ભાજપનો જૂથવાદ ચૂંટણીમાં ભાજપને લઈ ડૂબશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:08:08

સૌરાષ્ટ્રમાં રા' રાજાઓના સમયની એક કહેવાત છે "ઘર ફૂટે, ઘર જાય" ચૂંટણી પહેલા આ કહેવત ભાજપને લાગુ પડી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના ભાજપના જ નેતાઓ એકબીજાની સામે નિશાન તાકીને બેઠા છે. કહેવાતી શિસ્ત પાર્ટીમાં જ અશિસ્તતા નજરે પડી રહી છે કારણ કે અનેક નેતાઓ પોતાની પાર્ટીના જ રાજકીય હરીફોને પાછળ પાડવા મથી રહ્યા છે. ભાજપ જો ભીનું નહીં સંકેલે તો ચૂંટણીમાં માઠી અસરો થશે તે નક્કી જ છે તેવું લોકોનું માનવું છે. ચૂંટણી લડવા માટે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે જૂથવાદ ચરમસીમાએ આવી જશે તેવું દેખાઈ રહ્યું છે. 




બોખરા-બાવળિયા બાખડ્યાં 

ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનો કલેહ રાજકોટભરમાં જગજાહેર છે. બંને વચ્ચેના વિખવાદ મામલે  અગાઉ સીઆર પાટીલને પણ નિવેદન આપવું પડ્યું હતું. સીઆર પાટીલે ભરત બોઘરાને સ્પષ્ટ ચૂચના આપી દીધી હતી કે જસદણથી કુંવરજી બાવળિયા જ લડશે. સીઆર પાટીલે ભરત બોઘરાને કુંવરજી બાવળિયાની ફરિયાદો બંધ કરવાની સ્પષ્ટ ચૂચના આપી હતી.  


ગોવિંદ પટેલ અને પરેશ ગજેરા વચ્ચે ખટરાગ

ગોવિંદ પટેલ આમ તો સ્થાનિક પ્રશ્નો મામલે મુદ્દા ઉઠાવવામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. થોડા સમય  પહેલા પોલીસ કમિશનર મામલે પણ ગોવિંદ પટેલે જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય છે અને પરેશ ગજેરા પણ આ બેઠકના પ્રબળ દાવેદાર મનાય છે. પરેશ ગજેરા ખોડલ ધામના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદારોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. 


દેવજી ફતેપરા અને મહેન્દ્ર મુંજપરાનો કંકાસ 

વાત છે કોળી સમાજના આગેવાનોની સીઆર પાટીલ સાથેની બેઠકની. કુંવરજી બાવળિયાએ દેવજી ફતેપરાને ફોન કરી બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું જ્યારે ફતેપરાએ ફોન પર કહી દીધું હતું કે, મુંજપરા આવતા હશે તો હું નહીં આવું. હું મહેન્દ્ર મુંજપરાનું મોઢું જોવા નથી માગતો.   


આ સિવાય સૌરાષ્ટ્રના મોરબીમાં પણ કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચે કજિયો છે. કાંતિ અમૃતિયાએ તો પ્રધાનમંત્રી મોદીને મળીને બ્રિજેશ મેરજાની ફરિયાદ કરી દીધી હતી. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટની વહેંચણી કરશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે જે ખટરાગ હશે તે ટિકિટ વહેંચણી સમયે ઉભરાશે. ભાજપના જન પ્રતિનિધિ નેતાઓ નારાજ થશે તો લોકોના બળે પણ અપક્ષમાં ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.