હિંડનબર્ગ ઈફેક્ટ, અદાણી ગ્રુપે મુન્દ્રામાં 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-19 20:00:27

અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. ગ્રૂપ કંપનીઓના શેર ભલે રિકવરી કરી રહ્યા હોય, પરંતુ આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની શાખને ધક્કો પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણીએ રૂ. 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. 


મુન્દ્રામાં 34,900 કરોડનો પ્રોજેક્ટ રોક્યો 


અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34,900 કરોડના કોલ ટુ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) પ્રોજેક્ટ પરનું કામ જ અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ હાલમાં કંપનીઓની કામગીરીને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટુ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઈનકોર્પોરેટ કરી હતી.



ગુજરાત લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ ગઈકાલે હતો. 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે ત્યાં સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાય છે...

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.