રાહુલ ગાંધીએ કેમ પીએમ મોદીને લીધા આડેહાથ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-16 16:55:39

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. " 

Shri Rahul Gandhi raises the concerns of students in LS, says our  examination system is up for sale

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , ૭૯માં આઝાદીના પર્વ પર , લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. તો હવે આ યોજનાને લઇને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા પ્લેટોફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ૧૧ વર્ષ પછી પણ મોદીજીના એજ જુના વાયદાઓ , એજ મોઢે કરેલા આંકડા. પાછલા વર્ષે ૧ લાખ કરોડથી ૧ કરોડ ઇન્ટર્નશિપનો વાયદો હતો. આ વર્ષે ફરી ૧ લાખ કરોડ નોકરીની યોજના. સત્ય શું છે? સંસદમાં મારા સવાલ પર સરકારે માન્યું છે કે , ૧૦ હજારથી ઓછા લોકોને ઇન્ટર્નશિપ આપવામાં આવી છે. સ્ટાઈપેન્ડ એટલું ઓછું હતું કે , ૯૦ ટકા યુવાનોએ ના પાડી દીધી. મોદીજી પાસે હવે કોઈ નવો આઈડિયા નથી બચ્યો. આ સરકારથી યુવાઓને રોજગાર નહિ પરંતુ ખાલી જુમલાઓ મળે છે. " 

આમ રાહુલ ગાંધીએ , પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છેઆપને જણાવી દયિકે , રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને હતો. સવાલ એ છે કે , ૨૦૨૪-૨૦૨૫ માટે ઇન્ટર્નશિપ માટે કેટલી અરજીઓ આવી હતી? કેટલા લોકોને ઓફર મળી ? ખરેખર કેટલા લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે? તો આ બાબતે , મંત્રાલય તરફથી આનો જવાબ પણ આવ્યો છે , પીએમ ઈન્ટર્નરશિપ સ્કીમ માટે , ૧૦,૭૭,૦૦૦ લોકોના આવેદન પ્રાપ્ત થયા છે , જેમાંથી ૧,૫૩,૦૦૦ લોકોને ઓફર મળી છે. એમાંથી , ૯૪૫૩ લોકોએ ઇન્ટર્નશિપ જોઈન કરી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે , ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોની સંખ્યા ઓછી છે કેમ કે , સ્ટાઈપેન્ડની રકમ ખુબ જ ઓછી છે. 




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.