યું છે તેનો અંદાજ પણ છે ખરો…? એટલું જ નહીં કોર્ટે એવી પણ ટકોર કરી કે, આરોપીઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે અન્યથા આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહીં.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.