Himachal Pradesh Disaster : કુલ્લુમાં પત્તાની જેમ ઈમારતો થઈ ધરાશાયી, ભારે વરસાદે મચાવી તબાહી


  • Published By :
  • Published Date : 2023-08-24 16:24:43

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં તબાહી મચી છે. ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ભૂસ્ખલન થવાને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે અને સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. ત્યારે ફરી એક દુર્ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સર્જાઈ છે. પત્તાની જેમ ઈમારતો પડી રહી છે. કુલ્લુના આનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. તબાહિનો વીડિયો સામે આવ્યો છે જેમાં માત્ર અમુક સેકેન્ડોની અંદર 7 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સતત બનતી ભૂસ્ખલનની ઘટનામાં સંપત્તિને કેટલું નુકસાન થયું તેનું મુલ્યાંકન કરવું અઘરૂં છે તો પણ આ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે.

કુલ્લુમાં બની ભયંકર દુર્ઘટના 

હિમાચલ પ્રદેશમાં કુદરત જાણે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળે રહેતું રાજ્ય આજે કૃદરતના પ્રકોપને ઝેલવા મજબૂર બન્યું છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. છેલ્લા અનેક કલાકોથી રાજ્યમાં વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. વાદળ ફાટવાની તેમજ ભૂસ્ખલનની ઘટના સતત બની રહી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં શિવાલય ધરાશાયી થઈ ગયું હતું અને એ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે ફરી એક વખત આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુલ્લુમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં માત્ર થોડી જ સેકેન્ડોમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ ગઈ.      

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના હાલ થયા બેહાલ 

ગુરૂવાર સવારે હિમાચલ પ્રદેશનો એક વીડિયો સામે આવ્યો હતો જે આપણને હચમચાવી દે તેવો છે. આની તાલુકામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સાત જેટલી ઈમારતો જોત જોતામાં પાણીના પ્રવાહ સાથે વહેતી થઈ ગઈ. આની બસ સ્ટેશન નજીક આ દુર્ઘટના બની છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પત્તાની જેમ ઈમારતો ધરાશાયી થઈ રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક બાદ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. એકદમ ઝાડ ડગમગવા લાગે છે અને પછી એ ઝાડ એક મકાન પર પડી જાય છે. ઝાડ પડવાથી ઈમારત જમીનદોસ્ત થઈ જાય છે. અને ધીરે ધીરે અનેક બિલ્ડિંગ પડી જાય છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .