હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 29થી વધુના મોત, 40 લોકો લાપતા, 7020.28 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-08-14 16:51:18

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતી વણસી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 29 થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી મંડી જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ સોલન જિલ્લામાં પણ 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. પ્રદેશમાં હોનારતથી પરિસ્થિતી ચિંતાજનક બની છે.


રૂ. 7020.28 કરોડથી વધુનું નુકસાન


હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 345, શિમલામાં 115 અને હમીરપુરમાં 124 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 2672 અને શિમલામાં 348 પાવર ટ્રાન્સફોર્મર પણ બંધ પડ્યા છે. અત્યાર સુધીમાં 1376 મકાનો ધરાશાયી થયા છે. 7935 મકાનોને નુકસાન થયું છે. 270 દુકાનો અને 2727 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલનની 90 ઘટનાઓ અને અચાનક પૂરની 90 ઘટનાઓ સામે આવી છે. 


આગામી 24 કલાક ભારે


શિમલામાં વૃક્ષો પડવા અને ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ચંદીગઢ-શિમલા ફોપલેન ચક્કી મોડ વાહનો માટે બંધ કરાયો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .