રાહુલ ગાંધીએ કેમ પીએમ મોદીને લીધા આડેહાથ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-16 16:55:39

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. " 

Shri Rahul Gandhi raises the concerns of students in LS, says our  examination system is up for sale

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , ૭૯માં આઝાદીના પર્વ પર , લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. તો હવે આ યોજનાને લઇને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા પ્લેટોફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ૧૧ વર્ષ પછી પણ મોદીજીના એજ જુના વાયદાઓ , એજ મોઢે કરેલા આંકડા. પાછલા વર્ષે ૧ લાખ કરોડથી ૧ કરોડ ઇન્ટર્નશિપનો વાયદો હતો. આ વર્ષે ફરી ૧ લાખ કરોડ નોકરીની યોજના. સત્ય શું છે? સંસદમાં મારા સવાલ પર સરકારે માન્યું છે કે , ૧૦ હજારથી ઓછા લોકોને ઇન્ટર્નશિપ આપવામાં આવી છે. સ્ટાઈપેન્ડ એટલું ઓછું હતું કે , ૯૦ ટકા યુવાનોએ ના પાડી દીધી. મોદીજી પાસે હવે કોઈ નવો આઈડિયા નથી બચ્યો. આ સરકારથી યુવાઓને રોજગાર નહિ પરંતુ ખાલી જુમલાઓ મળે છે. " 

આમ રાહુલ ગાંધીએ , પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છેઆપને જણાવી દયિકે , રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને હતો. સવાલ એ છે કે , ૨૦૨૪-૨૦૨૫ માટે ઇન્ટર્નશિપ માટે કેટલી અરજીઓ આવી હતી? કેટલા લોકોને ઓફર મળી ? ખરેખર કેટલા લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે? તો આ બાબતે , મંત્રાલય તરફથી આનો જવાબ પણ આવ્યો છે , પીએમ ઈન્ટર્નરશિપ સ્કીમ માટે , ૧૦,૭૭,૦૦૦ લોકોના આવેદન પ્રાપ્ત થયા છે , જેમાંથી ૧,૫૩,૦૦૦ લોકોને ઓફર મળી છે. એમાંથી , ૯૪૫૩ લોકોએ ઇન્ટર્નશિપ જોઈન કરી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે , ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોની સંખ્યા ઓછી છે કેમ કે , સ્ટાઈપેન્ડની રકમ ખુબ જ ઓછી છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.