માતા કેવી રીતે આટલી નિષ્ઠુર બની શકે છે! આઈફોન માટે માતા પિતાએ વેચી દીધો 8 મહિનાના માસુમ બાળકને! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-28 12:13:20

આઈફોન માત્ર ફોન નથી પરંતુ આજના જમાનામાં તેને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે. લોકો એવું માનતા હોય છે કે જેમની પાસે આઈફોન છે તેમનો જ સોસાયટીમાં વટ પડે છે. વડ પાડવા તેમજ કલર કરવા અનેક લોકો આઈફોન માટે ઉધાર લેતા હોય છે, ઈએમઆઈ ભરતા હોય છે, વગેરે... વગેરે... એવા અનેક મિમ્સ પણ આપણે જોયા હશે કે શરીરના અંગ વેચી આઈફોન લેવડાવવાની વાત કરવામાં આવે છે. એવી વાતો મજાકમાં કરવામાં આવતી હોય છે જો આવી ઘટના સાચે બને તો? એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શરીરના અંગને નહીં પરંતુ આઠ માસની માસુમ દીકરીને વેચી દેવામાં આવી છે.  


આઈફોન માટે માતાએ વેચી નાખ્યો 8 માસના સંતાનને!

અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાની. અહીં એક માતાને રીલ બનાવવાનો એવો ચસ્કો ચડ્યો કે તેણે પોતાનું બાળક વેચી દીધું. ઉત્તર 24 પરગણા જિલ્લાની આ ઘટના છે, જેમાં માએ આઈફોન 14 ખરીદવા માટે પોતાના 8 મહિનાના બાળકનો સોદો કરી નાખ્યો. જે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પરંતુ તે મહિલાના હાથમાં આઈફોન હતો જેને જોઈ આસપાસના લોકોને પ્રશ્ન થવો સ્વભાવિક હતો.  પડોસીયોએ જોયું કે ઘણા દિવસોથી તે ઘરમાં જે નાનું બાળક હતું એ દેખાતું નથી અને તે મહિલા રિલ્સ બનવા માટે અલગ અલગ જગ્યાએ જઈ રહી હતી. 


પડોસીને શક જતા સામે આવી પૂરી ઘટના 

આ અંગે પડોસીને કઈ ગડબડ હોય તેવો ભાસ થયો અને શક જતાં પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે આખો ભાંડો ફૂટ્યો. પોલીસે આ મામલે તપાસ કરી અને માતાની સઘન પૂછપરછ કરી અને એ જાણવાની કોશિશ કરી કે તે બાળક ક્યાં છે? બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપત્તિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે. એટલુંજ નહીં તેમની એક 7 વર્ષની દીકરી પણ છે, અને આની પહેલા તેના પિતા જયદેવએ પુત્રીને વેચવાનો પ્રયાસ કર્યો હતો 


બે લાખમાં માતાએ આપી દીધું પોતાનું સંતાન! 

કહેવાય છે કે બાળકને જન્મ આપતા પહેલા મહિલાએ ગર્ભપાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપી માતા અને પતિની ધરપકડ કરી લીધી. પોલીસે બાળકને વેચવા બદલ માતા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે બાળકને ખરીદનાર પ્રિયંકા નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બાળકને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. બાળકની કિંમત માતાએ બે લાખ લગાવી!


સોશિયલ મીડિયાથી અંજાઈ ન જવું જોઈએ. 

આવી ઘટના સાંભળ્યા પછી એવો સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક માં જેને દુનિયામાં બધાથી ઉપર માનવામાં આવે છે, કે કઠિનમાં કઠિન મુશ્કેલીઓનો સામનો કરી બાળકને મોટો કરે છે. ત્યારે માં પોતાના ફૂલ જેવા બાળકને વેચી નાખે છે માત્ર આઈફોનની ઘેલછામાં? આ સોશિયલ મીડિયાએ તો હદ કરી યાર.. યુવાનો રીલ બનાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અનેક યુવાનો રિલ બનાવવાના ચક્કરમાં પોતાના જીવનને જોખમમાં મૂકે છે. આવી ઘટનાઓ બાદ આપણે બધાએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયાની જે દુનિયા છે તે ખૂબ અલગ છે. મોટા ભાગે આપણે એમાં જે જોઈએ છે એ ફેક હોય છે એટલે એનાથી અંજાઈ ન જવું જોઈએ।  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .