હિંમતસિંહ પટેલ બન્યા અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ, પદયાત્રામાં ઉમટ્યા હજારો કાર્યકરો


  • Published By :
  • Published Date : 2023-12-12 20:10:50

કોંગ્રેસના દિગ્ગજ નેતા હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રૂપાલી સિનેમા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક અને રાજીવ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નમન કરી પદયાત્રા કરી હતી. કાર્યકર્તાઓનાં બહોળા સમર્થન સાથે લાલ દરવાજા સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હિંમતસિંહ પટેલે કમાન સંભાળી હતી. હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતાં કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. 


પાર્ટીમાં મતભેદો દુર કરવામાં આવશે 


અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા નિવેદન આપતા હિંમતસિંહ પટેલે કહ્યું, અમારી પાસે હાલમાં એક પણ બેઠક નથી પણ સંગઠન માળખાને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે. કોંગ્રેસ પક્ષે આ દેશને બે પ્રધાનમંત્રી આપ્યા છે જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોમાં વિરોધ અંગે હિમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું, તમામ કાઉન્સિલર વચ્ચેના મતભેદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. પક્ષમાં તમામ લોકો એક સાથે મળી પક્ષને આગળ વધારે તે જરૂરી છે. હિંમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે.યોગ્ય ફોરમમાં રજુઆત સાંભળી પક્ષ સુધી પહોંચાડવામાં આવશે.


નિરવ બક્ષીએ આપ્યું હતું રાજીનામું


નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી હતી. 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .