યુપીના શાહજહાંપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને રીક્ષા ટકરાતા 12 શ્રદ્ધાળુઓના મોત


  • Published By :
  • Published Date : 2024-01-25 22:56:39

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની ભયાનક અથડામણમાં 12 લોકોના મોત થયા છે. આ અથડામણમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ડઝન જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. સવારે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રીક્ષા ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોને લઈને જઈ રહ્યા હતા. જલાલાબાદના ધારાસભ્ય, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. 


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા


પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકોમાં 8 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન અલ્લાહગંજ વિસ્તારના સુગુસુગી ગામ પાસે સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.


 શ્રદ્ધાળુઓનું કરૂણ મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષામાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ શાહજહાંપુરના મદનાપુર પોલીસ સ્ટેશનના દામગડા ગામથી ગંગામાં સ્નાન કરવા માટે ધાઈ ઘાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. 


યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ


આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર લખ્યું, ‘ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.