હિંમતસિંહ પટેલ બન્યા અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ, પદયાત્રામાં ઉમટ્યા હજારો કાર્યકરો


  • Published By :
  • Published Date : 2023-12-12 20:10:50

કોંગ્રેસના દિગ્ગજ નેતા હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રૂપાલી સિનેમા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક અને રાજીવ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નમન કરી પદયાત્રા કરી હતી. કાર્યકર્તાઓનાં બહોળા સમર્થન સાથે લાલ દરવાજા સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હિંમતસિંહ પટેલે કમાન સંભાળી હતી. હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતાં કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. 


પાર્ટીમાં મતભેદો દુર કરવામાં આવશે 


અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા નિવેદન આપતા હિંમતસિંહ પટેલે કહ્યું, અમારી પાસે હાલમાં એક પણ બેઠક નથી પણ સંગઠન માળખાને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે. કોંગ્રેસ પક્ષે આ દેશને બે પ્રધાનમંત્રી આપ્યા છે જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોમાં વિરોધ અંગે હિમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું, તમામ કાઉન્સિલર વચ્ચેના મતભેદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. પક્ષમાં તમામ લોકો એક સાથે મળી પક્ષને આગળ વધારે તે જરૂરી છે. હિંમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે.યોગ્ય ફોરમમાં રજુઆત સાંભળી પક્ષ સુધી પહોંચાડવામાં આવશે.


નિરવ બક્ષીએ આપ્યું હતું રાજીનામું


નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.