દેશના માનનીય આટલા સાંસદો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ADR રિપોર્ટમાં થયો ખુલાસો, જાણો Gujaratના કેટલા સાંસદોનો છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-09-13 12:07:34

સંસદને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં જે કાયદા ઘડાય છે તેનો અમલ દેશભરમાં થાય છે. સંસદમાં બેઠેલા સાંસદો સમાજમાં અપરાધો ઓછા થાય તે માટે કાયદા બનાવે છે. દેશના તમામ રાજકીય પક્ષો સમાજમાં અપરાધ ઓછો થયો છે, ખતમ થયો છે તેવા દાવા કરતા અનેક વખત દેખાતા હોય છે. ત્યારે ચૂંટણી સુધાર પર કામ કરતી સંસ્થા એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશના કુલ 763 સાંસદોમાંથી 306 સાંસદો પર ક્રિમિનલ કેસ નોંધાયા છે. 306 સાંસદોમાંથી 194 સાંસદો વિરૂદ્ધ હત્યા અને મહિલાઓ પર અત્યાચારના ગંભીર ગુન્હાના દાખલ છે. 



763 સાંસદમાંથી 306 સાંસદો વિરૂદ્ધ કેસ છે દાખલ             

દર વર્ષની જેમ એડીઆરે ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં સાંસદો વિરૂદ્ધ કેટલા કેસ છે, કેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે તે અંગેની માહિતી સામે આવતી હોય છે. ત્યારે એડીઆરે તાજેતરમાં સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસને લઈ આંકડો બહાર પાડ્યો છે. રિપોર્ટ મુજબ 763 સાંસદોમાંથી 306 સાંસદ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ ટાંકીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 40 ટકા મોજુદ સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. 



રાજ્ય પ્રમાણે આ રહ્યો આંકડો 

રાજ્ય પ્રમાણે જો આંકડાની વાત કરીએ તો કેરળના 29 સાંસદોમાંથી 23 સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. બિહારના 56માંથી 41 સાંસદ વિરૂદ્ધ કેસ દાખલ છે મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 સાંસદો, તેલંગાણાના 24માંથી 13 સાંસદો, દિલ્હીના 10માંથી 5 સાંસદો, ગુજરાતના 37માંથી 7 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.



પાર્ટી વાઈઝ આંકડા !

પાર્ટી વાઈઝ ડેટાની વાત કરીએ તો : ભાજપના 385 સાંસદોમાંથી 139 સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધાયો છે, જેમાં 98 સાસંદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. કોંગ્રેસના સાંસદની વાત કરીએ તો 81 સાંસદો છે. જેમાંથી 43 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 98 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત કરીએ તો 11 સાંસદોમાંથી 3 સાંસદ વિરૂદ્ધ ગંભીર ગુન્હા દાખલ છે જેમાંથી એક સાંસદ વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. ટીએમસીના 36 સાંસદોમાંથી 14 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 7 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .