ભાજપનો જૂથવાદ ચૂંટણીમાં ભાજપને લઈ ડૂબશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:08:08

સૌરાષ્ટ્રમાં રા' રાજાઓના સમયની એક કહેવાત છે "ઘર ફૂટે, ઘર જાય" ચૂંટણી પહેલા આ કહેવત ભાજપને લાગુ પડી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના ભાજપના જ નેતાઓ એકબીજાની સામે નિશાન તાકીને બેઠા છે. કહેવાતી શિસ્ત પાર્ટીમાં જ અશિસ્તતા નજરે પડી રહી છે કારણ કે અનેક નેતાઓ પોતાની પાર્ટીના જ રાજકીય હરીફોને પાછળ પાડવા મથી રહ્યા છે. ભાજપ જો ભીનું નહીં સંકેલે તો ચૂંટણીમાં માઠી અસરો થશે તે નક્કી જ છે તેવું લોકોનું માનવું છે. ચૂંટણી લડવા માટે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે જૂથવાદ ચરમસીમાએ આવી જશે તેવું દેખાઈ રહ્યું છે. 




બોખરા-બાવળિયા બાખડ્યાં 

ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનો કલેહ રાજકોટભરમાં જગજાહેર છે. બંને વચ્ચેના વિખવાદ મામલે  અગાઉ સીઆર પાટીલને પણ નિવેદન આપવું પડ્યું હતું. સીઆર પાટીલે ભરત બોઘરાને સ્પષ્ટ ચૂચના આપી દીધી હતી કે જસદણથી કુંવરજી બાવળિયા જ લડશે. સીઆર પાટીલે ભરત બોઘરાને કુંવરજી બાવળિયાની ફરિયાદો બંધ કરવાની સ્પષ્ટ ચૂચના આપી હતી.  


ગોવિંદ પટેલ અને પરેશ ગજેરા વચ્ચે ખટરાગ

ગોવિંદ પટેલ આમ તો સ્થાનિક પ્રશ્નો મામલે મુદ્દા ઉઠાવવામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. થોડા સમય  પહેલા પોલીસ કમિશનર મામલે પણ ગોવિંદ પટેલે જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય છે અને પરેશ ગજેરા પણ આ બેઠકના પ્રબળ દાવેદાર મનાય છે. પરેશ ગજેરા ખોડલ ધામના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદારોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. 


દેવજી ફતેપરા અને મહેન્દ્ર મુંજપરાનો કંકાસ 

વાત છે કોળી સમાજના આગેવાનોની સીઆર પાટીલ સાથેની બેઠકની. કુંવરજી બાવળિયાએ દેવજી ફતેપરાને ફોન કરી બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું જ્યારે ફતેપરાએ ફોન પર કહી દીધું હતું કે, મુંજપરા આવતા હશે તો હું નહીં આવું. હું મહેન્દ્ર મુંજપરાનું મોઢું જોવા નથી માગતો.   


આ સિવાય સૌરાષ્ટ્રના મોરબીમાં પણ કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચે કજિયો છે. કાંતિ અમૃતિયાએ તો પ્રધાનમંત્રી મોદીને મળીને બ્રિજેશ મેરજાની ફરિયાદ કરી દીધી હતી. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટની વહેંચણી કરશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે જે ખટરાગ હશે તે ટિકિટ વહેંચણી સમયે ઉભરાશે. ભાજપના જન પ્રતિનિધિ નેતાઓ નારાજ થશે તો લોકોના બળે પણ અપક્ષમાં ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.