Rajkotમાં બની Hit And Runની ઘટના, ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું થયું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-10-16 12:30:23

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરના 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે. ટક્કર એટલી ગંભર હતી કે એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થયું છે જ્યારે બીજી યુવતીની હાલત ગંભીર છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલા માટે લોકોમાં ભભૂકી ઉઠ્યો છે કારણ કે અનેક કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડી રહ્યા હતા. આ અંગે પોલીસે તપાસ આરંભી છે અને ગુન્હો નોંધ્યો છે. 

 રાજકોટ: શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં આસપાસના લોકો દ્વારા તંત્ર પર ઘણો જ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. લોકોનો એવો પણ આક્ષેપ છે કે, અકસ્માત થયાના ત્રણ કલાક સુધી તો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની અડફેટે આવતા યુવતીનું થયું મોત  

રસ્તા પર ચાલતા વાહનો અનેક લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. વાહનોની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ટ્રકની અડફેટે ટુ-વ્હીલર આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ એક મહિલાનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના શહેરના નવા 150 ફૂટ રોડ પર બની છે. આ સ્થળ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.  

   શહેરના નવા 150 ફૂટ રોડ ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેમાં ટ્રક મૂકી ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, આ અકસ્માત થયાના ત્રણ કલાલ સુધી તો યુવતીનો મૃતદેહ ઘટના સ્થળે જ પડી રહ્યો હતો. આ રોડ પર રહેલા ખાડા અને બેદરકારીપૂર્વક મોટા વાહનો ચાલતા હોવા અંગે અનેક ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર કાંઇ જ નથી કરી રહ્યુ.

ખરાબ રસ્તાને કારણે સર્જાય છે અનેક અકસ્માત!

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર જે છોકરીનું મોત આ અકસ્માતમાં થયું છે તે 22 વર્ષની હતી અને અભ્યાસ કરી રહી હતી. એવી માહિતી પણ છે કે મોરડીયા સનસાઈન કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને તે બીજી એક યુવતી સાથે કોલેજ જઈ રહી હતી તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કોલેજમાં જતી વખતે આ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી ટ્રકે વાહનને અડફેટે લીધી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે આ ઘટનાને પગલે કેસ નોંધી લીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે.  

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 22 વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન 150 ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."