Sakshi malikના સન્યાસની જાહેરાતને લઈ ગરમાઈ રાજનીતિ! Congressએ કહ્યું BJPનું સૂત્ર बेटी रुलाओ, बेटी सताओ और बेटियों को घर बिठाओ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-22 12:52:34

થોડા મહિનાઓ પહેલા દિલ્હી ખાતે મહિલા કુસ્તીબાજો WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કરી રહી હતી. યૌન શોષણ લઈ મહિલા કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોતાની માગને લઈ દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન ચાલ્યું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. તે બાદ મામલો શાંત થઈ ગયો પરંતુ ગઈકાલે સાક્ષી મલિકે કુસ્તીબાજીથી સન્યાસ લેવાની વાત કરી કારણ કે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના વ્યક્તિ WFIના અધ્યક્ષ બન્યા. આ મુદ્દાને લઈ હવે કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. 

સાક્ષી મલિકે લીધો મહત્વનો નિર્ણય 

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે એકતરફી જીત મેળવી છે. પ્રમુખ પદ માટેની સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શ્યોરણ સામે હતી. આ જીતને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની જીત તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે.


જો WFIના પ્રમુખ જો આ રહેશે તો.... 

મીડિયા સાથે વાત કરતી વખતે સાક્ષીએ  રડતી આંખે કહ્યું- અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતું હવે જો બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ રહેશે એટલે હવે હું મારી કુસ્તી છોડી રહી છું. હવે હું તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું. 


કોંગ્રેસ આ મુદ્દે દેખાઈ રહી છે આક્રામક! 

આ વાતને લઈ હવે કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. આ મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કુસ્તીબાજ પુત્રીઓના જાતીય શોષણના આરોપમાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહના સહાયક સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિ એ ભારતના રમત-ગમતના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે. ખેડૂતની કુસ્તીબાજ દીકરીની આંખમાંથી નીકળતું દરેક આંસુ મોદી સરકારની બેશરમીનો પુરાવો છે. ભાજપનું સૂત્ર છે - "દીકરીઓને રડાવો, દિકરીઓને સતાવો અને દિકરીઓને ઘરે બેસાડો."

ભાજપના સાંસદની નથી કરવામાં આવી ધરપકડ - કોંગ્રેસ 

તો એક બીજી ટ્વિટમાં લખ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે પહેલો ઓલિમ્પિક મેડલ જીતનાર હરિયાણાના એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરીને આજે મોદી સરકારના 'પ્રભુત્વ'થી વતન જવાની ફરજ પડી છે. કુસ્તીબાજની દીકરીઓ ન્યાયની માંગ કરવા જંતર-મંતર પર બેઠી હતી પરંતુ ભાજપ સરકારે તેમને દિલ્હી પોલીસના જૂતાથી કચડી નાખ્યા હતા. જ્યારે મહિલા કુસ્તીબાજોએ ખુદ પીએમ મોદી, ગૃહમંત્રી અને ખેલ મંત્રીને ન્યાયની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવી ન હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.