યુપીના શાહજહાંપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને રીક્ષા ટકરાતા 12 શ્રદ્ધાળુઓના મોત


  • Published By :
  • Published Date : 2024-01-25 22:56:39

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની ભયાનક અથડામણમાં 12 લોકોના મોત થયા છે. આ અથડામણમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ડઝન જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. સવારે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રીક્ષા ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોને લઈને જઈ રહ્યા હતા. જલાલાબાદના ધારાસભ્ય, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. 


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા


પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકોમાં 8 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન અલ્લાહગંજ વિસ્તારના સુગુસુગી ગામ પાસે સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.


 શ્રદ્ધાળુઓનું કરૂણ મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષામાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ શાહજહાંપુરના મદનાપુર પોલીસ સ્ટેશનના દામગડા ગામથી ગંગામાં સ્નાન કરવા માટે ધાઈ ઘાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. 


યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ


આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર લખ્યું, ‘ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે