સુરતના અશ્વો બની રહ્યા છે ગ્લેન્ડર નામના રોગનો શિકાર, અનેક અશ્વોને અપાઈ દયામૃત્યુ


  • Published By :
  • Published Date : 2023-02-17 09:31:14

કોરોના મહામારીને કારણે માણસોના જીવ જોખમમાં મૂકાયા હતા તેવી રીતે ઘોડાઓના જીવ ગ્લેન્ડર નામના રોગને કારણે જોખમમાં મૂકાયા છે. અશ્વોમાં ગ્લેન્ડર રોગ ફેલાઈ રહ્યો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો ગ્લેન્ડર નામના રોગનો શિકાર બની રહ્યા છે. લાલદરવાજા વિસ્તારના 6 ઘોડાઓના ગ્લેન્ડર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમને મૃત્યુ આપવામાં આવી છે અને દફન પણ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત અનેક ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ ઘોડાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને દયા મૃત્યુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


ગ્લેન્ડર રોગથી વધી અશ્વમાલિકોની ચિંતા 

લગ્નની સિઝન દરમિયાન વરઘોડા માટે અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વની માગ પણ આ સમય દરમિયાન વધતી હોય છે ત્યારે સુરતના લાલદરવાજા વિસ્તારના અશ્વો ગ્લેન્ડર રોગનો શિકાર બની રહ્યા છે. અશ્વોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા જાનૈયાઓ હેરાન થઈ ગયા છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અશ્વોના માલિકોની થઈ રહી છે. ઓર્ડર કેન્સલ થતા તેમજ અશ્વો ચેપી રોગનો શિકાર બનતા અશ્વના માલિકોની ચિંતા વધી છે.   


મનુષ્યમાં પણ ચેપ ફેલાવાનો ડર!

ગ્લેન્ડર રોગની વાત કરી એ તો અશ્વકુળના પશુઓ જેવા કે અશ્વ ખચ્ચર વગેરેમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને ખૂબ વધુ તાવ આવવો તેમજ ચામડી ઉપર ચાંદા જેવા લક્ષણો દેખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગ્લેન્ડર રોગના કારણે અશ્વોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. અનેક અશ્વોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રોગ મનુષ્યોમાં ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 


અનેક અશ્વોના લેવાયા સેમ્પલ 

નાયબ કલેક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે ક્લેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડોક્ટરો ગ્લેન્ડર પોઝિટિવ આવેલા અશ્વને ઈન્જેક્શન આપીને દયામૃત્યુ આપી રહ્યા છે. હજી સુધીમાં કુલ 6 જેટલા પશુઓને દયામૃત્યુ આપવામાં આવી છે. તે સિવાય હજી સુધી અંદાજીત 150 જેટલા ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.