Himachal Pradesh Disaster : કુલ્લુમાં પત્તાની જેમ ઈમારતો થઈ ધરાશાયી, ભારે વરસાદે મચાવી તબાહી


  • Published By :
  • Published Date : 2023-08-24 16:24:43

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં તબાહી મચી છે. ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ભૂસ્ખલન થવાને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે અને સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. ત્યારે ફરી એક દુર્ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સર્જાઈ છે. પત્તાની જેમ ઈમારતો પડી રહી છે. કુલ્લુના આનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. તબાહિનો વીડિયો સામે આવ્યો છે જેમાં માત્ર અમુક સેકેન્ડોની અંદર 7 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સતત બનતી ભૂસ્ખલનની ઘટનામાં સંપત્તિને કેટલું નુકસાન થયું તેનું મુલ્યાંકન કરવું અઘરૂં છે તો પણ આ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે.

કુલ્લુમાં બની ભયંકર દુર્ઘટના 

હિમાચલ પ્રદેશમાં કુદરત જાણે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળે રહેતું રાજ્ય આજે કૃદરતના પ્રકોપને ઝેલવા મજબૂર બન્યું છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. છેલ્લા અનેક કલાકોથી રાજ્યમાં વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. વાદળ ફાટવાની તેમજ ભૂસ્ખલનની ઘટના સતત બની રહી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં શિવાલય ધરાશાયી થઈ ગયું હતું અને એ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ફરી એક વખત આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુલ્લુમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં માત્ર થોડી જ સેકેન્ડોમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ ગઈ.      

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના હાલ થયા બેહાલ 

ગુરૂવાર સવારે હિમાચલ પ્રદેશનો એક વીડિયો સામે આવ્યો હતો જે આપણને હચમચાવી દે તેવો છે. આની તાલુકામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સાત જેટલી ઈમારતો જોત જોતામાં પાણીના પ્રવાહ સાથે વહેતી થઈ ગઈ. આની બસ સ્ટેશન નજીક આ દુર્ઘટના બની છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક બાદ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. એકદમ ઝાડ ડગમગવા લાગે છે અને પછી એ ઝાડ એક મકાન પર પડી જાય છે. ઝાડ પડવાથી ઈમારત જમીનદોસ્ત થઈ જાય છે. અને ધીરે ધીરે અનેક બિલ્ડિંગ પડી જાય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.