ક્યાં સુધી ભાજપ કરશે વડાપ્રધાન મોદીના નામથી પ્રચાર? વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાતમાં લેવાઈ રહ્યો છે પીએમની ચાહનાનો સહારો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:56:27

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સોશિયલનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમારએ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.


ભરોસો ગુજરાતને છે મોદીજી પર - ભાજપ

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પાર્ટી એક બીજા પર પ્રહાર કરતી હોય છે ત્યારે ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખયું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમાર,એ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. | Gujarati

મતદાતા ભાજપને નહીં પરંતુ મોદીજીને મત આપે છે 

ભાજપની આ પોસ્ટ જોઈ એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં આટલા બધા વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ પ્રચાર ભાજપનો થવાને બદલે વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે ભાજપ પાસે મોદીજી સિવાય એવો એક પણ ચહેરો નથી જેના દમથી ભાજપ ચૂંટણી જીતી શકે. અનેક લોકો પણ ભાજપને નહીં પરંતુ મોદીના નામ પર વોટ કરતા હોય છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.