આવતા મહિને અમુલ ડેરીમાં યોજાશે ચૂંટણીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-13 14:24:58

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

Amul Dairy & its Satellite Units  

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને ૧૦મી સપ્ટેમ્બરના રોજ અમુલ નિયામક મંડળની ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. જેમાં બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજાશે.  આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે ૨૦ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ફોર્મ ભરાશે.જાહેર રજાના દિવસો સિવાય ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી, નવું સેવાસદન, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. ૨૯મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૩૦મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે . આ ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો પણ અમુલની ચૂંટણીને લઇને સક્રિય દેખાઈ રહ્યા છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અમુલ ડેરીમાં વિઝીટ વધી રહી છે. 

Amul Foodland in Amul Dairy,Anand - Order Food Online - Best Fast Food near  me in Anand - Justdial

તો હવે અમુલ નિયામક મંડળની ચૂંટણીઓને લઇને પ્રાથમિક મતદાર યાદીમાં ૧૧૯૫ મતો નોંધાયા હતા. જેમાં ૬૧ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત , ૧૫ નવા મતદારો નોંધાયા છે. આમ કુલ ૧૨૧૦ મતદારો નોંધાયા છે . પ્રસ્સિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી અંતર્ગત, આણંદ ૧૧૦ , ખંભાત ૧૦૫ , બોરસદ ૯૩ , પેટલાદ ૮૯ , ઠાસરા ૧૦૭ , બાલાસિનોર ૯૪ , કઠલાલ ૧૦૪ , કપડવંજ ૧૧૨ , મહેમદાવાદ ૧૦૪ , માતર ૯૦ , નડિયાદ ૧૦૭ , વીરપુર ૯૫ મળી કુલ ૧૨૧૦ મતદારો સાથેની યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પછી અમુલ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું . મહિલાઓ માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે. હવે જોવાનું એ છે કે , સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે? 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.