હિંડનબર્ગ ઈફેક્ટ, અદાણી ગ્રુપે મુન્દ્રામાં 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-19 20:00:27

અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. ગ્રૂપ કંપનીઓના શેર ભલે રિકવરી કરી રહ્યા હોય, પરંતુ આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની શાખને ધક્કો પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણીએ રૂ. 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. 


મુન્દ્રામાં 34,900 કરોડનો પ્રોજેક્ટ રોક્યો 


અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34,900 કરોડના કોલ ટુ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) પ્રોજેક્ટ પરનું કામ જ અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ હાલમાં કંપનીઓની કામગીરીને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટુ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઈનકોર્પોરેટ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.