પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અધ્યાપક બનવાને લાયક ન હતા તો પણ તે Saurashtra યુનિવર્સિટીમાં ડીન કેવી રીતે બની ગયા?


  • Published By :
  • Published Date : 2023-08-08 16:54:12

રાજનીતિને જ્યારે તમે સાક્ષીભાવથી જુઓ કે શું ચાલી રહ્યું છે શું નહીં કોઈ પણ પ્રકારના પૂર્વબંધારણાઓ રાખ્યા વગર ત્યારે ઘણું બધું સમજવા મળે છે. જ્યાં સુધી પદ હોય ત્યાં સુધી માન હોય, જેવું પદ જાય એટલે નેતા હતા ન હતા થઈ જાય છે. રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે કે કાકા મુખ્યમંત્રી હતા ભત્રીજો ડીન હતો. કાકા હવે મુખ્યમંત્રી નથી તો ભત્રીજો 5 વર્ષ ખોટી રીતે ડીન સહિતના વિવિધ હોદ્દા ભોગવતો હતો એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના કાંડ વિશે કે કેવી રીતે તે અધ્યાપક હોવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં સેનેટ બન્યા, ડીન બન્યા અને બીજા પણ અનેક હોદ્દાઓના પદ ભોગવતા રહ્યા. અને એ પણ કાકા મુખ્યમંત્રી હતા એટલે. 


વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા!

ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયમાં હાલ કંઈકને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ અને પૂર્વ ડીન ડૉ. મેહુલ રૂપાણીનું નામ કેન્સલ થયું. કારણ કે જે કોઈ પણ લડી રહ્યા હતા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે લાયકાત ધરાવતા ન હતા. જો તે અત્યાર સુધી અધ્યાપક હોવાના લાયક પણ ન હતા તો પછી કુલપતિ, રજિસ્ટ્રાર કે બીજા હોદ્દાઓ તેમણે કેવી રીતે ભોગવ્યા એ સવાલ છે. અમુક ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે આવું એટલા માટે થયું કારણ કે તેમની અટક રૂપાણી હતી અને તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા છે. વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા કારણ કે અત્યાર સુધી તે ગેરકાયદેસર રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોદ્દાઓ બોગવતા હતા. 

વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષની સફર | Vijay Rupani's 5  year journey as the Chief Minister of Gujarat - Gujarati Oneindia

મેહુલ રૂપાણી  અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંઠણી લડ્યા  

ડોક્ટર મેહુલ રૂપાણીની વાત કરીએ તો તે અધ્યાપક ન હોવા છતા અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ ખરા, પછી ડીનની ચૂંટણી લડ્યા, સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા. આ સિવાય પણ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જગ્યા પર હોદ્દો ભોગવી ચૂક્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા ડોક્ટર રૂપાણીને હાલ અધ્યાપક તરીકે મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. આ સાથો સાથ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાને સેનેટ મતદાર યાદીમાંથી પણ હટાવ્યા છે. હવે સવાલ એ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન સ્તરે આવા કૌભાંડો થતા હોય તો નીચે તો શું ચાલતું હશે એ તો જોવા જેવું છે. ઠીક છે રામ રાજ્ય પ્રજા સુખી ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.