અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી ચઢાવાશે લોકોની બલિ! જૂનાગઢમાં બાળકીઓને પિતાએ ધુણાવી અને અંગારા પર ચલાવી


  • Published By :
  • Published Date : 2023-03-30 15:44:18

કહેવા માટે તો આપણે એક્વીસમી સદીમાં જીવીએ છીએ. ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આપણને વિચારવા મજબૂર કરી રહ્યા છે કે સાચે આપણે વિચારોની દ્રષ્ટિએ આટલા આગળ વધ્યા છીએ? આ વાત એટલા માટે કરવી છે કારણ કે કેશોદથી એક એવી ઘટના સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દે તેવી છે. બાળકીમાં ભૂત પ્રેત છે તેવું કહી સગીરાને પિતાએ અંગારા પર ચલાવી, અને દીકરીને ધૂણાવી.        


કેશોદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના 

અંધશ્રદ્ધાનો શિકાર અનેક લોકો બનતા હોય છે. ત્યારે કેશોદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક છોકરી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. આ ઘટના જૂનાગઢના કેશોદના એક ગામની છે. ગામડામાં એક મા પોતાની ત્રણ દીકરીઓ સાથે સાતેક વર્ષથી પતિથી અલગ રહેતી હતી. ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પતિને સમાધાન કરવું છે તેમ કહીં પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પતિએ પત્નીને બધા સાથે આવવાનું કહ્યું. 


અંગારા પર ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો!  

પતિ તરફથી આમંત્રણ મળતા પત્ની દિકરીઓ સાથે હવનમાં ગઈ. પરંતુ આગળ દીકરી સાથે શું થવાનું છે તેની જાણ માને ન હતી. સમાધાન કરવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં જે બન્યુંએ ભયંકર હતું. હવનમાં પતિએ ભૂવાઓ સાથે મળીને દિકરીને ધૂણાવી.એવું પણ કહેવામાં આવ્યું હતું દીકરીને માતાજી આવ્યા છે. પરંતુ આની આગળ જે થયું તે ભયાનક હતું. પિતાએ દીકરીને આગ પર ચલાવી અને હવનમાં દીકરીનો હાથ નાખ્યો. દીકરીની બલિ ચઢાવવા માટે કહ્યું પણ દીકરીએ ના પાડી તો તેને ઢોર માર માર્યો અને બે દિવસ દીકરીને ભૂખી રાખી. જો એ દિકરીની મા ના હોત તો આજે દિકરી જીવતી ના હોત. દિકરીનો વાંક એટલો જ હતો કે એ બાપ સાથે નહીં પણ મા સાથે રહેતી હતી. આવી તો ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી છે.


આ ઘટના અંગે તપાસ કરવામાં આવશે - મંત્રી  

આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઈ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. 


લોકોને જાગૃત કરવા એ આપણી સામાજીક ફરજ  

મહત્વનું છે કે એક તરફ આપણે હાઈટેક અને ટેક્નોલોજીભર્યા સમયની વાત કરીએ તો છીએ પણ આજે પણ આવી ઘટનાઓ માનવતાને શમર્સાર કરી દે છે. શિક્ષિત સમાજમાં પણ આવા બનાવો બનતા રહેશે તો આ બહુ ગંભીર ઘટના છે.. આ મામલે અનેક સંસ્થા એવી છે જે આ અંગે જાગૃતિ લાવવા કામ કરે છે. આ પ્રકારના સમાચારો આપણા સમાજ માટે શરમની વાત કહેવાય કે 21મી સદીમાં પણ આવી ઘટનાઓ ઘટી રહી છે.. જ્યારે આપણી નજીકમાં આવી ઘટનાઓ ઘટે ત્યારે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી આવી ઘટનાઓ બંધ થાય અને અંધશ્રદ્ધાના નામે લોકોની અપાતી બલી રોકી શકાય.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે