ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન કોણ બનશે તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કેવી રીતે પૂર્ણ થાય છે આ પ્રક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-01-26 13:18:07

આ વખતના પ્રજાસત્તાક દિવસના દેશના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન બન્યા છે. દેશ આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ જોવા મળી જે મહિલાઓના સશક્તિકરણ પર આધારીત હતી. મહિલાઓને કેન્દ્રમાં રાખી થીમ તૈયાર કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ પરેડને નિહાળી. હવે તમને પ્રશ્ન થતો હશે કે એ કેવી રીતે નક્કી થાય કે કયા દેશથી મુખ્ય મહેમાન આવે? 


કેવી રીતે નક્કી થાય છે કોણ બનશે મુખ્ય મહેમાન? 

મુખ્ય અતિથિ કોણ આવશે તે અંગેની પ્રક્રિયા અંદાજીત 6 મહિના પહેલા શરૂ થઈ જતી હોય છે. આ કામ મુખ્યત્વે વિદેશ મંત્રાલયના સભ્યો સંભાળતા હોય છે. કોઈ પણ દેશને આમંત્રણ આપતા પહેલા એવું જોવામાં આવે છે કે ભારતના તે દેશ જોડે કેવા સંબંધો છે. ભારતના તે દેશ જોડે હમણા કેવા સંબંધો છે, સંબંધો સારા છે કે નહીં તે બધુ જોવામાં આવે છે. તે બાદ આગળના સ્ટેપ પર વધવામાં આવે છે. દેશના રાજકીય, આર્થિક, સૈન્ય અને વ્યાપારી હિતોને ધ્યાનમાં રાખીને  આગળ વધવામાં આવે છે. 


1950થી વિવિધ દેશના વડા બની રહ્યા છે ભારતના મુખ્ય મહેમાન!

સૌથી પહેલા કોને કોને આમંત્રણ આપી શકાય તે અંગેનું લિસ્ટ બનાવવામાં આવે છે. લિસ્ટ બનાવ્યા બાદ તેને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પાસે મોકલવામાં આવે છે. લિસ્ટ મોકલ્યા બાદ મહેમાનોનો કાર્યક્રમ જોવામાં આવે છે. તે સમય આપી શકશે કે નહીં તે અંગે વિચારવામાં આવે છે અને તે બાદ ઔપચારિક રીતે કાર્યવાહી આગળ વધે છે. મુખ્ય અતિથિ આવવાની શરૂઆત વર્ષ 1950થી થઈ હતી. ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ભારતના ગણતંત્ર દિવસ પરેડના પ્રથમ મુખ્ય અતિથિ બન્યા હતા. 

Republic Day 2024 Know How India Chooses Chief Guest For Celebration Interesting Facts Details in Hindi

ક્યારે કોને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા? 

ઈતિહાસની વાત કરીએ તો 1950-1970ના દાયકા દરમિયાન, ભારતે બિન-જોડાણવાદી ચળવળ અને પૂર્વીય બ્લોક સાથે સંકળાયેલા ઘણા દેશોના વડાને મુખ્ય યજમાન તરીકે બોલાવ્યા હતા. 1966માં ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધનને કારણે મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બે વખત એવું બન્યું કે ભારતે બે દેશના વડાને એક સાથે આમંત્રિત કર્યા હતા. અને એ વર્ષ હતું 1968 અને 1974. કોરોના મહામારીને કારણે વર્ષ 2021 અને 2022માં કોઈ મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, વર્ષ 2023માં અલ્દેલ ફતહ અલ સિસી ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દેશના મુખ્ય યજમાન બન્યા છે.

Republic Day 2024 Know How India Chooses Chief Guest For Celebration Interesting Facts Details in Hindi

આ વખતે મુખ્ય મહેમાન બન્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ  

ભારતે 26 જાન્યુઆરી પરેડમાં 36 એશિયન દેશોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ પછી યુરોપના 24 દેશ અને આફ્રિકાના 12 દેશો પ્રજાસત્તાક દિવસ પર ભારત દેશના મહેમાન બન્યા છે. ભારતે દક્ષિણ અમેરિકાના પાંચ, ઉત્તર અમેરિકાના ત્રણ અને ઓશનિયા ક્ષેત્રના એકમાત્ર દેશની યજમાની કરી છે. બીજા દેશના વડાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવા પાછળ રાજનૈતિક સમીકરણો સામાન્ય રીતે જોડાયેલા હોય છે. ભારત દેશના મુખ્ય યજમાન કોણ બનશે તેની પર સૌ કોઈની નજર રહેલી હોય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.