યુપીના શાહજહાંપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને રીક્ષા ટકરાતા 12 શ્રદ્ધાળુઓના મોત


  • Published By :
  • Published Date : 2024-01-25 22:56:39

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની ભયાનક અથડામણમાં 12 લોકોના મોત થયા છે. આ અથડામણમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ડઝન જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. સવારે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રીક્ષા ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોને લઈને જઈ રહ્યા હતા. જલાલાબાદના ધારાસભ્ય, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. 


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા


પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકોમાં 8 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન અલ્લાહગંજ વિસ્તારના સુગુસુગી ગામ પાસે સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.


 શ્રદ્ધાળુઓનું કરૂણ મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષામાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ શાહજહાંપુરના મદનાપુર પોલીસ સ્ટેશનના દામગડા ગામથી ગંગામાં સ્નાન કરવા માટે ધાઈ ઘાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. 


યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ


આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર લખ્યું, ‘ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.