આવતા મહિને અમુલ ડેરીમાં યોજાશે ચૂંટણીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-13 14:24:58

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

Amul Dairy & its Satellite Units  

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને ૧૦મી સપ્ટેમ્બરના રોજ અમુલ નિયામક મંડળની ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. જેમાં બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજાશે.  આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે ૨૦ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ફોર્મ ભરાશે.જાહેર રજાના દિવસો સિવાય ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી, નવું સેવાસદન, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. ૨૯મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૩૦મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે . આ ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો પણ અમુલની ચૂંટણીને લઇને સક્રિય દેખાઈ રહ્યા છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અમુલ ડેરીમાં વિઝીટ વધી રહી છે. 

Amul Foodland in Amul Dairy,Anand - Order Food Online - Best Fast Food near  me in Anand - Justdial

તો હવે અમુલ નિયામક મંડળની ચૂંટણીઓને લઇને પ્રાથમિક મતદાર યાદીમાં ૧૧૯૫ મતો નોંધાયા હતા. જેમાં ૬૧ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત , ૧૫ નવા મતદારો નોંધાયા છે. આમ કુલ ૧૨૧૦ મતદારો નોંધાયા છે . પ્રસ્સિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી અંતર્ગત, આણંદ ૧૧૦ , ખંભાત ૧૦૫ , બોરસદ ૯૩ , પેટલાદ ૮૯ , ઠાસરા ૧૦૭ , બાલાસિનોર ૯૪ , કઠલાલ ૧૦૪ , કપડવંજ ૧૧૨ , મહેમદાવાદ ૧૦૪ , માતર ૯૦ , નડિયાદ ૧૦૭ , વીરપુર ૯૫ મળી કુલ ૧૨૧૦ મતદારો સાથેની યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પછી અમુલ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું . મહિલાઓ માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે. હવે જોવાનું એ છે કે , સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે? 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.