Rajkotમાં બની Hit And Runની ઘટના, ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું થયું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-10-16 12:30:23

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરના 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે. ટક્કર એટલી ગંભર હતી કે એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થયું છે જ્યારે બીજી યુવતીની હાલત ગંભીર છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલા માટે લોકોમાં ભભૂકી ઉઠ્યો છે કારણ કે અનેક કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડી રહ્યા હતા. આ અંગે પોલીસે તપાસ આરંભી છે અને ગુન્હો નોંધ્યો છે. 

 રાજકોટ: શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં આસપાસના લોકો દ્વારા તંત્ર પર ઘણો જ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. લોકોનો એવો પણ આક્ષેપ છે કે, અકસ્માત થયાના ત્રણ કલાક સુધી તો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની અડફેટે આવતા યુવતીનું થયું મોત  

રસ્તા પર ચાલતા વાહનો અનેક લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. વાહનોની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ટ્રકની અડફેટે ટુ-વ્હીલર આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ એક મહિલાનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના શહેરના નવા 150 ફૂટ રોડ પર બની છે. આ સ્થળ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.  

   શહેરના નવા 150 ફૂટ રોડ ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેમાં ટ્રક મૂકી ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, આ અકસ્માત થયાના ત્રણ કલાલ સુધી તો યુવતીનો મૃતદેહ ઘટના સ્થળે જ પડી રહ્યો હતો. આ રોડ પર રહેલા ખાડા અને બેદરકારીપૂર્વક મોટા વાહનો ચાલતા હોવા અંગે અનેક ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર કાંઇ જ નથી કરી રહ્યુ.

ખરાબ રસ્તાને કારણે સર્જાય છે અનેક અકસ્માત!

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર જે છોકરીનું મોત આ અકસ્માતમાં થયું છે તે 22 વર્ષની હતી અને અભ્યાસ કરી રહી હતી. એવી માહિતી પણ છે કે મોરડીયા સનસાઈન કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને તે બીજી એક યુવતી સાથે કોલેજ જઈ રહી હતી તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કોલેજમાં જતી વખતે આ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી ટ્રકે વાહનને અડફેટે લીધી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે આ ઘટનાને પગલે કેસ નોંધી લીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે.  

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 22 વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન 150 ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.