હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 29થી વધુના મોત, 40 લોકો લાપતા, 7020.28 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-08-14 16:51:18

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતી વણસી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 29 થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી મંડી જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ સોલન જિલ્લામાં પણ 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. પ્રદેશમાં હોનારતથી પરિસ્થિતી ચિંતાજનક બની છે.


રૂ. 7020.28 કરોડથી વધુનું નુકસાન


હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 345, શિમલામાં 115 અને હમીરપુરમાં 124 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 2672 અને શિમલામાં 348 પાવર ટ્રાન્સફોર્મર પણ બંધ પડ્યા છે. અત્યાર સુધીમાં 1376 મકાનો ધરાશાયી થયા છે. 7935 મકાનોને નુકસાન થયું છે. 270 દુકાનો અને 2727 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલનની 90 ઘટનાઓ અને અચાનક પૂરની 90 ઘટનાઓ સામે આવી છે. 


આગામી 24 કલાક ભારે


શિમલામાં વૃક્ષો પડવા અને ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ચંદીગઢ-શિમલા ફોપલેન ચક્કી મોડ વાહનો માટે બંધ કરાયો છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.