ભૂસ્ખલનને કારણે Himachal Pradeshની ખરાબ થતી પરિસ્થિતિ, PM Modiએ કરી ઉચ્ચસ્તીર બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 17:28:15

કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. અનેક લોકોના મોત આ કુદરતી આફતોને કારણે થયા છે, કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અનેક લોકોના ઘરને તબાહ કરી દીધા છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે કુદરતી આફતને લઈ પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બચાવ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે.   



હિમાચલ પ્રદેશની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ બોલાવી બેઠક 

હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતે લોકોના ઘર છિનવી લીધા છે. સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. લોકોનો બચાવ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મૃતકોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે ખરાબ થતી પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો હજી પણ લાપતા છે. 


રવિવારે જે.પી.નડ્ડા જઈ શકે છે હિમાચલ પ્રદેશની મુલાકાતે 

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં અનેક નેતાઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં અમિત શાહ, જે.પી.નડ્ડા પણ સામેલ હતા. તે ઉપરાંત રાજનાથસિંહ પણ આ બેઠકમાં સામેલ હતા. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. રાજ્યમાં થતી લેન્ડસ્લાઈડ, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રવિવારે બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .