ભૂસ્ખલનને કારણે Himachal Pradeshની ખરાબ થતી પરિસ્થિતિ, PM Modiએ કરી ઉચ્ચસ્તીર બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 17:28:15

કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. અનેક લોકોના મોત આ કુદરતી આફતોને કારણે થયા છે, કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અનેક લોકોના ઘરને તબાહ કરી દીધા છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે કુદરતી આફતને લઈ પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બચાવ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે.   



હિમાચલ પ્રદેશની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ બોલાવી બેઠક 

હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતે લોકોના ઘર છિનવી લીધા છે. સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. લોકોનો બચાવ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મૃતકોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે ખરાબ થતી પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો હજી પણ લાપતા છે. 


રવિવારે જે.પી.નડ્ડા જઈ શકે છે હિમાચલ પ્રદેશની મુલાકાતે 

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં અનેક નેતાઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં અમિત શાહ, જે.પી.નડ્ડા પણ સામેલ હતા. તે ઉપરાંત રાજનાથસિંહ પણ આ બેઠકમાં સામેલ હતા. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. રાજ્યમાં થતી લેન્ડસ્લાઈડ, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રવિવારે બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે.   




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .