રામ મંદિરથી UP સરકારને દર વર્ષે કેટલી કમાણી થશે? SBI રિસર્ચના રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:41:32

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સોમવારે 22 જાન્યુઆરીના રોજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારને જબરદસ્ત આર્થિક ફાયદો થશે  તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારના બજેટ મુજબ નાણાકિય વર્ષ 2024માં તેમની ટેક્સ રેવન્યુ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. SBI રિસર્ચના જણાવ્યા મુજબ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેન્ડિગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવતો ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.


ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડે પહોંચશે


SBI રિસર્ચના રિપોર્ટ મુજબ વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ 2.2 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશી પર્યટકોએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2022માં 32 કરોડ જેટલા સ્થાનિક પર્યટકો ઉત્તર પ્રદેશ આવ્યા હતા. જે તેના આગલા વર્ષની તુલનામાં લગભગ 200 ટકા વધુ છે. રામ મંદિરના ઉદઘાટન બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ અયોધ્યા પહોચે તેવું અનુમાન છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.