યુપીના શાહજહાંપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને રીક્ષા ટકરાતા 12 શ્રદ્ધાળુઓના મોત


  • Published By :
  • Published Date : 2024-01-25 22:56:39

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની ભયાનક અથડામણમાં 12 લોકોના મોત થયા છે. આ અથડામણમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ડઝન જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. સવારે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રીક્ષા ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોને લઈને જઈ રહ્યા હતા. જલાલાબાદના ધારાસભ્ય, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. 


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા


પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકોમાં 8 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન અલ્લાહગંજ વિસ્તારના સુગુસુગી ગામ પાસે સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.


 શ્રદ્ધાળુઓનું કરૂણ મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષામાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ શાહજહાંપુરના મદનાપુર પોલીસ સ્ટેશનના દામગડા ગામથી ગંગામાં સ્નાન કરવા માટે ધાઈ ઘાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. 


યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ


આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર લખ્યું, ‘ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.