ગૌતમ અદાણીને 45 હજાર કરોડનો ઝટકો આપનારા નાથન એન્ડરસન કોણ છે?


  • Published By :
  • Published Date : 2023-01-26 20:06:28

અમેરિકામાં પ્રકાશિત થયેલા એક માત્ર રિપોર્ટના કારણે ભારતીય શેરબજારના ભૂકંપ આવી ગયો હતો. અમેરિકાની એક Hindenburg રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. બ્લુમબર્ગના ડેટા મુજબ અદાણીની નેટવર્થ 113 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. અને તે હવે દુનિયાના અમિરોમાં ચોથા ક્રમે આવી ગયા છે. 


Hindenburg રિપોર્ટમાં શું કહ્યું છે?


Hindenburg રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપમાં બધુ સારૂ નથી ચાલી રહ્યું.  અદાણી ગ્રૂપની કંપનીઓમાં દાયકોઓથી ખુલ્લંખુલ્લા ગડબડ અને એકાઉન્ટમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપના શેરોમાં પણ વર્ષોથી ગેરરિતી આચરીને કૃત્રિમ રીતે શેરના ભાવ આસમાનો પહોંચાડવામાં આવી રહ્યા છે. અદાણીએ આ રિપોર્ટને બદનામ કરાનારો કહીને રદિયો આપ્યો છે. 


Hindenburg Research શું છે?


Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. આ એક ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ છે.જે ઈક્વિટી, ક્રેડિટ, અને ડેરિવેટિવ્સને એનેલાઈઝ કરે છે. આ કંપનીનું નામ 6 મે 1937માં થયેલા હાઈ પ્રોફાઈલ Hindenburg એયરશિપ દુર્ઘટના પરથી રાખવામાં આવ્યું છે. આ દુ્ર્ઘટના અમેરિકામાં ન્યૂજર્શીના માનચેસ્ટર ટાઉનશિપમાં થઈ હતી. Hindenburg Research કોઈ પણ કંપનીમાં ચાલતી ગેરરિતીને શોધી કાઢે છે. અને પછી તે અંગે સવિસ્તાર રિપોર્ટ જાહેર કરે છે. કંપની મેન મેડ ડિઝાસ્ટર પર નજર રાખે છે. જેમાં એકાઉન્ટિગ છેતરપિંડી. મિસમેનેજમેન્ટ, ગુપ્ત થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્સનનો સમાવેશ થાય છે.  


Hindenburg Researchનો સ્થાપક કોણ?


Hindenburg Researchની સ્થાપના નાથન એન્ડરસને કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેશમાં ડિગ્રી મેળવ્યા એક ડેટા કંપની FactSet Research Systems Incમાં કામ કર્યું હતું. આ કંપનીમાં તેમનું મુખ્ય કાર્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું એનાલિસીસ કરવાનું હતું. વર્ષ 2020માં વોલ સ્ટ્રિટ જર્નલને આપેલા એક ઈન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું હતું કે મને એવી અનુભૂતિ થઈ કે કંપનીઓમાં કામચલાઉ એનાલિસીસ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાથન એન્ડરસન ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કામ કરી કરી ચુક્યા છે. તેમણે પોતાના અંગે કહ્યું કે તેમને ખુબ જ દબાણમાં કામ કરવાની મજા આવે છે. એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. માર્કપોલોસ એક એનાલિસ્ટ છે, જેમણે બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાસ કર્યો હતો.  Hindenburg એ સપ્ટેમ્બર 2020માં ઈલેક્ટ્રિક ટ્રક મેકલ નિકોલા કોર્પ વિરૂધ્ધ શરત લગાવી હતી અને ભારે રકમ જીતી હતી.


36 કંપનીઓનો પર્દાફાશ કર્યો


Hindenburgએ અત્યાર સુધી 36 કંપનીઓમાં સંભવીત ગેરરીતીનો પર્દાફાસ કરી ચુકી છે. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઈંક પર પહેલા શોર્ટ અને પછી લોન્ગ પોઝિશન લીધી હતી. મે મહિનામાં તેણે કહ્યું કહ્યું હતું કે એલન મસ્ક 44 અબજ ડોલરની ડીલથી ફરી જાય છે તો કંપનીના શેરોમાં ઘટાડો આવી શકે છે. જુલાઈમાં એન્ડરસને પોતાની લોન્ગ પોઝિસન લઈને મસ્ક સામે શરત લગાવી હતી. ઓક્ટોબરમાં મસ્કએ આ ડીલ ઓરિજનલ કિંમત પર પૂરી કરી હતી. જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, અને તમે તેની વૃધ્ધીની આશા કરીને વાંબા ગાળાની પોઝિશન લો છો તો તેને લોન્ગ પોઝિશન કહેવામાં આવે છે. બીજુ કે જે શેર ભવિષ્યમાં ઘટવાનો છે તેવી આશંકા રાખીને તેને પોતાના નામ પર ટ્રાન્સફર થયા પહેલા જ વેચી દેવામાં આવે તો તેને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે.  



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.