ગૌતમ અદાણીને 45 હજાર કરોડનો ઝટકો આપનારા નાથન એન્ડરસન કોણ છે?


  • Published By :
  • Published Date : 2023-01-26 20:06:28

અમેરિકામાં પ્રકાશિત થયેલા એક માત્ર રિપોર્ટના કારણે ભારતીય શેરબજારના ભૂકંપ આવી ગયો હતો. અમેરિકાની એક Hindenburg રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. બ્લુમબર્ગના ડેટા મુજબ અદાણીની નેટવર્થ 113 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. અને તે હવે દુનિયાના અમિરોમાં ચોથા ક્રમે આવી ગયા છે. 


Hindenburg રિપોર્ટમાં શું કહ્યું છે?


Hindenburg રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપમાં બધુ સારૂ નથી ચાલી રહ્યું.  અદાણી ગ્રૂપની કંપનીઓમાં દાયકોઓથી ખુલ્લંખુલ્લા ગડબડ અને એકાઉન્ટમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપના શેરોમાં પણ વર્ષોથી ગેરરિતી આચરીને કૃત્રિમ રીતે શેરના ભાવ આસમાનો પહોંચાડવામાં આવી રહ્યા છે. અદાણીએ આ રિપોર્ટને બદનામ કરાનારો કહીને રદિયો આપ્યો છે. 


Hindenburg Research શું છે?


Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. આ એક ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ છે.જે ઈક્વિટી, ક્રેડિટ, અને ડેરિવેટિવ્સને એનેલાઈઝ કરે છે. આ કંપનીનું નામ 6 મે 1937માં થયેલા હાઈ પ્રોફાઈલ Hindenburg એયરશિપ દુર્ઘટના પરથી રાખવામાં આવ્યું છે. આ દુ્ર્ઘટના અમેરિકામાં ન્યૂજર્શીના માનચેસ્ટર ટાઉનશિપમાં થઈ હતી. Hindenburg Research કોઈ પણ કંપનીમાં ચાલતી ગેરરિતીને શોધી કાઢે છે. અને પછી તે અંગે સવિસ્તાર રિપોર્ટ જાહેર કરે છે. કંપની મેન મેડ ડિઝાસ્ટર પર નજર રાખે છે. જેમાં એકાઉન્ટિગ છેતરપિંડી. મિસમેનેજમેન્ટ, ગુપ્ત થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્સનનો સમાવેશ થાય છે.  


Hindenburg Researchનો સ્થાપક કોણ?


Hindenburg Researchની સ્થાપના નાથન એન્ડરસને કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેશમાં ડિગ્રી મેળવ્યા એક ડેટા કંપની FactSet Research Systems Incમાં કામ કર્યું હતું. આ કંપનીમાં તેમનું મુખ્ય કાર્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું એનાલિસીસ કરવાનું હતું. વર્ષ 2020માં વોલ સ્ટ્રિટ જર્નલને આપેલા એક ઈન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું હતું કે મને એવી અનુભૂતિ થઈ કે કંપનીઓમાં કામચલાઉ એનાલિસીસ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાથન એન્ડરસન ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કામ કરી કરી ચુક્યા છે. તેમણે પોતાના અંગે કહ્યું કે તેમને ખુબ જ દબાણમાં કામ કરવાની મજા આવે છે. એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. માર્કપોલોસ એક એનાલિસ્ટ છે, જેમણે બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાસ કર્યો હતો.  Hindenburg એ સપ્ટેમ્બર 2020માં ઈલેક્ટ્રિક ટ્રક મેકલ નિકોલા કોર્પ વિરૂધ્ધ શરત લગાવી હતી અને ભારે રકમ જીતી હતી.


36 કંપનીઓનો પર્દાફાશ કર્યો


Hindenburgએ અત્યાર સુધી 36 કંપનીઓમાં સંભવીત ગેરરીતીનો પર્દાફાસ કરી ચુકી છે. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઈંક પર પહેલા શોર્ટ અને પછી લોન્ગ પોઝિશન લીધી હતી. મે મહિનામાં તેણે કહ્યું કહ્યું હતું કે એલન મસ્ક 44 અબજ ડોલરની ડીલથી ફરી જાય છે તો કંપનીના શેરોમાં ઘટાડો આવી શકે છે. જુલાઈમાં એન્ડરસને પોતાની લોન્ગ પોઝિસન લઈને મસ્ક સામે શરત લગાવી હતી. ઓક્ટોબરમાં મસ્કએ આ ડીલ ઓરિજનલ કિંમત પર પૂરી કરી હતી. જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, અને તમે તેની વૃધ્ધીની આશા કરીને વાંબા ગાળાની પોઝિશન લો છો તો તેને લોન્ગ પોઝિશન કહેવામાં આવે છે. બીજુ કે જે શેર ભવિષ્યમાં ઘટવાનો છે તેવી આશંકા રાખીને તેને પોતાના નામ પર ટ્રાન્સફર થયા પહેલા જ વેચી દેવામાં આવે તો તેને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.