હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 29થી વધુના મોત, 40 લોકો લાપતા, 7020.28 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-08-14 16:51:18

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતી વણસી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 29 થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી મંડી જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, ત્યાર બાદ સોલન જિલ્લામાં પણ 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. પ્રદેશમાં હોનારતથી પરિસ્થિતી ચિંતાજનક બની છે.


રૂ. 7020.28 કરોડથી વધુનું નુકસાન


હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 345, શિમલામાં 115 અને હમીરપુરમાં 124 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 2672 અને શિમલામાં 348 પાવર ટ્રાન્સફોર્મર પણ બંધ પડ્યા છે. અત્યાર સુધીમાં 1376 મકાનો ધરાશાયી થયા છે. 7935 મકાનોને નુકસાન થયું છે. 270 દુકાનો અને 2727 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 7020.28 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં ભૂસ્ખલનની 90 ઘટનાઓ અને અચાનક પૂરની 90 ઘટનાઓ સામે આવી છે. 


આગામી 24 કલાક ભારે


શિમલામાં વૃક્ષો પડવા અને ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર શહેરમાં જનજીવન થંભી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ચંદીગઢ-શિમલા ફોપલેન ચક્કી મોડ વાહનો માટે બંધ કરાયો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.