ભૂસ્ખલનને કારણે Himachal Pradeshની ખરાબ થતી પરિસ્થિતિ, PM Modiએ કરી ઉચ્ચસ્તીર બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 17:28:15

કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. અનેક લોકોના મોત આ કુદરતી આફતોને કારણે થયા છે, કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અનેક લોકોના ઘરને તબાહ કરી દીધા છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે કુદરતી આફતને લઈ પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બચાવ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે.   



હિમાચલ પ્રદેશની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ બોલાવી બેઠક 

હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતે લોકોના ઘર છિનવી લીધા છે. સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. લોકોનો બચાવ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મૃતકોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે ખરાબ થતી પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો હજી પણ લાપતા છે. 


રવિવારે જે.પી.નડ્ડા જઈ શકે છે હિમાચલ પ્રદેશની મુલાકાતે 

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં અનેક નેતાઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં અમિત શાહ, જે.પી.નડ્ડા પણ સામેલ હતા. તે ઉપરાંત રાજનાથસિંહ પણ આ બેઠકમાં સામેલ હતા. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. રાજ્યમાં થતી લેન્ડસ્લાઈડ, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રવિવારે બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.