લવ જેહાદને લઈ ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghviએ આપ્યું મોટું નિવેદન, લવ જેહાદને લઈ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-07-20 18:13:15

લવ જેહાદ શબ્દ આજકાલ અવાર નવાર સાંભળવા મળી રહ્યો છે. લવ જેહાદને લઈ અનેક નેતાઓ નિવેદન આપી રહ્યા છે. અનેક વખત લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો છે... અનેક કિસ્સાઓ આપણી સામે લવ જેહાદ સામે આવ્યા છે.. લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી. 

લવ જેહાદને લઈ હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ!

નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ નિવેદન આપતા હોય છે. ત્યારે ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ નિવેદન આપ્યું છે. ગઈકાલે હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા ત્યાં ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું જેમાં તેમણે લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.. 



શું કહ્યું હર્ષ સંઘવીએ?

નિવેદન આપતા તેમણે કહ્યું કે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે... આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો.પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે... કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહી. મહત્વનું છે કે લવ જેહાદનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .