સામ પિત્રોડાના નિવેદન પર ગરમાઈ રાજનીતિ, ભારતના લોકો માટે આપ્યું વિવાદિત નિવેદન, તો PM Modiએ પણ આપી આ મામલે પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 16:59:34

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગઈ છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. અગાઉ તેમણે ભારતમાં વિરાસત ટેક્સ લાદવા માટે ટિપ્પણી કરી હતી અને હવે તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. . 

શું કહ્યું સેમ પિત્રોડાએ?

સામ પિત્રોડા overseas કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી કરતા તેમણે પૂર્વ ભારતના લોકોના દેખાવને ચાઈના સાથે સરખાવ્યા છે. જ્યારે પશ્ચિમ ભારતના લોકોના દેખાવને આરબ દેશોના લોકો સાથે સરખાવ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના લોકોના દેખાવને આફ્રિકન લોકો સાથે સરખાવ્યા છે. સામ પિત્રોડાના નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે ફરી એક વખત.. મહત્વનું છે કે સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે.  

પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર આપી પ્રતિક્રિયા 

સામ પિત્રોડાના નિવેદનને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.. ટિપ્પણી પર વડાપ્રધાન મોદીએ તેલંગણાના વારંગલથી  આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર જનસભામાં તેમણે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આજે હું ખૂબ જ ગુસ્સામાં છું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકુમારના મિત્ર, ફિલોસોફર અને ગાઇડે જે કહ્યું તેનાથી મને ગુસ્સો આવી ગયો. તેમનું નિવેદન સંપૂર્ણપણે જાતિવાદી અને ખૂબ જ ખરાબ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 'શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે 'જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.' મહત્વનું છે કે ભારતીયોના દેખાવને લઈને આ ટિપ્પણી ખુબ ચર્ચામાં આવી છે આ અગાઉ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને જ્યારે ટિપ્પણી કરી હતી ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આક્રમકઃ બની ગઈ હતી.ના માત્ર પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.