ગુજરાત તથા દિલ્હીમાં કેટલી બેઠકો કોંગ્રેસ અને AAPના ફાળે જશે? જાણો સીટોની વહેંચણીનું લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2024-02-22 14:26:20

લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલું છે. દિલ્હી અને ગુજરાતમાં સીટોની વહેંચણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે તે અંગે બંને પાર્ટીના નેતાઓ મક્કમ છે. હવે કઈ સીટ પર સમજુતી સધાય છે તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


ગુજરાતની આ બે સીટો AAPના ફાળે


લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તે પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ ભરૂચના આદીવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા જોતા આ સીટ આપવા તૈયાર થઈ શકે છે.  આ માટે કોંગ્રેસ પાર્ટીને  મુમતાઝ એહમદ પટેલને મનાવવા પડશે. તે જ પ્રકારે  ભાવનગર લોકસભા બેઠક માટે AAPના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ ભાવનગર સીટ પણ આપને આપવા માટે કદાચ રાજી થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. 


દિલ્હીમાં શું છે તૈયારી?


દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે. AAP 4 સીટો પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને પૂર્વ, ઉત્તર પૂર્વ અને ચાંદની ચોક બેઠકો આપી શકે છે. જ્યારે નવી દિલ્હી પોતે દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.