Himachal Pradeshના હાલ વરસાદને કારણે થયા બેહાલ! વર્ષાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:12:03

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. વરસાદ હિમાચલ માટે આફત લઈને આવ્યું છે. ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. હિમાચલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ડરાવનારા હતા. સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનને કારણે શિવમંદિર તેમજ આસપાસનો વિસ્તાર નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બહાર નિકાળવાની કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

શિવ મંદિર ધરાશાયી થતાં સર્જાઈ હતી દુર્ઘટના 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશથી ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ એક શિવ મંદિર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે દરમિયાન 8 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તે બાદ વધારે ત્રણ લોકોના શવ કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચી ગયો છે. 

અલગ અલગ જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત

પર્વતી વિસ્તારોમાં અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ થતી હોય છે જેને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. વરસાદ હિમચાલ પ્રદેશ માટે આફત બનીને આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો ભૂસ્ખલન થયું છે જેને કારણે મોત થયા છે, વાદળ ફાટવાને કારણે પણ લોકો કાળનો કોળિયો બન્યા છે. મળતી માહિતી અનુસાર અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. 



કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કરાઈ રહી છે કામગીરી 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો સોલનમાં વાદળ ફાટવાને કારણે 9 જેટલા લોકોના મોત થયાં છે, જ્યારે સિમલાની સમરહિલમાં થયેલી દુર્ઘટનાને કારણે 6 લોકોના મોત થયા છે. તે સિવાય ફાગલીમાં 4 લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મહત્વનું છે દુર્ઘટનાને પહોંચી વળવા તેમજ લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભૂસ્ખલનનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનાને કારણે 25 જેટલા લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.   



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .