અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી ચઢાવાશે લોકોની બલિ! જૂનાગઢમાં બાળકીઓને પિતાએ ધુણાવી અને અંગારા પર ચલાવી


  • Published By :
  • Published Date : 2023-03-30 15:44:18

કહેવા માટે તો આપણે એક્વીસમી સદીમાં જીવીએ છીએ. ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આપણને વિચારવા મજબૂર કરી રહ્યા છે કે સાચે આપણે વિચારોની દ્રષ્ટિએ આટલા આગળ વધ્યા છીએ? આ વાત એટલા માટે કરવી છે કારણ કે કેશોદથી એક એવી ઘટના સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દે તેવી છે. બાળકીમાં ભૂત પ્રેત છે તેવું કહી સગીરાને પિતાએ અંગારા પર ચલાવી, અને દીકરીને ધૂણાવી.        


કેશોદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના 

અંધશ્રદ્ધાનો શિકાર અનેક લોકો બનતા હોય છે. ત્યારે કેશોદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક છોકરી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. આ ઘટના જૂનાગઢના કેશોદના એક ગામની છે. ગામડામાં એક મા પોતાની ત્રણ દીકરીઓ સાથે સાતેક વર્ષથી પતિથી અલગ રહેતી હતી. ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પતિને સમાધાન કરવું છે તેમ કહીં પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પતિએ પત્નીને બધા સાથે આવવાનું કહ્યું. 


અંગારા પર ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો!  

પતિ તરફથી આમંત્રણ મળતા પત્ની દિકરીઓ સાથે હવનમાં ગઈ. પરંતુ આગળ દીકરી સાથે શું થવાનું છે તેની જાણ માને ન હતી. સમાધાન કરવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં જે બન્યુંએ ભયંકર હતું. હવનમાં પતિએ ભૂવાઓ સાથે મળીને દિકરીને ધૂણાવી.એવું પણ કહેવામાં આવ્યું હતું દીકરીને માતાજી આવ્યા છે. પરંતુ આની આગળ જે થયું તે ભયાનક હતું. પિતાએ દીકરીને આગ પર ચલાવી અને હવનમાં દીકરીનો હાથ નાખ્યો. દીકરીની બલિ ચઢાવવા માટે કહ્યું પણ દીકરીએ ના પાડી તો તેને ઢોર માર માર્યો અને બે દિવસ દીકરીને ભૂખી રાખી. જો એ દિકરીની મા ના હોત તો આજે દિકરી જીવતી ના હોત. દિકરીનો વાંક એટલો જ હતો કે એ બાપ સાથે નહીં પણ મા સાથે રહેતી હતી. આવી તો ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી છે.


આ ઘટના અંગે તપાસ કરવામાં આવશે - મંત્રી  

આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઈ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. 


લોકોને જાગૃત કરવા એ આપણી સામાજીક ફરજ  

મહત્વનું છે કે એક તરફ આપણે હાઈટેક અને ટેક્નોલોજીભર્યા સમયની વાત કરીએ તો છીએ પણ આજે પણ આવી ઘટનાઓ માનવતાને શમર્સાર કરી દે છે. શિક્ષિત સમાજમાં પણ આવા બનાવો બનતા રહેશે તો આ બહુ ગંભીર ઘટના છે.. આ મામલે અનેક સંસ્થા એવી છે જે આ અંગે જાગૃતિ લાવવા કામ કરે છે. આ પ્રકારના સમાચારો આપણા સમાજ માટે શરમની વાત કહેવાય કે 21મી સદીમાં પણ આવી ઘટનાઓ ઘટી રહી છે.. જ્યારે આપણી નજીકમાં આવી ઘટનાઓ ઘટે ત્યારે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી આવી ઘટનાઓ બંધ થાય અને અંધશ્રદ્ધાના નામે લોકોની અપાતી બલી રોકી શકાય.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.