Rajkotમાં બની Hit And Runની ઘટના, સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થઈ ટક્કર, એક વ્યક્તિનું થયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-28 12:22:36

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં તો રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં સ્કોર્પિયો ગાડી ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. એને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ અકસ્માત રાજકોટ-જામનગર હાઈવે પર બન્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે એકદમ ડરાવી દે તેવા છે. Rajkot Hit And Run Case: scorpio hits activa on the rajkot highway, scene captured in cctv, one death Hit And Run: હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી જોરદાર ટક્કર, એક્ટિવા ચાલકનું મોત, CCTV આવ્યા સામે

અમદાવાદમાં રવિવારે બની હતી હિટ એન્ડ રનની ઘટના 

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રવિવારે અમદાવાદના શિવરંજની નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. એ યુવતીના લગ્ન થોડા સમય બાદ થવાના હતા. ડોલી ઉઠે તે પહેલા જ તેની અર્થી ઉઠી. આ મામલો હજી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારે આજે પણ હિટ એન્ડ રનની ઘટના રાજકોટમાં બની છે જેમાં એક યુવકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.         

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા!

રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર પાર્ક નજીક સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જે અનુસાર એક્ટિવા ચાલક રોડની રોન્ગ સાઈડ પર ડિવાઈડરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી સ્કૉર્પિયો ગાડી આવી અને એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું છે  તેમનું નામ સુરજસિંહ છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના વ્હાલસોયાને ખોયા હશે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.