સામ પિત્રોડાના નિવેદન પર ગરમાઈ રાજનીતિ, ભારતના લોકો માટે આપ્યું વિવાદિત નિવેદન, તો PM Modiએ પણ આપી આ મામલે પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-08 16:59:34

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગઈ છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અગાઉ તેમણે ભારતમાં વિરાસત ટેક્સ લાદવા માટે ટિપ્પણી કરી હતી અને હવે તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. . 

શું કહ્યું સેમ પિત્રોડાએ?

સામ પિત્રોડા overseas કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી કરતા તેમણે પૂર્વ ભારતના લોકોના દેખાવને ચાઈના સાથે સરખાવ્યા છે. જ્યારે પશ્ચિમ ભારતના લોકોના દેખાવને આરબ દેશોના લોકો સાથે સરખાવ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના લોકોના દેખાવને આફ્રિકન લોકો સાથે સરખાવ્યા છે. સામ પિત્રોડાના નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે ફરી એક વખત.. મહત્વનું છે કે સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે.  

પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર આપી પ્રતિક્રિયા 

સામ પિત્રોડાના નિવેદનને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.. ટિપ્પણી પર વડાપ્રધાન મોદીએ તેલંગણાના વારંગલથી  આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર જનસભામાં તેમણે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આજે હું ખૂબ જ ગુસ્સામાં છું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકુમારના મિત્ર, ફિલોસોફર અને ગાઇડે જે કહ્યું તેનાથી મને ગુસ્સો આવી ગયો. તેમનું નિવેદન સંપૂર્ણપણે જાતિવાદી અને ખૂબ જ ખરાબ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.' મહત્વનું છે કે ભારતીયોના દેખાવને લઈને આ ટિપ્પણી ખુબ ચર્ચામાં આવી છે આ અગાઉ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને જ્યારે ટિપ્પણી કરી હતી ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આક્રમકઃ બની ગઈ હતી.ના માત્ર પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.