ગૌતમ અદાણીને 45 હજાર કરોડનો ઝટકો આપનારા નાથન એન્ડરસન કોણ છે?


  • Published By :
  • Published Date : 2023-01-26 20:06:28

અમેરિકામાં પ્રકાશિત થયેલા એક માત્ર રિપોર્ટના કારણે ભારતીય શેરબજારના ભૂકંપ આવી ગયો હતો. અમેરિકાની એક Hindenburg રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. બ્લુમબર્ગના ડેટા મુજબ અદાણીની નેટવર્થ 113 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. અને તે હવે દુનિયાના અમિરોમાં ચોથા ક્રમે આવી ગયા છે. 


Hindenburg રિપોર્ટમાં શું કહ્યું છે?


Hindenburg રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપમાં બધુ સારૂ નથી ચાલી રહ્યું.  અદાણી ગ્રૂપની કંપનીઓમાં દાયકોઓથી ખુલ્લંખુલ્લા ગડબડ અને એકાઉન્ટમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપના શેરોમાં પણ વર્ષોથી ગેરરિતી આચરીને કૃત્રિમ રીતે શેરના ભાવ આસમાનો પહોંચાડવામાં આવી રહ્યા છે. અદાણીએ આ રિપોર્ટને બદનામ કરાનારો કહીને રદિયો આપ્યો છે. 


Hindenburg Research શું છે?


Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. આ એક ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ છે.જે ઈક્વિટી, ક્રેડિટ, અને ડેરિવેટિવ્સને એનેલાઈઝ કરે છે. આ કંપનીનું નામ 6 મે 1937માં થયેલા હાઈ પ્રોફાઈલ Hindenburg એયરશિપ દુર્ઘટના પરથી રાખવામાં આવ્યું છે. આ દુ્ર્ઘટના અમેરિકામાં ન્યૂજર્શીના માનચેસ્ટર ટાઉનશિપમાં થઈ હતી. Hindenburg Research કોઈ પણ કંપનીમાં ચાલતી ગેરરિતીને શોધી કાઢે છે. અને પછી તે અંગે સવિસ્તાર રિપોર્ટ જાહેર કરે છે. કંપની મેન મેડ ડિઝાસ્ટર પર નજર રાખે છે. જેમાં એકાઉન્ટિગ છેતરપિંડી. મિસમેનેજમેન્ટ, ગુપ્ત થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્સનનો સમાવેશ થાય છે.  


Hindenburg Researchનો સ્થાપક કોણ?


Hindenburg Researchની સ્થાપના નાથન એન્ડરસને કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેશમાં ડિગ્રી મેળવ્યા એક ડેટા કંપની FactSet Research Systems Incમાં કામ કર્યું હતું. આ કંપનીમાં તેમનું મુખ્ય કાર્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું એનાલિસીસ કરવાનું હતું. વર્ષ 2020માં વોલ સ્ટ્રિટ જર્નલને આપેલા એક ઈન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું હતું કે મને એવી અનુભૂતિ થઈ કે કંપનીઓમાં કામચલાઉ એનાલિસીસ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાથન એન્ડરસન ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કામ કરી કરી ચુક્યા છે. તેમણે પોતાના અંગે કહ્યું કે તેમને ખુબ જ દબાણમાં કામ કરવાની મજા આવે છે. એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. માર્કપોલોસ એક એનાલિસ્ટ છે, જેમણે બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાસ કર્યો હતો.  Hindenburg એ સપ્ટેમ્બર 2020માં ઈલેક્ટ્રિક ટ્રક મેકલ નિકોલા કોર્પ વિરૂધ્ધ શરત લગાવી હતી અને ભારે રકમ જીતી હતી.


36 કંપનીઓનો પર્દાફાશ કર્યો


Hindenburgએ અત્યાર સુધી 36 કંપનીઓમાં સંભવીત ગેરરીતીનો પર્દાફાસ કરી ચુકી છે. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઈંક પર પહેલા શોર્ટ અને પછી લોન્ગ પોઝિશન લીધી હતી. મે મહિનામાં તેણે કહ્યું કહ્યું હતું કે એલન મસ્ક 44 અબજ ડોલરની ડીલથી ફરી જાય છે તો કંપનીના શેરોમાં ઘટાડો આવી શકે છે. જુલાઈમાં એન્ડરસને પોતાની લોન્ગ પોઝિસન લઈને મસ્ક સામે શરત લગાવી હતી. ઓક્ટોબરમાં મસ્કએ આ ડીલ ઓરિજનલ કિંમત પર પૂરી કરી હતી. જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, અને તમે તેની વૃધ્ધીની આશા કરીને વાંબા ગાળાની પોઝિશન લો છો તો તેને લોન્ગ પોઝિશન કહેવામાં આવે છે. બીજુ કે જે શેર ભવિષ્યમાં ઘટવાનો છે તેવી આશંકા રાખીને તેને પોતાના નામ પર ટ્રાન્સફર થયા પહેલા જ વેચી દેવામાં આવે તો તેને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.