Rajkotમાં બની Hit And Runની ઘટના, સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થઈ ટક્કર, એક વ્યક્તિનું થયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-28 12:22:36

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં તો રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં સ્કોર્પિયો ગાડી ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. એને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ અકસ્માત રાજકોટ-જામનગર હાઈવે પર બન્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે એકદમ ડરાવી દે તેવા છે. Rajkot Hit And Run Case: scorpio hits activa on the rajkot highway, scene captured in cctv, one death Hit And Run: હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી જોરદાર ટક્કર, એક્ટિવા ચાલકનું મોત, CCTV આવ્યા સામે

અમદાવાદમાં રવિવારે બની હતી હિટ એન્ડ રનની ઘટના 

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રવિવારે અમદાવાદના શિવરંજની નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. એ યુવતીના લગ્ન થોડા સમય બાદ થવાના હતા. ડોલી ઉઠે તે પહેલા જ તેની અર્થી ઉઠી. આ મામલો હજી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારે આજે પણ હિટ એન્ડ રનની ઘટના રાજકોટમાં બની છે જેમાં એક યુવકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.         

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા!

રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર પાર્ક નજીક સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જે અનુસાર એક્ટિવા ચાલક રોડની રોન્ગ સાઈડ પર ડિવાઈડરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી સ્કૉર્પિયો ગાડી આવી અને એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું છે  તેમનું નામ સુરજસિંહ છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના વ્હાલસોયાને ખોયા હશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.