ક્યાં સુધી ભાજપ કરશે વડાપ્રધાન મોદીના નામથી પ્રચાર? વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાતમાં લેવાઈ રહ્યો છે પીએમની ચાહનાનો સહારો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:56:27

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સોશિયલનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમારએ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.


ભરોસો ગુજરાતને છે મોદીજી પર - ભાજપ

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પાર્ટી એક બીજા પર પ્રહાર કરતી હોય છે ત્યારે ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખયું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમાર,એ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. | Gujarati

મતદાતા ભાજપને નહીં પરંતુ મોદીજીને મત આપે છે 

ભાજપની આ પોસ્ટ જોઈ એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં આટલા બધા વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ પ્રચાર ભાજપનો થવાને બદલે વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે ભાજપ પાસે મોદીજી સિવાય એવો એક પણ ચહેરો નથી જેના દમથી ભાજપ ચૂંટણી જીતી શકે. અનેક લોકો પણ ભાજપને નહીં પરંતુ મોદીના નામ પર વોટ કરતા હોય છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.