Himachal Pradesh Disaster : કુલ્લુમાં પત્તાની જેમ ઈમારતો થઈ ધરાશાયી, ભારે વરસાદે મચાવી તબાહી


  • Published By :
  • Published Date : 2023-08-24 16:24:43

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં તબાહી મચી છે. ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ભૂસ્ખલન થવાને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે અને સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. ત્યારે ફરી એક દુર્ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સર્જાઈ છે. પત્તાની જેમ ઈમારતો પડી રહી છે. કુલ્લુના આનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. તબાહિનો વીડિયો સામે આવ્યો છે જેમાં માત્ર અમુક સેકેન્ડોની અંદર 7 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સતત બનતી ભૂસ્ખલનની ઘટનામાં સંપત્તિને કેટલું નુકસાન થયું તેનું મુલ્યાંકન કરવું અઘરૂં છે તો પણ આ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે.

કુલ્લુમાં બની ભયંકર દુર્ઘટના 

હિમાચલ પ્રદેશમાં કુદરત જાણે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળે રહેતું રાજ્ય આજે કૃદરતના પ્રકોપને ઝેલવા મજબૂર બન્યું છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. છેલ્લા અનેક કલાકોથી રાજ્યમાં વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. વાદળ ફાટવાની તેમજ ભૂસ્ખલનની ઘટના સતત બની રહી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં શિવાલય ધરાશાયી થઈ ગયું હતું અને એ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ફરી એક વખત આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુલ્લુમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં માત્ર થોડી જ સેકેન્ડોમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ ગઈ.      

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના હાલ થયા બેહાલ 

ગુરૂવાર સવારે હિમાચલ પ્રદેશનો એક વીડિયો સામે આવ્યો હતો જે આપણને હચમચાવી દે તેવો છે. આની તાલુકામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સાત જેટલી ઈમારતો જોત જોતામાં પાણીના પ્રવાહ સાથે વહેતી થઈ ગઈ. આની બસ સ્ટેશન નજીક આ દુર્ઘટના બની છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક બાદ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. એકદમ ઝાડ ડગમગવા લાગે છે અને પછી એ ઝાડ એક મકાન પર પડી જાય છે. ઝાડ પડવાથી ઈમારત જમીનદોસ્ત થઈ જાય છે. અને ધીરે ધીરે અનેક બિલ્ડિંગ પડી જાય છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.