આજથી પવિત્ર ચાતુર્માસનો થયો પ્રારંભ, ચાતુર્માસ દરમિયાન આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી થાય છે મનોકામના પૂર્ણ!


  • Published By :
  • Published Date : 2023-06-29 17:33:56

હિંદુ ધર્મમાં દરેક તીથીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જેમ ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે તેમ જ અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારે આજથી ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આજની એકાદશીને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તિ, સ્તોત્ર કરવાથી વિશેષ લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે ચાર મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.કારતક શુક્લ પક્ષની એકદશીએ દેવ ઉઠે છે માટે દેવઉઠી એકદાશી કહેવાય છે. આ દિવસથી ચાતુર્માસ ખતમ થાય છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 22 નવેમ્બર સુધી છે. દેવપોઢી જવાને કારણે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. 

Chaturmas 2023: 29 જુનથી પ્રારંભ થવા જઇ રહ્યાં છે ચાતુર્માસ, જાણો તેનુ  મહત્વ | Chaturmas is going to start from June 29, know its importance -  Gujarati Oneindia


ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે શયન      

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું આગવું મહત્વ રહેલું હોય છે. મહિનાનો સીધો નાતો દેવી દેવતા સાથે હોય છે. જેમ આસો મહિનામાં માતાજીની આરાધના કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે તેમ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવ પોઢી અગિયારસ કહેવામાં આવે છે.  આજથી ચાર મહિના માટે ભગવાન પોઢી જતા હોય છે જેને કારણે આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક હોય છે. પરંતુ આ વખતે અધિક મહિનો હોવાને કારણે આ વખતનું ચાતુર્માસ પાંચ મહિના ચાલશે.        

 

આ મહિના દરમિયાન થાય છે ભગવાનની પૂજા

ચાતુરમાસની વાત કરવામાં આવે તો ચાતુર માસમાં પહેલો મહિનો શ્રાવણ મહિનો આવે. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાદરવો મહિનો ચાતુરમાસનો બીજો મહિનો છે. ભાદરવા મહિના દરમિયાન ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીને વિધ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. 


કારતક મહિના દરમિયાન આવે છે અનેક તહેવારો

આસો મહિના દરમિયાન શક્તિ એટલે દેવીની પૂજા કરવામાં આવે છે. આસો મહિના દરમિયાન નવરાત્રી આવતી હોય છે. તે સિવાય આ સમય દરમિયાન પિતૃઓની પણ પૂજા કરવાથી લાભ મળે છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આસો મહિના દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે. ચાતુર્માસનો અંતિમ મહિનો છે કે કારતક મહિનો. કારતક મહિનામાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે.કારતક મહિનામાં દિવાળી, ભાઈબીજ, ધનતેરસ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી મનાવવામાં આવે છે. આમ ચાતુર્માસ દરમિયાન ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે.  


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારીત છે.)



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.