'ચૂંટણી લડવા માટે પૈસા નથી' એવું કહેનારા નાણામંત્રી નિર્મલા સિતારમણ પાસે કુલ કેટલી સંપત્તિ છે? જાણો....


  • Published By :
  • Published Date : 2024-03-29 12:23:10

લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ અનેક અપડેટ સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે પરંતુ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. આવું નિવેદન તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. આ બાદ સવાલ એ થાય કે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પૈસાની જરૂર હોય?. ઉમેદવાર તરીકે એટલા પૈસા પણ નાણા મંત્રી પાસે નથી કે તે ચૂંટણી લડી શકે!


ચૂંટણી પાછળ ઉમેદવાર કેટલા લાખનો કરી શકે છે ખર્ચો? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્મલા સીતારમણને લોકસભા ચૂંટણી માટે ઓફર આપવામાં  આવી હતી. પરંતુ નાણા મંત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો એમ કહી કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. પ્રશ્નએ આવીને ઉભી રહ્યો છે કે એટલા તો કેટલા પૈસા હોવા જોઈએ? ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે નાણાં ખર્ચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા 95 લાખ રૂપિયા છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવાર દ્વારા કરી શકાશે નહીં. 



2022માં આટલી હતી સંપત્તિ નાણા મંત્રી પાસે... 

નિર્મલા સીતારમણે 2022 માં રાજ્યસભાના નામાંકન દરમિયાન તેમની સંપત્તિ જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, તે સમયે નિર્મલા સીતારમણ પાસે 63 લાખ રૂપિયાની જંગમ અને 1 કરોડ 87 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. કુલ રૂ. 2.5 કરોડ હતી. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પગાર પણ મળ્યો છે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો પણ થયો હશે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.