સુરતના અશ્વો બની રહ્યા છે ગ્લેન્ડર નામના રોગનો શિકાર, અનેક અશ્વોને અપાઈ દયામૃત્યુ


  • Published By :
  • Published Date : 2023-02-17 09:31:14

કોરોના મહામારીને કારણે માણસોના જીવ જોખમમાં મૂકાયા હતા તેવી રીતે ઘોડાઓના જીવ ગ્લેન્ડર નામના રોગને કારણે જોખમમાં મૂકાયા છે. અશ્વોમાં ગ્લેન્ડર રોગ ફેલાઈ રહ્યો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો ગ્લેન્ડર નામના રોગનો શિકાર બની રહ્યા છે. લાલદરવાજા વિસ્તારના 6 ઘોડાઓના ગ્લેન્ડર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમને મૃત્યુ આપવામાં આવી છે અને દફન પણ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત અનેક ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ઘોડાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ગ્લેન્ડર રોગથી વધી અશ્વમાલિકોની ચિંતા 

લગ્નની સિઝન દરમિયાન વરઘોડા માટે અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વની માગ પણ આ સમય દરમિયાન વધતી હોય છે ત્યારે સુરતના લાલદરવાજા વિસ્તારના અશ્વો ગ્લેન્ડર રોગનો શિકાર બની રહ્યા છે. અશ્વોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા જાનૈયાઓ હેરાન થઈ ગયા છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અશ્વોના માલિકોની થઈ રહી છે. ઓર્ડર કેન્સલ થતા તેમજ અશ્વો ચેપી રોગનો શિકાર બનતા અશ્વના માલિકોની ચિંતા વધી છે.   


મનુષ્યમાં પણ ચેપ ફેલાવાનો ડર!

ગ્લેન્ડર રોગની વાત કરી એ તો અશ્વકુળના પશુઓ જેવા કે અશ્વ ખચ્ચર વગેરેમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને ખૂબ વધુ તાવ આવવો તેમજ ચામડી ઉપર ચાંદા જેવા લક્ષણો દેખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગ્લેન્ડર રોગના કારણે અશ્વોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. અનેક અશ્વોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રોગ મનુષ્યોમાં ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 


અનેક અશ્વોના લેવાયા સેમ્પલ 

નાયબ કલેક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે ક્લેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડોક્ટરો ગ્લેન્ડર પોઝિટિવ આવેલા અશ્વને ઈન્જેક્શન આપીને દયામૃત્યુ આપી રહ્યા છે. હજી સુધીમાં કુલ 6 જેટલા પશુઓને દયામૃત્યુ આપવામાં આવી છે. તે સિવાય હજી સુધી અંદાજીત 150 જેટલા ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.