માતા કેવી રીતે આટલી નિષ્ઠુર બની શકે છે! આઈફોન માટે માતા પિતાએ વેચી દીધો 8 મહિનાના માસુમ બાળકને! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-28 12:13:20

આઈફોન માત્ર ફોન નથી પરંતુ આજના જમાનામાં તેને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. લોકો એવું માનતા હોય છે કે જેમની પાસે આઈફોન છે તેમનો જ સોસાયટીમાં વટ પડે છે. વડ પાડવા તેમજ કલર કરવા અનેક લોકો આઈફોન માટે ઉધાર લેતા હોય છે, ઈએમઆઈ ભરતા હોય છે, વગેરે... વગેરે... એવા અનેક મિમ્સ પણ આપણે જોયા હશે કે શરીરના અંગ વેચી આઈફોન લેવડાવવાની વાત કરવામાં આવે છે. એવી વાતો મજાકમાં કરવામાં આવતી હોય છે જો આવી ઘટના સાચે બને તો? એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શરીરના અંગને નહીં પરંતુ આઠ માસની માસુમ દીકરીને વેચી દેવામાં આવી છે.  


આઈફોન માટે માતાએ વેચી નાખ્યો 8 માસના સંતાનને!

અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાની. અહીં એક માતાને રીલ બનાવવાનો એવો ચસ્કો ચડ્યો કે તેણે પોતાનું બાળક વેચી દીધું. ઉત્તર 24 પરગણા જિલ્લાની આ ઘટના છે, જેમાં માએ આઈફોન 14 ખરીદવા માટે પોતાના 8 મહિનાના બાળકનો સોદો કરી નાખ્યો. જે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ તે મહિલાના હાથમાં આઈફોન હતો જેને જોઈ આસપાસના લોકોને પ્રશ્ન થવો સ્વભાવિક હતો.  પડોસીયોએ જોયું કે ઘણા દિવસોથી તે ઘરમાં જે નાનું બાળક હતું એ દેખાતું નથી અને તે મહિલા રિલ્સ બનવા માટે અલગ અલગ જગ્યાએ જઈ રહી હતી. 


પડોસીને શક જતા સામે આવી પૂરી ઘટના 

આ અંગે પડોસીને કઈ ગડબડ હોય તેવો ભાસ થયો અને શક જતાં પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે આખો ભાંડો ફૂટ્યો. પોલીસે આ મામલે તપાસ કરી અને માતાની સઘન પૂછપરછ કરી અને એ જાણવાની કોશિશ કરી કે તે બાળક ક્યાં છે? બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપત્તિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે. એટલુંજ નહીં તેમની એક 7 વર્ષની દીકરી પણ છે, અને આની પહેલા તેના પિતા જયદેવએ પુત્રીને વેચવાનો પ્રયાસ કર્યો હતો 


બે લાખમાં માતાએ આપી દીધું પોતાનું સંતાન! 

કહેવાય છે કે બાળકને જન્મ આપતા પહેલા મહિલાએ ગર્ભપાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી માતા અને પતિની ધરપકડ કરી લીધી. પોલીસે બાળકને વેચવા બદલ માતા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે બાળકને ખરીદનાર પ્રિયંકા નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બાળકને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. બાળકની કિંમત માતાએ બે લાખ લગાવી!


સોશિયલ મીડિયાથી અંજાઈ ન જવું જોઈએ. 

આવી ઘટના સાંભળ્યા પછી એવો સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક માં જેને દુનિયામાં બધાથી ઉપર માનવામાં આવે છે, કે કઠિનમાં કઠિન મુશ્કેલીઓનો સામનો કરી બાળકને મોટો કરે છે. ત્યારે માં પોતાના ફૂલ જેવા બાળકને વેચી નાખે છે માત્ર આઈફોનની ઘેલછામાં? આ સોશિયલ મીડિયાએ તો હદ કરી યાર.. યુવાનો રીલ બનાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અનેક યુવાનો રિલ બનાવવાના ચક્કરમાં પોતાના જીવનને જોખમમાં મૂકે છે. આવી ઘટનાઓ બાદ આપણે બધાએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાની જે દુનિયા છે તે ખૂબ અલગ છે. મોટા ભાગે આપણે એમાં જે જોઈએ છે એ ફેક હોય છે એટલે એનાથી અંજાઈ ન જવું જોઈએ।  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.