AMC અધિકારી પર થયેલા હુમલા અંગે Highcourt નારાજ, અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તેવા પ્રશ્નો પૂછ્યા


  • Published By :
  • Published Date : 2023-11-08 16:47:03

રસ્તા પર રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. લોકો પર ઢોરના હુમલાનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. લોકો હુમલાનો શિકાર બની રહ્યા છે. ઢોરના ત્રાસથી મુક્તિ અપાવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 5000થી વધારે પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આજે પણ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. ટીમ જ્યારે ઢોરને પકડવા જાય છે ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે તેવી ઘટના અનેક વખત બનતી હોય છે ત્યારે આ મામલે અધિકારીની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે ચર્ચા થઈ હતી. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો 

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે અને મોતને ભેટતા હોય છે. કોઈને ગંભીર ઈજા પહોંચતી હોય છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જજે કહ્યું કે અનેક વખત સમાચારોમાં અમે વાંચીએ છીએ કે રખડતા ઢોરની અડફેટે લોકો આવી રહ્યા છે. જો કામગીરી કરવામાં આવી રહી છે તો તે વાસ્તવિક્તામાં કેમ દેખાઈ નથી રહી? રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર અનેક વખત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું પગલા લેવાયા તેની માહિતી મંગાવાઈ હતી. હાઈકોર્ટમાં તંત્ર દ્વારા 5000થી વધારે પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

એએમસીના અધિકારી પર થયેલા હુમલાથી હાઈકોર્ટ નારાજ

ખરાબ રસ્તા, રખડતા ઢોર મુદ્દે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા માટે જાય છે ત્યારે તેમની પર હુમલો થાય છે. ત્યારે આ અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. એએમસીના અધિકારીઓ પર થયેલા હુમલા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે જાણે પશુને મારતા હોય તેમ અધિકારીઓને માર મારવામાં આવ્યો તે તદ્દન અયોગ્ય છે. ત્યારે સરકાર તરફથી કેસને લડી રહેલા એડવોકેટે કોર્ટમાં જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, ઉપરાંત આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસે સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. 


ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પડે છે મુશ્કેલી

મહત્વનું છે કે અનેક વખત જ્યારે જ્યારે ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. રખડતા ઢોરનો ત્રાસ તો છે પરંતુ ખરાબ રસ્તાઓને કારણે પણ લોકો પરેશાન થાય છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે. અનેક વખત અકસ્માત સર્જાય છે અને વાહનચાલકને મોતને ભેટવું પડે છે. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ જેવી કાર્યવાહી કરવામાં આવી તેવી કાર્યવાહી સામાન્ય દિવસો દરમિયાન થાય તેવી લોકોને આશા છે. મહત્વનું છે કે રખડતા શ્વાનનો ત્રાસ પણ સતત વધતો જઈ રહ્યો છે.  



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.