પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અધ્યાપક બનવાને લાયક ન હતા તો પણ તે Saurashtra યુનિવર્સિટીમાં ડીન કેવી રીતે બની ગયા?


  • Published By :
  • Published Date : 2023-08-08 16:54:12

રાજનીતિને જ્યારે તમે સાક્ષીભાવથી જુઓ કે શું ચાલી રહ્યું છે શું નહીં કોઈ પણ પ્રકારના પૂર્વબંધારણાઓ રાખ્યા વગર ત્યારે ઘણું બધું સમજવા મળે છે. જ્યાં સુધી પદ હોય ત્યાં સુધી માન હોય, જેવું પદ જાય એટલે નેતા હતા ન હતા થઈ જાય છે. રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે કે કાકા મુખ્યમંત્રી હતા ભત્રીજો ડીન હતો. કાકા હવે મુખ્યમંત્રી નથી તો ભત્રીજો 5 વર્ષ ખોટી રીતે ડીન સહિતના વિવિધ હોદ્દા ભોગવતો હતો એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના કાંડ વિશે કે કેવી રીતે તે અધ્યાપક હોવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં સેનેટ બન્યા, ડીન બન્યા અને બીજા પણ અનેક હોદ્દાઓના પદ ભોગવતા રહ્યા. અને એ પણ કાકા મુખ્યમંત્રી હતા એટલે. 


વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા!

ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયમાં હાલ કંઈકને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ અને પૂર્વ ડીન ડૉ. મેહુલ રૂપાણીનું નામ કેન્સલ થયું. કારણ કે જે કોઈ પણ લડી રહ્યા હતા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે લાયકાત ધરાવતા ન હતા. જો તે અત્યાર સુધી અધ્યાપક હોવાના લાયક પણ ન હતા તો પછી કુલપતિ, રજિસ્ટ્રાર કે બીજા હોદ્દાઓ તેમણે કેવી રીતે ભોગવ્યા એ સવાલ છે. અમુક ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે આવું એટલા માટે થયું કારણ કે તેમની અટક રૂપાણી હતી અને તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા છે. વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા કારણ કે અત્યાર સુધી તે ગેરકાયદેસર રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોદ્દાઓ બોગવતા હતા. 

વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષની સફર | Vijay Rupani's 5  year journey as the Chief Minister of Gujarat - Gujarati Oneindia

મેહુલ રૂપાણી  અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંઠણી લડ્યા  

ડોક્ટર મેહુલ રૂપાણીની વાત કરીએ તો તે અધ્યાપક ન હોવા છતા અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ ખરા, પછી ડીનની ચૂંટણી લડ્યા, સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા. આ સિવાય પણ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જગ્યા પર હોદ્દો ભોગવી ચૂક્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા ડોક્ટર રૂપાણીને હાલ અધ્યાપક તરીકે મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. આ સાથો સાથ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાને સેનેટ મતદાર યાદીમાંથી પણ હટાવ્યા છે. હવે સવાલ એ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન સ્તરે આવા કૌભાંડો થતા હોય તો નીચે તો શું ચાલતું હશે એ તો જોવા જેવું છે. ઠીક છે રામ રાજ્ય પ્રજા સુખી ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.