દેશના માનનીય આટલા સાંસદો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ADR રિપોર્ટમાં થયો ખુલાસો, જાણો Gujaratના કેટલા સાંસદોનો છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-09-13 12:07:34

સંસદને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં જે કાયદા ઘડાય છે તેનો અમલ દેશભરમાં થાય છે. સંસદમાં બેઠેલા સાંસદો સમાજમાં અપરાધો ઓછા થાય તે માટે કાયદા બનાવે છે. દેશના તમામ રાજકીય પક્ષો સમાજમાં અપરાધ ઓછો થયો છે, ખતમ થયો છે તેવા દાવા કરતા અનેક વખત દેખાતા હોય છે. ત્યારે ચૂંટણી સુધાર પર કામ કરતી સંસ્થા એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશના કુલ 763 સાંસદોમાંથી 306 સાંસદો પર ક્રિમિનલ કેસ નોંધાયા છે. 306 સાંસદોમાંથી 194 સાંસદો વિરૂદ્ધ હત્યા અને મહિલાઓ પર અત્યાચારના ગંભીર ગુન્હાના દાખલ છે. 



763 સાંસદમાંથી 306 સાંસદો વિરૂદ્ધ કેસ છે દાખલ             

દર વર્ષની જેમ એડીઆરે ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં સાંસદો વિરૂદ્ધ કેટલા કેસ છે, કેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે તે અંગેની માહિતી સામે આવતી હોય છે. ત્યારે એડીઆરે તાજેતરમાં સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસને લઈ આંકડો બહાર પાડ્યો છે. રિપોર્ટ મુજબ 763 સાંસદોમાંથી 306 સાંસદ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ ટાંકીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 40 ટકા મોજુદ સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. 



રાજ્ય પ્રમાણે આ રહ્યો આંકડો 

રાજ્ય પ્રમાણે જો આંકડાની વાત કરીએ તો કેરળના 29 સાંસદોમાંથી 23 સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. બિહારના 56માંથી 41 સાંસદ વિરૂદ્ધ કેસ દાખલ છે મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 સાંસદો, તેલંગાણાના 24માંથી 13 સાંસદો, દિલ્હીના 10માંથી 5 સાંસદો, ગુજરાતના 37માંથી 7 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.



પાર્ટી વાઈઝ આંકડા !

પાર્ટી વાઈઝ ડેટાની વાત કરીએ તો : ભાજપના 385 સાંસદોમાંથી 139 સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધાયો છે, જેમાં 98 સાસંદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. કોંગ્રેસના સાંસદની વાત કરીએ તો 81 સાંસદો છે. જેમાંથી 43 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 98 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત કરીએ તો 11 સાંસદોમાંથી 3 સાંસદ વિરૂદ્ધ ગંભીર ગુન્હા દાખલ છે જેમાંથી એક સાંસદ વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. ટીએમસીના 36 સાંસદોમાંથી 14 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 7 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.