હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 29થી વધુના મોત, 40 લોકો લાપતા, 7020.28 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-08-14 16:51:18

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતી વણસી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 29 થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી મંડી જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ સોલન જિલ્લામાં પણ 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. પ્રદેશમાં હોનારતથી પરિસ્થિતી ચિંતાજનક બની છે.


રૂ. 7020.28 કરોડથી વધુનું નુકસાન


હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 345, શિમલામાં 115 અને હમીરપુરમાં 124 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 2672 અને શિમલામાં 348 પાવર ટ્રાન્સફોર્મર પણ બંધ પડ્યા છે. અત્યાર સુધીમાં 1376 મકાનો ધરાશાયી થયા છે. 7935 મકાનોને નુકસાન થયું છે. 270 દુકાનો અને 2727 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલનની 90 ઘટનાઓ અને અચાનક પૂરની 90 ઘટનાઓ સામે આવી છે. 


આગામી 24 કલાક ભારે


શિમલામાં વૃક્ષો પડવા અને ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ચંદીગઢ-શિમલા ફોપલેન ચક્કી મોડ વાહનો માટે બંધ કરાયો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે