અમિત શાહ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-05 15:53:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હિમાંશુ વ્યાસની ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે અને હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિમાંશુ વ્યાસને કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. 


કોણ છે હિમાંશુ વ્યાસ?

હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા હતા. તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ સેક્રેટરી પદે પણ સેવા આપી હતી. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના સંગઠનમાં ઘણી કામગીરી કરી હતી.

હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડવાનો શું કારણો આપ્યા?

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કોંગ્રેસ છોડવા પાછળના કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓને અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે, આ ઓપરેટરો સાચા કાર્યકર્તાને હાઈ કમાન્ડ સુધી પહોંચવા દેતા નથી. મારા જેવા આગેવાનો, કાર્યકરો પાસે ઘણી સ્થાનિક વાતો હોય છે જે અમારે ઉપર સુધી પહોંચાડવી હોય છે. મને અનુભવ થતું હતું કે હું સુષુપ્ત અવસ્તા જાળવી શકું તેમ નથી, આથી મને થયું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. જે પાર્ટીનું નૈતૃત્વ દેશના કાર્યકર્તાઓને સાંભળે છે તે ભાજપ છે. તેથી મને લાગ્યું કે ભાજપ મારી વાતો સાંભળશે અને મને કામ કરવાનો મોકો આપશે. આથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મને પાર્ટીમાં જોડાવાના આશિર્વાદ આપ્યા છે. મને અનેક લોકોએ કહ્યું છે કે ચૂંટણી લડવા આવ્યો છું. તે મારે કહેવું છે કે મેં ટિકિટ માટે વાત નથી કરી પરંતુ પક્ષની અંદર સંગઠનની કામગીરીમાં મને કામ કરવા નહોતું મળતું. આથી હું ભાજપમાં જોડાયો છું. હું નિષ્ક્રિય હતો અને મારે કામ કરવું હતું, અમિત શાહ પણ અહીં જ હતા તો મેં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયો છું.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.