રામ મંદિરથી UP સરકારને દર વર્ષે કેટલી કમાણી થશે? SBI રિસર્ચના રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:41:32

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સોમવારે 22 જાન્યુઆરીના રોજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારને જબરદસ્ત આર્થિક ફાયદો થશે  તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારના બજેટ મુજબ નાણાકિય વર્ષ 2024માં તેમની ટેક્સ રેવન્યુ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. SBI રિસર્ચના જણાવ્યા મુજબ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેન્ડિગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવતો ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.


ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડે પહોંચશે


SBI રિસર્ચના રિપોર્ટ મુજબ વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ 2.2 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશી પર્યટકોએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2022માં 32 કરોડ જેટલા સ્થાનિક પર્યટકો ઉત્તર પ્રદેશ આવ્યા હતા. જે તેના આગલા વર્ષની તુલનામાં લગભગ 200 ટકા વધુ છે. રામ મંદિરના ઉદઘાટન બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ અયોધ્યા પહોચે તેવું અનુમાન છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.