AMC અધિકારી પર થયેલા હુમલા અંગે Highcourt નારાજ, અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તેવા પ્રશ્નો પૂછ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-08 16:47:03

રસ્તા પર રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. લોકો પર ઢોરના હુમલાનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. લોકો હુમલાનો શિકાર બની રહ્યા છે. ઢોરના ત્રાસથી મુક્તિ અપાવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 5000થી વધારે પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આજે પણ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. ટીમ જ્યારે ઢોરને પકડવા જાય છે ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે તેવી ઘટના અનેક વખત બનતી હોય છે ત્યારે આ મામલે અધિકારીની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે ચર્ચા થઈ હતી. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો 

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે અને મોતને ભેટતા હોય છે. કોઈને ગંભીર ઈજા પહોંચતી હોય છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જજે કહ્યું કે અનેક વખત સમાચારોમાં અમે વાંચીએ છીએ કે રખડતા ઢોરની અડફેટે લોકો આવી રહ્યા છે. જો કામગીરી કરવામાં આવી રહી છે તો તે વાસ્તવિક્તામાં કેમ દેખાઈ નથી રહી? રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર અનેક વખત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું પગલા લેવાયા તેની માહિતી મંગાવાઈ હતી. હાઈકોર્ટમાં તંત્ર દ્વારા 5000થી વધારે પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

એએમસીના અધિકારી પર થયેલા હુમલાથી હાઈકોર્ટ નારાજ

ખરાબ રસ્તા, રખડતા ઢોર મુદ્દે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા માટે જાય છે ત્યારે તેમની પર હુમલો થાય છે. ત્યારે આ અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. એએમસીના અધિકારીઓ પર થયેલા હુમલા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે જાણે પશુને મારતા હોય તેમ અધિકારીઓને માર મારવામાં આવ્યો તે તદ્દન અયોગ્ય છે. ત્યારે સરકાર તરફથી કેસને લડી રહેલા એડવોકેટે કોર્ટમાં જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, ઉપરાંત આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસે સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. 


ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પડે છે મુશ્કેલી

મહત્વનું છે કે અનેક વખત જ્યારે જ્યારે ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. રખડતા ઢોરનો ત્રાસ તો છે પરંતુ ખરાબ રસ્તાઓને કારણે પણ લોકો પરેશાન થાય છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે. અનેક વખત અકસ્માત સર્જાય છે અને વાહનચાલકને મોતને ભેટવું પડે છે. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ જેવી કાર્યવાહી કરવામાં આવી તેવી કાર્યવાહી સામાન્ય દિવસો દરમિયાન થાય તેવી લોકોને આશા છે. મહત્વનું છે કે રખડતા શ્વાનનો ત્રાસ પણ સતત વધતો જઈ રહ્યો છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.