ક્યાં સુધી ભાજપ કરશે વડાપ્રધાન મોદીના નામથી પ્રચાર? વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાતમાં લેવાઈ રહ્યો છે પીએમની ચાહનાનો સહારો


  • Published By :
  • Published Date : 2022-11-14 15:56:27

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સોશિયલનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમારએ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.


ભરોસો ગુજરાતને છે મોદીજી પર - ભાજપ

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પાર્ટી એક બીજા પર પ્રહાર કરતી હોય છે ત્યારે ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં લખયું છે કે સૂરજને આકાશ પર, વાદળને વરસાદ પર હોય છે ભરોસાની ભરમાર,એ ભરોસો ગુજરાતને મોદીજી પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. | Gujarati

મતદાતા ભાજપને નહીં પરંતુ મોદીજીને મત આપે છે 

ભાજપની આ પોસ્ટ જોઈ એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં આટલા બધા વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ પ્રચાર ભાજપનો થવાને બદલે વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે ભાજપ પાસે મોદીજી સિવાય એવો એક પણ ચહેરો નથી જેના દમથી ભાજપ ચૂંટણી જીતી શકે. અનેક લોકો પણ ભાજપને નહીં પરંતુ મોદીના નામ પર વોટ કરતા હોય છે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.