હિંમતસિંહ પટેલ બન્યા અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ, પદયાત્રામાં ઉમટ્યા હજારો કાર્યકરો


  • Published By :
  • Published Date : 2023-12-12 20:10:50

કોંગ્રેસના દિગ્ગજ નેતા હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રૂપાલી સિનેમા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક અને રાજીવ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નમન કરી પદયાત્રા કરી હતી. કાર્યકર્તાઓનાં બહોળા સમર્થન સાથે લાલ દરવાજા સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હિંમતસિંહ પટેલે કમાન સંભાળી હતી. હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતાં કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના સમર્થનમાં હજારો કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. 


પાર્ટીમાં મતભેદો દુર કરવામાં આવશે 


અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા નિવેદન આપતા હિંમતસિંહ પટેલે કહ્યું, અમારી પાસે હાલમાં એક પણ બેઠક નથી પણ સંગઠન માળખાને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે. કોંગ્રેસ પક્ષે આ દેશને બે પ્રધાનમંત્રી આપ્યા છે જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોમાં વિરોધ અંગે હિમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું, તમામ કાઉન્સિલર વચ્ચેના મતભેદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. પક્ષમાં તમામ લોકો એક સાથે મળી પક્ષને આગળ વધારે તે જરૂરી છે. હિંમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે.યોગ્ય ફોરમમાં રજુઆત સાંભળી પક્ષ સુધી પહોંચાડવામાં આવશે.


નિરવ બક્ષીએ આપ્યું હતું રાજીનામું


નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી હતી. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.