રાહુલ ગાંધીએ કેમ પીએમ મોદીને લીધા આડેહાથ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-16 16:55:39

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. " 

Shri Rahul Gandhi raises the concerns of students in LS, says our  examination system is up for sale

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , ૭૯માં આઝાદીના પર્વ પર , લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. તો હવે આ યોજનાને લઇને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા પ્લેટોફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ૧૧ વર્ષ પછી પણ મોદીજીના એજ જુના વાયદાઓ , એજ મોઢે કરેલા આંકડા. પાછલા વર્ષે ૧ લાખ કરોડથી ૧ કરોડ ઇન્ટર્નશિપનો વાયદો હતો. આ વર્ષે ફરી ૧ લાખ કરોડ નોકરીની યોજના. સત્ય શું છે? સંસદમાં મારા સવાલ પર સરકારે માન્યું છે કે , ૧૦ હજારથી ઓછા લોકોને ઇન્ટર્નશિપ આપવામાં આવી છે. સ્ટાઈપેન્ડ એટલું ઓછું હતું કે , ૯૦ ટકા યુવાનોએ ના પાડી દીધી. મોદીજી પાસે હવે કોઈ નવો આઈડિયા નથી બચ્યો. આ સરકારથી યુવાઓને રોજગાર નહિ પરંતુ ખાલી જુમલાઓ મળે છે. " 

આમ રાહુલ ગાંધીએ , પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છેઆપને જણાવી દયિકે , રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને હતો. સવાલ એ છે કે , ૨૦૨૪-૨૦૨૫ માટે ઇન્ટર્નશિપ માટે કેટલી અરજીઓ આવી હતી? કેટલા લોકોને ઓફર મળી ? ખરેખર કેટલા લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે? તો આ બાબતે , મંત્રાલય તરફથી આનો જવાબ પણ આવ્યો છે , પીએમ ઈન્ટર્નરશિપ સ્કીમ માટે , ૧૦,૭૭,૦૦૦ લોકોના આવેદન પ્રાપ્ત થયા છે , જેમાંથી ૧,૫૩,૦૦૦ લોકોને ઓફર મળી છે. એમાંથી , ૯૪૫૩ લોકોએ ઇન્ટર્નશિપ જોઈન કરી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે , ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોની સંખ્યા ઓછી છે કેમ કે , સ્ટાઈપેન્ડની રકમ ખુબ જ ઓછી છે. 




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.