આજથી પવિત્ર ચાતુર્માસનો થયો પ્રારંભ, ચાતુર્માસ દરમિયાન આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી થાય છે મનોકામના પૂર્ણ!


  • Published By :
  • Published Date : 2023-06-29 17:33:56

હિંદુ ધર્મમાં દરેક તીથીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જેમ ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે તેમ જ અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારે આજથી ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આજની એકાદશીને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તિ, સ્તોત્ર કરવાથી વિશેષ લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે ચાર મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.કારતક શુક્લ પક્ષની એકદશીએ દેવ ઉઠે છે માટે દેવઉઠી એકદાશી કહેવાય છે. આ દિવસથી ચાતુર્માસ ખતમ થાય છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 22 નવેમ્બર સુધી છે. દેવપોઢી જવાને કારણે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. 

Chaturmas 2023: 29 જુનથી પ્રારંભ થવા જઇ રહ્યાં છે ચાતુર્માસ, જાણો તેનુ  મહત્વ | Chaturmas is going to start from June 29, know its importance -  Gujarati Oneindia


ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે શયન      

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું આગવું મહત્વ રહેલું હોય છે. મહિનાનો સીધો નાતો દેવી દેવતા સાથે હોય છે. જેમ આસો મહિનામાં માતાજીની આરાધના કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે તેમ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવ પોઢી અગિયારસ કહેવામાં આવે છે.  આજથી ચાર મહિના માટે ભગવાન પોઢી જતા હોય છે જેને કારણે આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક હોય છે. પરંતુ આ વખતે અધિક મહિનો હોવાને કારણે આ વખતનું ચાતુર્માસ પાંચ મહિના ચાલશે.        

 

આ મહિના દરમિયાન થાય છે ભગવાનની પૂજા

ચાતુરમાસની વાત કરવામાં આવે તો ચાતુર માસમાં પહેલો મહિનો શ્રાવણ મહિનો આવે. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાદરવો મહિનો ચાતુરમાસનો બીજો મહિનો છે. ભાદરવા મહિના દરમિયાન ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીને વિધ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. 


કારતક મહિના દરમિયાન આવે છે અનેક તહેવારો

આસો મહિના દરમિયાન શક્તિ એટલે દેવીની પૂજા કરવામાં આવે છે. આસો મહિના દરમિયાન નવરાત્રી આવતી હોય છે. તે સિવાય આ સમય દરમિયાન પિતૃઓની પણ પૂજા કરવાથી લાભ મળે છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આસો મહિના દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે. ચાતુર્માસનો અંતિમ મહિનો છે કે કારતક મહિનો. કારતક મહિનામાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે.કારતક મહિનામાં દિવાળી, ભાઈબીજ, ધનતેરસ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી મનાવવામાં આવે છે. આમ ચાતુર્માસ દરમિયાન ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે.  


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારીત છે.)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.