'ચૂંટણી લડવા માટે પૈસા નથી' એવું કહેનારા નાણામંત્રી નિર્મલા સિતારમણ પાસે કુલ કેટલી સંપત્તિ છે? જાણો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 12:23:10

લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ અનેક અપડેટ સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે પરંતુ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. આવું નિવેદન તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. આ બાદ સવાલ એ થાય કે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પૈસાની જરૂર હોય?. ઉમેદવાર તરીકે એટલા પૈસા પણ નાણા મંત્રી પાસે નથી કે તે ચૂંટણી લડી શકે!


ચૂંટણી પાછળ ઉમેદવાર કેટલા લાખનો કરી શકે છે ખર્ચો? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્મલા સીતારમણને લોકસભા ચૂંટણી માટે ઓફર આપવામાં  આવી હતી. પરંતુ નાણા મંત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો એમ કહી કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. પ્રશ્નએ આવીને ઉભી રહ્યો છે કે એટલા તો કેટલા પૈસા હોવા જોઈએ? ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે નાણાં ખર્ચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા 95 લાખ રૂપિયા છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવાર દ્વારા કરી શકાશે નહીં. 



2022માં આટલી હતી સંપત્તિ નાણા મંત્રી પાસે... 

નિર્મલા સીતારમણે 2022 માં રાજ્યસભાના નામાંકન દરમિયાન તેમની સંપત્તિ જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, તે સમયે નિર્મલા સીતારમણ પાસે 63 લાખ રૂપિયાની જંગમ અને 1 કરોડ 87 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. કુલ રૂ. 2.5 કરોડ હતી. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પગાર પણ મળ્યો છે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો પણ થયો હશે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.