દેશના માનનીય આટલા સાંસદો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ADR રિપોર્ટમાં થયો ખુલાસો, જાણો Gujaratના કેટલા સાંસદોનો છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-09-13 12:07:34

સંસદને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં જે કાયદા ઘડાય છે તેનો અમલ દેશભરમાં થાય છે. સંસદમાં બેઠેલા સાંસદો સમાજમાં અપરાધો ઓછા થાય તે માટે કાયદા બનાવે છે. દેશના તમામ રાજકીય પક્ષો સમાજમાં અપરાધ ઓછો થયો છે, ખતમ થયો છે તેવા દાવા કરતા અનેક વખત દેખાતા હોય છે. ત્યારે ચૂંટણી સુધાર પર કામ કરતી સંસ્થા એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશના કુલ 763 સાંસદોમાંથી 306 સાંસદો પર ક્રિમિનલ કેસ નોંધાયા છે. 306 સાંસદોમાંથી 194 સાંસદો વિરૂદ્ધ હત્યા અને મહિલાઓ પર અત્યાચારના ગંભીર ગુન્હાના દાખલ છે. 



763 સાંસદમાંથી 306 સાંસદો વિરૂદ્ધ કેસ છે દાખલ             

દર વર્ષની જેમ એડીઆરે ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં સાંસદો વિરૂદ્ધ કેટલા કેસ છે, કેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે તે અંગેની માહિતી સામે આવતી હોય છે. ત્યારે એડીઆરે તાજેતરમાં સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસને લઈ આંકડો બહાર પાડ્યો છે. રિપોર્ટ મુજબ 763 સાંસદોમાંથી 306 સાંસદ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ ટાંકીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 40 ટકા મોજુદ સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. 



રાજ્ય પ્રમાણે આ રહ્યો આંકડો 

રાજ્ય પ્રમાણે જો આંકડાની વાત કરીએ તો કેરળના 29 સાંસદોમાંથી 23 સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. બિહારના 56માંથી 41 સાંસદ વિરૂદ્ધ કેસ દાખલ છે મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 સાંસદો, તેલંગાણાના 24માંથી 13 સાંસદો, દિલ્હીના 10માંથી 5 સાંસદો, ગુજરાતના 37માંથી 7 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.



પાર્ટી વાઈઝ આંકડા !

પાર્ટી વાઈઝ ડેટાની વાત કરીએ તો : ભાજપના 385 સાંસદોમાંથી 139 સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધાયો છે, જેમાં 98 સાસંદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. કોંગ્રેસના સાંસદની વાત કરીએ તો 81 સાંસદો છે. જેમાંથી 43 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 98 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત કરીએ તો 11 સાંસદોમાંથી 3 સાંસદ વિરૂદ્ધ ગંભીર ગુન્હા દાખલ છે જેમાંથી એક સાંસદ વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. ટીએમસીના 36 સાંસદોમાંથી 14 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 7 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .