દેશના માનનીય આટલા સાંસદો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ADR રિપોર્ટમાં થયો ખુલાસો, જાણો Gujaratના કેટલા સાંસદોનો છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-09-13 12:07:34

સંસદને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં જે કાયદા ઘડાય છે તેનો અમલ દેશભરમાં થાય છે. સંસદમાં બેઠેલા સાંસદો સમાજમાં અપરાધો ઓછા થાય તે માટે કાયદા બનાવે છે. દેશના તમામ રાજકીય પક્ષો સમાજમાં અપરાધ ઓછો થયો છે, ખતમ થયો છે તેવા દાવા કરતા અનેક વખત દેખાતા હોય છે. ત્યારે ચૂંટણી સુધાર પર કામ કરતી સંસ્થા એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશના કુલ 763 સાંસદોમાંથી 306 સાંસદો પર ક્રિમિનલ કેસ નોંધાયા છે. 306 સાંસદોમાંથી 194 સાંસદો વિરૂદ્ધ હત્યા અને મહિલાઓ પર અત્યાચારના ગંભીર ગુન્હાના દાખલ છે. 



763 સાંસદમાંથી 306 સાંસદો વિરૂદ્ધ કેસ છે દાખલ             

દર વર્ષની જેમ એડીઆરે ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં સાંસદો વિરૂદ્ધ કેટલા કેસ છે, કેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે તે અંગેની માહિતી સામે આવતી હોય છે. ત્યારે એડીઆરે તાજેતરમાં સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસને લઈ આંકડો બહાર પાડ્યો છે. રિપોર્ટ મુજબ 763 સાંસદોમાંથી 306 સાંસદ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ ટાંકીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 40 ટકા મોજુદ સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. 



રાજ્ય પ્રમાણે આ રહ્યો આંકડો 

રાજ્ય પ્રમાણે જો આંકડાની વાત કરીએ તો કેરળના 29 સાંસદોમાંથી 23 સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. બિહારના 56માંથી 41 સાંસદ વિરૂદ્ધ કેસ દાખલ છે મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 સાંસદો, તેલંગાણાના 24માંથી 13 સાંસદો, દિલ્હીના 10માંથી 5 સાંસદો, ગુજરાતના 37માંથી 7 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.



પાર્ટી વાઈઝ આંકડા !

પાર્ટી વાઈઝ ડેટાની વાત કરીએ તો : ભાજપના 385 સાંસદોમાંથી 139 સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધાયો છે, જેમાં 98 સાસંદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. કોંગ્રેસના સાંસદની વાત કરીએ તો 81 સાંસદો છે. જેમાંથી 43 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 98 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત કરીએ તો 11 સાંસદોમાંથી 3 સાંસદ વિરૂદ્ધ ગંભીર ગુન્હા દાખલ છે જેમાંથી એક સાંસદ વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. ટીએમસીના 36 સાંસદોમાંથી 14 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 7 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.