'ચૂંટણી લડવા માટે પૈસા નથી' એવું કહેનારા નાણામંત્રી નિર્મલા સિતારમણ પાસે કુલ કેટલી સંપત્તિ છે? જાણો....


  • Published By :
  • Published Date : 2024-03-29 12:23:10

લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ અનેક અપડેટ સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે પરંતુ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. આવું નિવેદન તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. આ બાદ સવાલ એ થાય કે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પૈસાની જરૂર હોય?. ઉમેદવાર તરીકે એટલા પૈસા પણ નાણા મંત્રી પાસે નથી કે તે ચૂંટણી લડી શકે!


ચૂંટણી પાછળ ઉમેદવાર કેટલા લાખનો કરી શકે છે ખર્ચો? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્મલા સીતારમણને લોકસભા ચૂંટણી માટે ઓફર આપવામાં  આવી હતી. પરંતુ નાણા મંત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો એમ કહી કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. પ્રશ્નએ આવીને ઉભી રહ્યો છે કે એટલા તો કેટલા પૈસા હોવા જોઈએ? ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે નાણાં ખર્ચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા 95 લાખ રૂપિયા છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવાર દ્વારા કરી શકાશે નહીં. 



2022માં આટલી હતી સંપત્તિ નાણા મંત્રી પાસે... 

નિર્મલા સીતારમણે 2022 માં રાજ્યસભાના નામાંકન દરમિયાન તેમની સંપત્તિ જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, તે સમયે નિર્મલા સીતારમણ પાસે 63 લાખ રૂપિયાની જંગમ અને 1 કરોડ 87 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. કુલ રૂ. 2.5 કરોડ હતી. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પગાર પણ મળ્યો છે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો પણ થયો હશે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .