આવતા મહિને અમુલ ડેરીમાં યોજાશે ચૂંટણીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-13 14:24:58

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

Amul Dairy & its Satellite Units  

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને ૧૦મી સપ્ટેમ્બરના રોજ અમુલ નિયામક મંડળની ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. જેમાં બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજાશે.  આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે ૨૦ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ફોર્મ ભરાશે.જાહેર રજાના દિવસો સિવાય ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી, નવું સેવાસદન, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. ૨૯મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૩૦મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે . આ ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો પણ અમુલની ચૂંટણીને લઇને સક્રિય દેખાઈ રહ્યા છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અમુલ ડેરીમાં વિઝીટ વધી રહી છે. 

Amul Foodland in Amul Dairy,Anand - Order Food Online - Best Fast Food near  me in Anand - Justdial

તો હવે અમુલ નિયામક મંડળની ચૂંટણીઓને લઇને પ્રાથમિક મતદાર યાદીમાં ૧૧૯૫ મતો નોંધાયા હતા. જેમાં ૬૧ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત , ૧૫ નવા મતદારો નોંધાયા છે. આમ કુલ ૧૨૧૦ મતદારો નોંધાયા છે . પ્રસ્સિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી અંતર્ગત, આણંદ ૧૧૦ , ખંભાત ૧૦૫ , બોરસદ ૯૩ , પેટલાદ ૮૯ , ઠાસરા ૧૦૭ , બાલાસિનોર ૯૪ , કઠલાલ ૧૦૪ , કપડવંજ ૧૧૨ , મહેમદાવાદ ૧૦૪ , માતર ૯૦ , નડિયાદ ૧૦૭ , વીરપુર ૯૫ મળી કુલ ૧૨૧૦ મતદારો સાથેની યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પછી અમુલ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું . મહિલાઓ માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે. હવે જોવાનું એ છે કે , સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે? 




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.