અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી ચઢાવાશે લોકોની બલિ! જૂનાગઢમાં બાળકીઓને પિતાએ ધુણાવી અને અંગારા પર ચલાવી


  • Published By :
  • Published Date : 2023-03-30 15:44:18

કહેવા માટે તો આપણે એક્વીસમી સદીમાં જીવીએ છીએ. ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં અંધશ્રદ્ધાના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આપણને વિચારવા મજબૂર કરી રહ્યા છે કે સાચે આપણે વિચારોની દ્રષ્ટિએ આટલા આગળ વધ્યા છીએ? આ વાત એટલા માટે કરવી છે કારણ કે કેશોદથી એક એવી ઘટના સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દે તેવી છે. બાળકીમાં ભૂત પ્રેત છે તેવું કહી સગીરાને પિતાએ અંગારા પર ચલાવી, અને દીકરીને ધૂણાવી.        


કેશોદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના 

અંધશ્રદ્ધાનો શિકાર અનેક લોકો બનતા હોય છે. ત્યારે કેશોદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક છોકરી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. આ ઘટના જૂનાગઢના કેશોદના એક ગામની છે. ગામડામાં એક મા પોતાની ત્રણ દીકરીઓ સાથે સાતેક વર્ષથી પતિથી અલગ રહેતી હતી. ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પતિને સમાધાન કરવું છે તેમ કહીં પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પતિએ પત્નીને બધા સાથે આવવાનું કહ્યું. 


અંગારા પર ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો!  

પતિ તરફથી આમંત્રણ મળતા પત્ની દિકરીઓ સાથે હવનમાં ગઈ. પરંતુ આગળ દીકરી સાથે શું થવાનું છે તેની જાણ માને ન હતી. સમાધાન કરવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં જે બન્યુંએ ભયંકર હતું. હવનમાં પતિએ ભૂવાઓ સાથે મળીને દિકરીને ધૂણાવી.એવું પણ કહેવામાં આવ્યું હતું દીકરીને માતાજી આવ્યા છે. પરંતુ આની આગળ જે થયું તે ભયાનક હતું. પિતાએ દીકરીને આગ પર ચલાવી અને હવનમાં દીકરીનો હાથ નાખ્યો. દીકરીની બલિ ચઢાવવા માટે કહ્યું પણ દીકરીએ ના પાડી તો તેને ઢોર માર માર્યો અને બે દિવસ દીકરીને ભૂખી રાખી. જો એ દિકરીની મા ના હોત તો આજે દિકરી જીવતી ના હોત. દિકરીનો વાંક એટલો જ હતો કે એ બાપ સાથે નહીં પણ મા સાથે રહેતી હતી. આવી તો ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી છે.


આ ઘટના અંગે તપાસ કરવામાં આવશે - મંત્રી  

આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઈ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. 


લોકોને જાગૃત કરવા એ આપણી સામાજીક ફરજ  

મહત્વનું છે કે એક તરફ આપણે હાઈટેક અને ટેક્નોલોજીભર્યા સમયની વાત કરીએ તો છીએ પણ આજે પણ આવી ઘટનાઓ માનવતાને શમર્સાર કરી દે છે. શિક્ષિત સમાજમાં પણ આવા બનાવો બનતા રહેશે તો આ બહુ ગંભીર ઘટના છે.. આ મામલે અનેક સંસ્થા એવી છે જે આ અંગે જાગૃતિ લાવવા કામ કરે છે. આ પ્રકારના સમાચારો આપણા સમાજ માટે શરમની વાત કહેવાય કે 21મી સદીમાં પણ આવી ઘટનાઓ ઘટી રહી છે.. જ્યારે આપણી નજીકમાં આવી ઘટનાઓ ઘટે ત્યારે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી આવી ઘટનાઓ બંધ થાય અને અંધશ્રદ્ધાના નામે લોકોની અપાતી બલી રોકી શકાય.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.