ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નકલી PA વડોદરામાંથી ઝડપાયો, નશામાં ધૂત બની પોલીસ પર રોફ જમાવતા 3 આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-08 19:25:21

રાજ્યમાં આજકાલ નકલીની બોલબાલા છે, નકલી PMO અધિકારી, નકલી  CMO અધિકારી, નકલી આઈપીએસ, નકલી સરકારી કચેરીઓ નકલી ટોકનાકુ, નકલી IB અધિકારી અને હવે નકલી પીએનો તો જાણે રાફડો જ ફાટ્યો છે. આજે વડોદરા પોલીસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પીએને ઝડપી લીધો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકોએ આતંક મચાવી દીધો હતો. આ યુવાનો પૈકીના એક વરુણ પટેલ નામના યુવકે પોતે ગૃહમંત્રીનો પીએ છે અને તારી બદલી કરાવી દઇશ એમ કહીને પોલીસકર્મીઓને માર માર્યો. વળી, આ શખસો આટલેથી ના અટક્યા તેમણે પોલીસ-વાનનો પીછો પણ કર્યો. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત 3 આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીના નકલી પીએ પણ ઝડપાયા હતા.


કઈ રીતે ઝડપાયો નકલી PA?


વડોદરા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઇએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે હું અને ટ્રાફિક બ્રિગેડના ડ્રાઇવર જ્યોતિષકુમાર પાઉલભાઈ પરમાર (રહે.વડોદરા શહેર) પૂર્વ વિસ્તારમાં સ્પીડગન વાન મોબાઇલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન રાત્રિના આશરે પોણાબે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી પાસે, સર્વિસ રોડ ઉપર આવેલા પારસ ઢાબા પાસે આવતા બે ઇસમ શેડ પર વચ્ચે ઊભા હતા, જેથી અમે અમારી ગાડી રોકી હતી અને તેમને સાઇડમાં ઊભા રહી વાતો કરવાનું જણાવ્યું હતુ. બાદમાં તેઓ એકદમ મારી ગાડી પાસે આવ્યા હતા. અમારી ગાડીનો દરવાજો ખોલીને તેમણે અમને કહ્યું હતું કે તમે કેમ અહીં આવ્યા છો. તેઓ દારૂ જેવા કેફી પીણાંનો નશો કરેલી હાલતમાં હતા. તેમને આ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે તમે ટ્રાફિકવાળા છો, તમારે કોઈ લેવાદેવા નથી, જેમાંથી વરુણ પટેલ નામનો યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી તથા ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો, જેથી તેમને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને મારી સાથે પણ પણ છૂટાહાથની મારામારી કરી હતી અને મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. વરુણ પટેલે જણાવ્યું હતું કે હું ગૃહમંત્રીનો પી.એ. છું, હું તમારી કાલે બદલી કરાવી દઇશ.


પોલીસની ગાડીનો પીછો કરી પોલીસકર્મીને માર મર્યો


આ મામલે પોલીસે વધુ જાણકારી આપતા જણાવ્યું કે આરોપીઓએ એક થાર ગાડી અને બીજી એક સફેદ કલરની ગાડી સાથે અમારો પીછો કર્યો હતો. જેથી અમે સિટી કંટ્રોલ રૂમમાં રાત્રિના સવાબે વાગ્યાના અરસામાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. જેથી હરણી પોલીસ આવી ગઈ હતી. તેમ છતાં તેમણે હરણી પોલીસ સ્ટેશન સુધી અમારો પીછો કર્યો હતો. તેઓ પોલીસ સ્ટેશનની બહાર ગાડીઓ ઊભી રાખીને અમારા ડ્રાઇવરને મારવા આવ્યા હતા, જેથી પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા અને (1) વરુણ નારાયણભાઇ પટેલ (રહે.દરજીપુરા ગામ વડોદરા) (2) આકાશ સુરેશભાઇ પટેલ (રહે.હરણી ગામ, મોટું ફળિયું, વડોદરા) (3) પિનાક વિનેશભાઇ પટેલ (રહે. હરણી ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે પોલીસ સાથે મારામારી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


અગાઉ પણ ઝડપાયો હતો હર્ષ સંઘવીનો નકલી PA


ગીર સોમનાથમાંથી LCB  ની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં નકલી PA ની ધરપકડ કરી છે. ત્યારે પોલીસનાં હાથે ઝડપાયેલો શખ્સ ગૃહમંત્રીનાં PA તરીકે રોફ જમાવતો હતો.  ગૃહમંત્રીની ખોટી ઓળખ આપી લોકો પાસે જઈ રોફ જમાવતો હતો. તેમજ ટ્રુ કોલરમાં ગૃહમંત્રીનો ફોટો અને PA  તરીકે લોકો પર રોફ જમાવતો હતો. ગીર સોમનાથ LCb ની ટીમે આરોપીને પકડી તેને પૂછતા તેણે તેનું નામ જગદીશ નંદાણીયા જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.