ગૌતમ અદાણીને 45 હજાર કરોડનો ઝટકો આપનારા નાથન એન્ડરસન કોણ છે?


  • Published By :
  • Published Date : 2023-01-26 20:06:28

અમેરિકામાં પ્રકાશિત થયેલા એક માત્ર રિપોર્ટના કારણે ભારતીય શેરબજારના ભૂકંપ આવી ગયો હતો. અમેરિકાની એક Hindenburg રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. બ્લુમબર્ગના ડેટા મુજબ અદાણીની નેટવર્થ 113 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. અને તે હવે દુનિયાના અમિરોમાં ચોથા ક્રમે આવી ગયા છે. 


Hindenburg રિપોર્ટમાં શું કહ્યું છે?


Hindenburg રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપમાં બધુ સારૂ નથી ચાલી રહ્યું.  અદાણી ગ્રૂપની કંપનીઓમાં દાયકોઓથી ખુલ્લંખુલ્લા ગડબડ અને એકાઉન્ટમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપના શેરોમાં પણ વર્ષોથી ગેરરિતી આચરીને કૃત્રિમ રીતે શેરના ભાવ આસમાનો પહોંચાડવામાં આવી રહ્યા છે. અદાણીએ આ રિપોર્ટને બદનામ કરાનારો કહીને રદિયો આપ્યો છે. 


Hindenburg Research શું છે?


Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. આ એક ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ છે.જે ઈક્વિટી, ક્રેડિટ, અને ડેરિવેટિવ્સને એનેલાઈઝ કરે છે. આ કંપનીનું નામ 6 મે 1937માં થયેલા હાઈ પ્રોફાઈલ Hindenburg એયરશિપ દુર્ઘટના પરથી રાખવામાં આવ્યું છે. આ દુ્ર્ઘટના અમેરિકામાં ન્યૂજર્શીના માનચેસ્ટર ટાઉનશિપમાં થઈ હતી. Hindenburg Research કોઈ પણ કંપનીમાં ચાલતી ગેરરિતીને શોધી કાઢે છે. અને પછી તે અંગે સવિસ્તાર રિપોર્ટ જાહેર કરે છે. કંપની મેન મેડ ડિઝાસ્ટર પર નજર રાખે છે. જેમાં એકાઉન્ટિગ છેતરપિંડી. મિસમેનેજમેન્ટ, ગુપ્ત થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્સનનો સમાવેશ થાય છે.  


Hindenburg Researchનો સ્થાપક કોણ?


Hindenburg Researchની સ્થાપના નાથન એન્ડરસને કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેશમાં ડિગ્રી મેળવ્યા એક ડેટા કંપની FactSet Research Systems Incમાં કામ કર્યું હતું. આ કંપનીમાં તેમનું મુખ્ય કાર્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું એનાલિસીસ કરવાનું હતું. વર્ષ 2020માં વોલ સ્ટ્રિટ જર્નલને આપેલા એક ઈન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું હતું કે મને એવી અનુભૂતિ થઈ કે કંપનીઓમાં કામચલાઉ એનાલિસીસ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાથન એન્ડરસન ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કામ કરી કરી ચુક્યા છે. તેમણે પોતાના અંગે કહ્યું કે તેમને ખુબ જ દબાણમાં કામ કરવાની મજા આવે છે. એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. માર્કપોલોસ એક એનાલિસ્ટ છે, જેમણે બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાસ કર્યો હતો.  Hindenburg એ સપ્ટેમ્બર 2020માં ઈલેક્ટ્રિક ટ્રક મેકલ નિકોલા કોર્પ વિરૂધ્ધ શરત લગાવી હતી અને ભારે રકમ જીતી હતી.


36 કંપનીઓનો પર્દાફાશ કર્યો


Hindenburgએ અત્યાર સુધી 36 કંપનીઓમાં સંભવીત ગેરરીતીનો પર્દાફાસ કરી ચુકી છે. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઈંક પર પહેલા શોર્ટ અને પછી લોન્ગ પોઝિશન લીધી હતી. મે મહિનામાં તેણે કહ્યું કહ્યું હતું કે એલન મસ્ક 44 અબજ ડોલરની ડીલથી ફરી જાય છે તો કંપનીના શેરોમાં ઘટાડો આવી શકે છે. જુલાઈમાં એન્ડરસને પોતાની લોન્ગ પોઝિસન લઈને મસ્ક સામે શરત લગાવી હતી. ઓક્ટોબરમાં મસ્કએ આ ડીલ ઓરિજનલ કિંમત પર પૂરી કરી હતી. જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, અને તમે તેની વૃધ્ધીની આશા કરીને વાંબા ગાળાની પોઝિશન લો છો તો તેને લોન્ગ પોઝિશન કહેવામાં આવે છે. બીજુ કે જે શેર ભવિષ્યમાં ઘટવાનો છે તેવી આશંકા રાખીને તેને પોતાના નામ પર ટ્રાન્સફર થયા પહેલા જ વેચી દેવામાં આવે તો તેને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?