'ચૂંટણી લડવા માટે પૈસા નથી' એવું કહેનારા નાણામંત્રી નિર્મલા સિતારમણ પાસે કુલ કેટલી સંપત્તિ છે? જાણો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 12:23:10

લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ અનેક અપડેટ સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે પરંતુ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. આવું નિવેદન તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. આ બાદ સવાલ એ થાય કે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પૈસાની જરૂર હોય?. ઉમેદવાર તરીકે એટલા પૈસા પણ નાણા મંત્રી પાસે નથી કે તે ચૂંટણી લડી શકે!


ચૂંટણી પાછળ ઉમેદવાર કેટલા લાખનો કરી શકે છે ખર્ચો? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્મલા સીતારમણને લોકસભા ચૂંટણી માટે ઓફર આપવામાં  આવી હતી. પરંતુ નાણા મંત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો એમ કહી કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. પ્રશ્નએ આવીને ઉભી રહ્યો છે કે એટલા તો કેટલા પૈસા હોવા જોઈએ? ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે નાણાં ખર્ચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા 95 લાખ રૂપિયા છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવાર દ્વારા કરી શકાશે નહીં. 



2022માં આટલી હતી સંપત્તિ નાણા મંત્રી પાસે... 

નિર્મલા સીતારમણે 2022 માં રાજ્યસભાના નામાંકન દરમિયાન તેમની સંપત્તિ જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, તે સમયે નિર્મલા સીતારમણ પાસે 63 લાખ રૂપિયાની જંગમ અને 1 કરોડ 87 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. કુલ રૂ. 2.5 કરોડ હતી. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પગાર પણ મળ્યો છે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો પણ થયો હશે.  



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....