લવ જેહાદને લઈ ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghviએ આપ્યું મોટું નિવેદન, લવ જેહાદને લઈ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-07-20 18:13:15

લવ જેહાદ શબ્દ આજકાલ અવાર નવાર સાંભળવા મળી રહ્યો છે. લવ જેહાદને લઈ અનેક નેતાઓ નિવેદન આપી રહ્યા છે. અનેક વખત લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો છે... અનેક કિસ્સાઓ આપણી સામે લવ જેહાદ સામે આવ્યા છે.. લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી. 

લવ જેહાદને લઈ હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ!

નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ નિવેદન આપતા હોય છે. ત્યારે ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ નિવેદન આપ્યું છે. ગઈકાલે હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા ત્યાં ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું જેમાં તેમણે લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.. 



શું કહ્યું હર્ષ સંઘવીએ?

નિવેદન આપતા તેમણે કહ્યું કે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે... આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો.પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે... કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહી. મહત્વનું છે કે લવ જેહાદનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.