પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અધ્યાપક બનવાને લાયક ન હતા તો પણ તે Saurashtra યુનિવર્સિટીમાં ડીન કેવી રીતે બની ગયા?


  • Published By :
  • Published Date : 2023-08-08 16:54:12

રાજનીતિને જ્યારે તમે સાક્ષીભાવથી જુઓ કે શું ચાલી રહ્યું છે શું નહીં કોઈ પણ પ્રકારના પૂર્વબંધારણાઓ રાખ્યા વગર ત્યારે ઘણું બધું સમજવા મળે છે. જ્યાં સુધી પદ હોય ત્યાં સુધી માન હોય, જેવું પદ જાય એટલે નેતા હતા ન હતા થઈ જાય છે. રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે કે કાકા મુખ્યમંત્રી હતા ભત્રીજો ડીન હતો. કાકા હવે મુખ્યમંત્રી નથી તો ભત્રીજો 5 વર્ષ ખોટી રીતે ડીન સહિતના વિવિધ હોદ્દા ભોગવતો હતો એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના કાંડ વિશે કે કેવી રીતે તે અધ્યાપક હોવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં સેનેટ બન્યા, ડીન બન્યા અને બીજા પણ અનેક હોદ્દાઓના પદ ભોગવતા રહ્યા. અને એ પણ કાકા મુખ્યમંત્રી હતા એટલે. 


વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા!

ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયમાં હાલ કંઈકને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ અને પૂર્વ ડીન ડૉ. મેહુલ રૂપાણીનું નામ કેન્સલ થયું. કારણ કે જે કોઈ પણ લડી રહ્યા હતા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે લાયકાત ધરાવતા ન હતા. જો તે અત્યાર સુધી અધ્યાપક હોવાના લાયક પણ ન હતા તો પછી કુલપતિ, રજિસ્ટ્રાર કે બીજા હોદ્દાઓ તેમણે કેવી રીતે ભોગવ્યા એ સવાલ છે. અમુક ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે આવું એટલા માટે થયું કારણ કે તેમની અટક રૂપાણી હતી અને તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા છે. વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા કારણ કે અત્યાર સુધી તે ગેરકાયદેસર રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોદ્દાઓ બોગવતા હતા. 

વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષની સફર | Vijay Rupani's 5  year journey as the Chief Minister of Gujarat - Gujarati Oneindia

મેહુલ રૂપાણી  અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંઠણી લડ્યા  

ડોક્ટર મેહુલ રૂપાણીની વાત કરીએ તો તે અધ્યાપક ન હોવા છતા અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ ખરા, પછી ડીનની ચૂંટણી લડ્યા, સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા. આ સિવાય પણ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જગ્યા પર હોદ્દો ભોગવી ચૂક્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા ડોક્ટર રૂપાણીને હાલ અધ્યાપક તરીકે મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. આ સાથો સાથ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાને સેનેટ મતદાર યાદીમાંથી પણ હટાવ્યા છે. હવે સવાલ એ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન સ્તરે આવા કૌભાંડો થતા હોય તો નીચે તો શું ચાલતું હશે એ તો જોવા જેવું છે. ઠીક છે રામ રાજ્ય પ્રજા સુખી ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.