માતા કેવી રીતે આટલી નિષ્ઠુર બની શકે છે! આઈફોન માટે માતા પિતાએ વેચી દીધો 8 મહિનાના માસુમ બાળકને! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-28 12:13:20

આઈફોન માત્ર ફોન નથી પરંતુ આજના જમાનામાં તેને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. લોકો એવું માનતા હોય છે કે જેમની પાસે આઈફોન છે તેમનો જ સોસાયટીમાં વટ પડે છે. વડ પાડવા તેમજ કલર કરવા અનેક લોકો આઈફોન માટે ઉધાર લેતા હોય છે, ઈએમઆઈ ભરતા હોય છે, વગેરે... વગેરે... એવા અનેક મિમ્સ પણ આપણે જોયા હશે કે શરીરના અંગ વેચી આઈફોન લેવડાવવાની વાત કરવામાં આવે છે. એવી વાતો મજાકમાં કરવામાં આવતી હોય છે જો આવી ઘટના સાચે બને તો? એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શરીરના અંગને નહીં પરંતુ આઠ માસની માસુમ દીકરીને વેચી દેવામાં આવી છે.  


આઈફોન માટે માતાએ વેચી નાખ્યો 8 માસના સંતાનને!

અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાની. અહીં એક માતાને રીલ બનાવવાનો એવો ચસ્કો ચડ્યો કે તેણે પોતાનું બાળક વેચી દીધું. ઉત્તર 24 પરગણા જિલ્લાની આ ઘટના છે, જેમાં માએ આઈફોન 14 ખરીદવા માટે પોતાના 8 મહિનાના બાળકનો સોદો કરી નાખ્યો. જે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ તે મહિલાના હાથમાં આઈફોન હતો જેને જોઈ આસપાસના લોકોને પ્રશ્ન થવો સ્વભાવિક હતો.  પડોસીયોએ જોયું કે ઘણા દિવસોથી તે ઘરમાં જે નાનું બાળક હતું એ દેખાતું નથી અને તે મહિલા રિલ્સ બનવા માટે અલગ અલગ જગ્યાએ જઈ રહી હતી. 


પડોસીને શક જતા સામે આવી પૂરી ઘટના 

આ અંગે પડોસીને કઈ ગડબડ હોય તેવો ભાસ થયો અને શક જતાં પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે આખો ભાંડો ફૂટ્યો. પોલીસે આ મામલે તપાસ કરી અને માતાની સઘન પૂછપરછ કરી અને એ જાણવાની કોશિશ કરી કે તે બાળક ક્યાં છે? બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપત્તિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે. એટલુંજ નહીં તેમની એક 7 વર્ષની દીકરી પણ છે, અને આની પહેલા તેના પિતા જયદેવએ પુત્રીને વેચવાનો પ્રયાસ કર્યો હતો 


બે લાખમાં માતાએ આપી દીધું પોતાનું સંતાન! 

કહેવાય છે કે બાળકને જન્મ આપતા પહેલા મહિલાએ ગર્ભપાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી માતા અને પતિની ધરપકડ કરી લીધી. પોલીસે બાળકને વેચવા બદલ માતા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે બાળકને ખરીદનાર પ્રિયંકા નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બાળકને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. બાળકની કિંમત માતાએ બે લાખ લગાવી!


સોશિયલ મીડિયાથી અંજાઈ ન જવું જોઈએ. 

આવી ઘટના સાંભળ્યા પછી એવો સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક માં જેને દુનિયામાં બધાથી ઉપર માનવામાં આવે છે, કે કઠિનમાં કઠિન મુશ્કેલીઓનો સામનો કરી બાળકને મોટો કરે છે. ત્યારે માં પોતાના ફૂલ જેવા બાળકને વેચી નાખે છે માત્ર આઈફોનની ઘેલછામાં? આ સોશિયલ મીડિયાએ તો હદ કરી યાર.. યુવાનો રીલ બનાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અનેક યુવાનો રિલ બનાવવાના ચક્કરમાં પોતાના જીવનને જોખમમાં મૂકે છે. આવી ઘટનાઓ બાદ આપણે બધાએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાની જે દુનિયા છે તે ખૂબ અલગ છે. મોટા ભાગે આપણે એમાં જે જોઈએ છે એ ફેક હોય છે એટલે એનાથી અંજાઈ ન જવું જોઈએ।  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.