પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અધ્યાપક બનવાને લાયક ન હતા તો પણ તે Saurashtra યુનિવર્સિટીમાં ડીન કેવી રીતે બની ગયા?


  • Published By :
  • Published Date : 2023-08-08 16:54:12

રાજનીતિને જ્યારે તમે સાક્ષીભાવથી જુઓ કે શું ચાલી રહ્યું છે શું નહીં કોઈ પણ પ્રકારના પૂર્વબંધારણાઓ રાખ્યા વગર ત્યારે ઘણું બધું સમજવા મળે છે. જ્યાં સુધી પદ હોય ત્યાં સુધી માન હોય, જેવું પદ જાય એટલે નેતા હતા ન હતા થઈ જાય છે. રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે કે કાકા મુખ્યમંત્રી હતા ભત્રીજો ડીન હતો. કાકા હવે મુખ્યમંત્રી નથી તો ભત્રીજો 5 વર્ષ ખોટી રીતે ડીન સહિતના વિવિધ હોદ્દા ભોગવતો હતો એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના કાંડ વિશે કે કેવી રીતે તે અધ્યાપક હોવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં સેનેટ બન્યા, ડીન બન્યા અને બીજા પણ અનેક હોદ્દાઓના પદ ભોગવતા રહ્યા. અને એ પણ કાકા મુખ્યમંત્રી હતા એટલે. 


વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા!

ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયમાં હાલ કંઈકને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ અને પૂર્વ ડીન ડૉ. મેહુલ રૂપાણીનું નામ કેન્સલ થયું. કારણ કે જે કોઈ પણ લડી રહ્યા હતા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે લાયકાત ધરાવતા ન હતા. જો તે અત્યાર સુધી અધ્યાપક હોવાના લાયક પણ ન હતા તો પછી કુલપતિ, રજિસ્ટ્રાર કે બીજા હોદ્દાઓ તેમણે કેવી રીતે ભોગવ્યા એ સવાલ છે. અમુક ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે આવું એટલા માટે થયું કારણ કે તેમની અટક રૂપાણી હતી અને તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા છે. વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા કારણ કે અત્યાર સુધી તે ગેરકાયદેસર રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોદ્દાઓ બોગવતા હતા. 

વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષની સફર | Vijay Rupani's 5  year journey as the Chief Minister of Gujarat - Gujarati Oneindia

મેહુલ રૂપાણી  અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંઠણી લડ્યા  

ડોક્ટર મેહુલ રૂપાણીની વાત કરીએ તો તે અધ્યાપક ન હોવા છતા અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ ખરા, પછી ડીનની ચૂંટણી લડ્યા, સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા. આ સિવાય પણ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જગ્યા પર હોદ્દો ભોગવી ચૂક્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા ડોક્ટર રૂપાણીને હાલ અધ્યાપક તરીકે મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. આ સાથો સાથ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાને સેનેટ મતદાર યાદીમાંથી પણ હટાવ્યા છે. હવે સવાલ એ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન સ્તરે આવા કૌભાંડો થતા હોય તો નીચે તો શું ચાલતું હશે એ તો જોવા જેવું છે. ઠીક છે રામ રાજ્ય પ્રજા સુખી ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.