ઐતિહાસિક નિર્ણય! ભક્તોની ધજાઓનું આરોહણ થાય તે માટે દ્વારકાધીશ મંદિરે આ નિયમોમાં કર્યા ફેરફાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-04 09:32:35

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારા પર વસેલા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળી હતી. દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે બિપોરજોયે નુકસાન સર્જ્યું હતું. ભારે પવનને કારણે તેમજ ધોધમાર વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે જગત મંદિર દ્વારકામાં પણ બિપોરજોય વાવાઝોડાને કારણે ધજા અનેક દિવસો સુધી ચઢાવવામાં આવી ન હતી. જ્યાં સુધી બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું નહીં ત્યાં સુધી માત્ર ધજાની  પૂજા કરવામાં આવતી હતી. ત્યારે ધજાને લઈ મંદિર પ્રશાસન દ્વારા  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દિવસમાં પાંચ ધજાની બદલીમાં 6 ધજા ચઢાવવામાં આવશે.

દ્વારકા - વિકિપીડિયા

આગામી દિવસો દરમિયાન પાંચ નહીં પરંતુ ચઢશે 6 ધજા!

જગત મંદિર દ્વારકામાં પ્રતિદિન શિખર પર પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. દિવસમાં પાંચ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક દિવસો સુધી ધજા ચઢાવવામાં આવી ન હતી. જેને લઈ ભક્તોમાં નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલથી ભક્તોની ધજા ચઢાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ધજા ચઢી શકે તે માટે જગતમંદિર  ધજા રોહણ સમિતિએ એતિહાસિક નિર્ણય લીધો છે જે મુજબ 15 દિવસ દરમિયાન મંદિરના શિખર પર પાંચ નહીં પરંતુ છ ધજા ચઢાવવામાં આવશે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાના સમય દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ધજા ચઢાવવામાં આવતી ન હતી. જેને લઈ અનેક ધજાઓ અર્પણ કરવાની બાકી રહી ગઈ હતી. ત્યારે ભક્તોના હિતમાં કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે.


 

બિપોરજોય વાવાઝોડા દરમિયાન ન હોતી ચઢાવાઈ ધજા 

દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને દરરોજ સવારે 3  અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી  ધજા શિખર પર ચઢાવવામાં આવતી ન હતી. આસ્થા સાથે ભક્તો ધજા અર્પણ કરતા હોય છે પરંતુ બિપોરજોયના સમયે ધજા અર્પણ કરવામાં આવી નથી. જેને લઈ આગામી 15 દિવસ સુધી શિખર પર 6 ધજા ચઢશે. સવારે ત્રણની જગ્યાએ ચાર ધજા અર્પણ કરવામાં આવશે અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે કોઈ મશીન અથવા તો સીડી રાખવામાં આવે છે પરંતુ દ્વારકા મંદિરમાં બ્રાહ્મણ પોતે શિકર પર જઈ ચઢા ચઢાવે છે. ગમે તેવી ઋતુ હોય પરંતુ ધજા શિખર પર  જઈ ચઢાવવાનું નથી ચૂકતા.                 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.