હિંડનબર્ગ ઈફેક્ટ, અદાણી ગ્રુપે મુન્દ્રામાં 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-19 20:00:27

અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. ગ્રૂપ કંપનીઓના શેર ભલે રિકવરી કરી રહ્યા હોય, પરંતુ આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની શાખને ધક્કો પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણીએ રૂ. 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. 


મુન્દ્રામાં 34,900 કરોડનો પ્રોજેક્ટ રોક્યો 


અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34,900 કરોડના કોલ ટુ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) પ્રોજેક્ટ પરનું કામ જ અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ હાલમાં કંપનીઓની કામગીરીને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટુ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઈનકોર્પોરેટ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.