ભાજપનો જૂથવાદ ચૂંટણીમાં ભાજપને લઈ ડૂબશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:08:08

સૌરાષ્ટ્રમાં રા' રાજાઓના સમયની એક કહેવાત છે "ઘર ફૂટે, ઘર જાય" ચૂંટણી પહેલા આ કહેવત ભાજપને લાગુ પડી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના ભાજપના જ નેતાઓ એકબીજાની સામે નિશાન તાકીને બેઠા છે. કહેવાતી શિસ્ત પાર્ટીમાં જ અશિસ્તતા નજરે પડી રહી છે કારણ કે અનેક નેતાઓ પોતાની પાર્ટીના જ રાજકીય હરીફોને પાછળ પાડવા મથી રહ્યા છે. ભાજપ જો ભીનું નહીં સંકેલે તો ચૂંટણીમાં માઠી અસરો થશે તે નક્કી જ છે તેવું લોકોનું માનવું છે. ચૂંટણી લડવા માટે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે જૂથવાદ ચરમસીમાએ આવી જશે તેવું દેખાઈ રહ્યું છે. 




બોખરા-બાવળિયા બાખડ્યાં 

ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનો કલેહ રાજકોટભરમાં જગજાહેર છે. બંને વચ્ચેના વિખવાદ મામલે  અગાઉ સીઆર પાટીલને પણ નિવેદન આપવું પડ્યું હતું. સીઆર પાટીલે ભરત બોઘરાને સ્પષ્ટ ચૂચના આપી દીધી હતી કે જસદણથી કુંવરજી બાવળિયા જ લડશે. સીઆર પાટીલે ભરત બોઘરાને કુંવરજી બાવળિયાની ફરિયાદો બંધ કરવાની સ્પષ્ટ ચૂચના આપી હતી.  


ગોવિંદ પટેલ અને પરેશ ગજેરા વચ્ચે ખટરાગ

ગોવિંદ પટેલ આમ તો સ્થાનિક પ્રશ્નો મામલે મુદ્દા ઉઠાવવામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. થોડા સમય  પહેલા પોલીસ કમિશનર મામલે પણ ગોવિંદ પટેલે જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય છે અને પરેશ ગજેરા પણ આ બેઠકના પ્રબળ દાવેદાર મનાય છે. પરેશ ગજેરા ખોડલ ધામના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદારોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. 


દેવજી ફતેપરા અને મહેન્દ્ર મુંજપરાનો કંકાસ 

વાત છે કોળી સમાજના આગેવાનોની સીઆર પાટીલ સાથેની બેઠકની. કુંવરજી બાવળિયાએ દેવજી ફતેપરાને ફોન કરી બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું જ્યારે ફતેપરાએ ફોન પર કહી દીધું હતું કે, મુંજપરા આવતા હશે તો હું નહીં આવું. હું મહેન્દ્ર મુંજપરાનું મોઢું જોવા નથી માગતો.   


આ સિવાય સૌરાષ્ટ્રના મોરબીમાં પણ કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચે કજિયો છે. કાંતિ અમૃતિયાએ તો પ્રધાનમંત્રી મોદીને મળીને બ્રિજેશ મેરજાની ફરિયાદ કરી દીધી હતી. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટની વહેંચણી કરશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે જે ખટરાગ હશે તે ટિકિટ વહેંચણી સમયે ઉભરાશે. ભાજપના જન પ્રતિનિધિ નેતાઓ નારાજ થશે તો લોકોના બળે પણ અપક્ષમાં ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .