Himachal Pradeshના હાલ વરસાદને કારણે થયા બેહાલ! વર્ષાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:12:03

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. વરસાદ હિમાચલ માટે આફત લઈને આવ્યું છે. ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. હિમાચલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ડરાવનારા હતા. સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનને કારણે શિવમંદિર તેમજ આસપાસનો વિસ્તાર નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બહાર નિકાળવાની કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

શિવ મંદિર ધરાશાયી થતાં સર્જાઈ હતી દુર્ઘટના 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશથી ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ એક શિવ મંદિર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે દરમિયાન 8 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તે બાદ વધારે ત્રણ લોકોના શવ કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચી ગયો છે. 

અલગ અલગ જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત

પર્વતી વિસ્તારોમાં અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ થતી હોય છે જેને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. વરસાદ હિમચાલ પ્રદેશ માટે આફત બનીને આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો ભૂસ્ખલન થયું છે જેને કારણે મોત થયા છે, વાદળ ફાટવાને કારણે પણ લોકો કાળનો કોળિયો બન્યા છે. મળતી માહિતી અનુસાર અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. 



કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કરાઈ રહી છે કામગીરી 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો સોલનમાં વાદળ ફાટવાને કારણે 9 જેટલા લોકોના મોત થયાં છે, જ્યારે સિમલાની સમરહિલમાં થયેલી દુર્ઘટનાને કારણે 6 લોકોના મોત થયા છે. તે સિવાય ફાગલીમાં 4 લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મહત્વનું છે દુર્ઘટનાને પહોંચી વળવા તેમજ લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભૂસ્ખલનનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનાને કારણે 25 જેટલા લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .