આવતા મહિને અમુલ ડેરીમાં યોજાશે ચૂંટણીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-13 14:24:58

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

Amul Dairy & its Satellite Units  

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને ૧૦મી સપ્ટેમ્બરના રોજ અમુલ નિયામક મંડળની ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. જેમાં બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજાશે.  આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે ૨૦ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ફોર્મ ભરાશે.જાહેર રજાના દિવસો સિવાય ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી, નવું સેવાસદન, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. ૨૯મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૩૦મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે . આ ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો પણ અમુલની ચૂંટણીને લઇને સક્રિય દેખાઈ રહ્યા છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અમુલ ડેરીમાં વિઝીટ વધી રહી છે. 

Amul Foodland in Amul Dairy,Anand - Order Food Online - Best Fast Food near  me in Anand - Justdial

તો હવે અમુલ નિયામક મંડળની ચૂંટણીઓને લઇને પ્રાથમિક મતદાર યાદીમાં ૧૧૯૫ મતો નોંધાયા હતા. જેમાં ૬૧ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત , ૧૫ નવા મતદારો નોંધાયા છે. આમ કુલ ૧૨૧૦ મતદારો નોંધાયા છે . પ્રસ્સિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી અંતર્ગત, આણંદ ૧૧૦ , ખંભાત ૧૦૫ , બોરસદ ૯૩ , પેટલાદ ૮૯ , ઠાસરા ૧૦૭ , બાલાસિનોર ૯૪ , કઠલાલ ૧૦૪ , કપડવંજ ૧૧૨ , મહેમદાવાદ ૧૦૪ , માતર ૯૦ , નડિયાદ ૧૦૭ , વીરપુર ૯૫ મળી કુલ ૧૨૧૦ મતદારો સાથેની યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પછી અમુલ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું . મહિલાઓ માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે. હવે જોવાનું એ છે કે , સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે? 




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.