રાહુલ ગાંધીએ કેમ પીએમ મોદીને લીધા આડેહાથ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-16 16:55:39

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. " 

Shri Rahul Gandhi raises the concerns of students in LS, says our  examination system is up for sale

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , ૭૯માં આઝાદીના પર્વ પર , લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. તો હવે આ યોજનાને લઇને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા પ્લેટોફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ૧૧ વર્ષ પછી પણ મોદીજીના એજ જુના વાયદાઓ , એજ મોઢે કરેલા આંકડા. પાછલા વર્ષે ૧ લાખ કરોડથી ૧ કરોડ ઇન્ટર્નશિપનો વાયદો હતો. આ વર્ષે ફરી ૧ લાખ કરોડ નોકરીની યોજના. સત્ય શું છે? સંસદમાં મારા સવાલ પર સરકારે માન્યું છે કે , ૧૦ હજારથી ઓછા લોકોને ઇન્ટર્નશિપ આપવામાં આવી છે. સ્ટાઈપેન્ડ એટલું ઓછું હતું કે , ૯૦ ટકા યુવાનોએ ના પાડી દીધી. મોદીજી પાસે હવે કોઈ નવો આઈડિયા નથી બચ્યો. આ સરકારથી યુવાઓને રોજગાર નહિ પરંતુ ખાલી જુમલાઓ મળે છે. " 

આમ રાહુલ ગાંધીએ , પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છેઆપને જણાવી દયિકે , રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને હતો. સવાલ એ છે કે , ૨૦૨૪-૨૦૨૫ માટે ઇન્ટર્નશિપ માટે કેટલી અરજીઓ આવી હતી? કેટલા લોકોને ઓફર મળી ? ખરેખર કેટલા લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે? તો આ બાબતે , મંત્રાલય તરફથી આનો જવાબ પણ આવ્યો છે , પીએમ ઈન્ટર્નરશિપ સ્કીમ માટે , ૧૦,૭૭,૦૦૦ લોકોના આવેદન પ્રાપ્ત થયા છે , જેમાંથી ૧,૫૩,૦૦૦ લોકોને ઓફર મળી છે. એમાંથી , ૯૪૫૩ લોકોએ ઇન્ટર્નશિપ જોઈન કરી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે , ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોની સંખ્યા ઓછી છે કેમ કે , સ્ટાઈપેન્ડની રકમ ખુબ જ ઓછી છે. 




ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .

ગુજરાતમાં બહુ ચર્ચિત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.