અમિત શાહ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-05 15:53:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હિમાંશુ વ્યાસની ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે અને હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિમાંશુ વ્યાસને કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. 


કોણ છે હિમાંશુ વ્યાસ?

હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા હતા. તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ સેક્રેટરી પદે પણ સેવા આપી હતી. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના સંગઠનમાં ઘણી કામગીરી કરી હતી.

હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડવાનો શું કારણો આપ્યા?

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કોંગ્રેસ છોડવા પાછળના કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓને અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે, આ ઓપરેટરો સાચા કાર્યકર્તાને હાઈ કમાન્ડ સુધી પહોંચવા દેતા નથી. મારા જેવા આગેવાનો, કાર્યકરો પાસે ઘણી સ્થાનિક વાતો હોય છે જે અમારે ઉપર સુધી પહોંચાડવી હોય છે. મને અનુભવ થતું હતું કે હું સુષુપ્ત અવસ્તા જાળવી શકું તેમ નથી, આથી મને થયું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. જે પાર્ટીનું નૈતૃત્વ દેશના કાર્યકર્તાઓને સાંભળે છે તે ભાજપ છે. તેથી મને લાગ્યું કે ભાજપ મારી વાતો સાંભળશે અને મને કામ કરવાનો મોકો આપશે. આથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મને પાર્ટીમાં જોડાવાના આશિર્વાદ આપ્યા છે. મને અનેક લોકોએ કહ્યું છે કે ચૂંટણી લડવા આવ્યો છું. તે મારે કહેવું છે કે મેં ટિકિટ માટે વાત નથી કરી પરંતુ પક્ષની અંદર સંગઠનની કામગીરીમાં મને કામ કરવા નહોતું મળતું. આથી હું ભાજપમાં જોડાયો છું. હું નિષ્ક્રિય હતો અને મારે કામ કરવું હતું, અમિત શાહ પણ અહીં જ હતા તો મેં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયો છું.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.