હિંડનબર્ગ ઈફેક્ટ, અદાણી ગ્રુપે મુન્દ્રામાં 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-19 20:00:27

અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. ગ્રૂપ કંપનીઓના શેર ભલે રિકવરી કરી રહ્યા હોય, પરંતુ આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની શાખને ધક્કો પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણીએ રૂ. 34,900 કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. 


મુન્દ્રામાં 34,900 કરોડનો પ્રોજેક્ટ રોક્યો 


અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34,900 કરોડના કોલ ટુ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) પ્રોજેક્ટ પરનું કામ જ અટકાવી દીધું છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ હાલમાં કંપનીઓની કામગીરીને મજબૂત કરવા અને રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટુ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઈનકોર્પોરેટ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.