સુરતના અશ્વો બની રહ્યા છે ગ્લેન્ડર નામના રોગનો શિકાર, અનેક અશ્વોને અપાઈ દયામૃત્યુ


  • Published By :
  • Published Date : 2023-02-17 09:31:14

કોરોના મહામારીને કારણે માણસોના જીવ જોખમમાં મૂકાયા હતા તેવી રીતે ઘોડાઓના જીવ ગ્લેન્ડર નામના રોગને કારણે જોખમમાં મૂકાયા છે. અશ્વોમાં ગ્લેન્ડર રોગ ફેલાઈ રહ્યો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો ગ્લેન્ડર નામના રોગનો શિકાર બની રહ્યા છે. લાલદરવાજા વિસ્તારના 6 ઘોડાઓના ગ્લેન્ડર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમને મૃત્યુ આપવામાં આવી છે અને દફન પણ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત અનેક ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ઘોડાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ગ્લેન્ડર રોગથી વધી અશ્વમાલિકોની ચિંતા 

લગ્નની સિઝન દરમિયાન વરઘોડા માટે અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વની માગ પણ આ સમય દરમિયાન વધતી હોય છે ત્યારે સુરતના લાલદરવાજા વિસ્તારના અશ્વો ગ્લેન્ડર રોગનો શિકાર બની રહ્યા છે. અશ્વોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા જાનૈયાઓ હેરાન થઈ ગયા છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અશ્વોના માલિકોની થઈ રહી છે. ઓર્ડર કેન્સલ થતા તેમજ અશ્વો ચેપી રોગનો શિકાર બનતા અશ્વના માલિકોની ચિંતા વધી છે.   


મનુષ્યમાં પણ ચેપ ફેલાવાનો ડર!

ગ્લેન્ડર રોગની વાત કરી એ તો અશ્વકુળના પશુઓ જેવા કે અશ્વ ખચ્ચર વગેરેમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને ખૂબ વધુ તાવ આવવો તેમજ ચામડી ઉપર ચાંદા જેવા લક્ષણો દેખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગ્લેન્ડર રોગના કારણે અશ્વોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. અનેક અશ્વોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રોગ મનુષ્યોમાં ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 


અનેક અશ્વોના લેવાયા સેમ્પલ 

નાયબ કલેક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે ક્લેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડોક્ટરો ગ્લેન્ડર પોઝિટિવ આવેલા અશ્વને ઈન્જેક્શન આપીને દયામૃત્યુ આપી રહ્યા છે. હજી સુધીમાં કુલ 6 જેટલા પશુઓને દયામૃત્યુ આપવામાં આવી છે. તે સિવાય હજી સુધી અંદાજીત 150 જેટલા ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.         



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.