ક્યાં સુધી ભાજપ કરશે વડાપ્રધાન મોદીના નામથી પ્રચાર? વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાતમાં લેવાઈ રહ્યો છે પીએમની ચાહનાનો સહારો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:56:27

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સોશિયલનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમારએ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.


ભરોસો ગુજરાતને છે મોદીજી પર - ભાજપ

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પાર્ટી એક બીજા પર પ્રહાર કરતી હોય છે ત્યારે ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખયું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમાર,એ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. | Gujarati

મતદાતા ભાજપને નહીં પરંતુ મોદીજીને મત આપે છે 

ભાજપની આ પોસ્ટ જોઈ એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં આટલા બધા વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ પ્રચાર ભાજપનો થવાને બદલે વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે ભાજપ પાસે મોદીજી સિવાય એવો એક પણ ચહેરો નથી જેના દમથી ભાજપ ચૂંટણી જીતી શકે. અનેક લોકો પણ ભાજપને નહીં પરંતુ મોદીના નામ પર વોટ કરતા હોય છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.